શ્રી.સ્વામી રામાનંદ આશ્રમ ગુવાર ખાતે પ.પૂ. જગતગુરુ શ્રી સ્વામી રામાનંદાચાર્ય જીની 821 મી જન્મજયંતી ઉજવાશે.
શોભાયાત્રા,સંતોની અમૃતવાણી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ.
રાજપીપળા,તા.4
પ.પૂ.જગદગુરુ શ્રી સ્વામી રામાનંદાચાર્ય જીની 821 મી જન્મ જયંતિ તા 4 ફેબ્રુઆરીના રોજ શ્રી સ્વામી રામાનંદ આશ્રમ ગુવાર ખાતે ભારે શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક ઉજવાશે.જેમાં આજુ બાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ભકતો ઉમટશે. જ્યાં સ્વામી રામાનંદજીનુ પૂજન કરશે. તેમજ શોભાયાત્રા નીકળશે. જે શોભાયાત્રા વાજતે ગાજતે આશ્રમ પર પહોંચશે. જ્યાં આ ધાર્મિક કાર્યક્રમ સવારે 9 વાગે શરૂ થશે. ગુજરાત ભરમાંથી પધારેલા સંતોની અમૃત વાણીની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થશે. લગભગ એક વાગે મહાપ્રસાદનુ આયોજન છે.બપોર પછી રમતગમત અને ઈનામ વિતરણ નો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે.આ આખા કાર્યક્રમમાં સામાજિક દોરી અને સેનીટેશનની પૂરતી વ્યવસ્થા રખાયેલી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા
