ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

સરકારના ખોળા ખૂંદવા ગરીબોની ઠેકડી ન ઉડાવો!

 

મોરબી જિલ્લાના ફડસર ગામના જાગૃત નાગરિક રણમલભાઈ (રમેશભાઈ) ઝીલરીયાએ 8 જુલાઈ 2026ના રોજ એક પત્ર મીડિયાને ઉદ્દેશીને લખ્યો છે:

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ છે અને હાલમાં સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને સોશિયલ મીડિયામાં આ બંને સામે ભારે નારાજગી અને જનઆક્રોશ જોવા મળી રહ્યો છે.

 

માયાભાઈ કહે છે કે “કેટલાક લોકો પોલીસના ગમે ત્યારે વીડિયો ઊતારી પ્રશ્નો પૂછે છે. અને કહે છે કે તમે અમારા ટેક્ષના પૈસામાંથી પગાર લો છો. જાણે એના બાપુજી ટેક્સ ભરતા ન હોય! એ વળી રેશનિંગના ઘઉં ખાતા હોય છે!”કીર્તિદાન પાછળથી એના સૂરમાં સૂર પુરાવે છે.

 

સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ જનતાના નોકર જ છે અને તેમને જનતાના ટેક્સના પૈસાથી જ પગાર મળે છે અને આજે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ સરકારને ટેક્સ આપે છે કેમ કે સરકારે નાનામાં નાની વસ્તુ ઉપર પણ GST લગાવ્યો છે. જેના કારણે દરેક નાગરિક અત્યારે ટેક્સ ભરે છે.

 

રાજકોટ ખાતે જ 22 જૂન 2017 થી 25 જૂન 2017ના રોજ સૌની યોજના લોકાર્પણ કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *