કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન સ્નેહ કુટીર સિનિયર સિટીઝન હોમ, નાગલપુર, મહેસાણા ખાતે તા.18/02026 ના રોજ વડીલોને આનંદ, સ્નેહ અને સાંસ્કૃતિક મનોરંજનની અનોખી ભેટ આપવા માટે ભવ્ય લોકગીત-સંગીત અને લોકડાયરા કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન લોકસંગીતના સુમધુર સૂર, લોકસાહિત્યની સુગંધ અને ગુજરાતી સંસ્કૃતિના રંગોથી સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું.
આ પ્રસંગે ગુજરાતના
લોકકલાના ગૌરવંતા કલાકારોની હાજરીમાં હાર્મની મ્યુઝીકલ ગ્રુપના સપોર્ટથી એમના કલાકારો મનમોહક રજૂઆતો દ્વારા ઉપસ્થિત સૌનું દિલ જીતી લીધું હતું.

લોકગીતો, ભજનો, હાસ્યરસ અને જીવનમૂલ્યોને સ્પર્શતી રજૂઆતોએ વૃદ્ધાશ્રમના વડીલોના ચહેરા પર આનંદ અને સંતોષની અનોખી ઝલક પાથરી હતી.
કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના આગેવાનો, સમાજસેવકો, આમંત્રિત મહાનુભાવો તથા રાજકીય આગેવાનો માનનીય શ્રી મુકેશભાઈ પટેલ ધારાસભ્ય મહેસાણા, શ્રી ડો. પી.આર. પટેલ ચેરમેન શ્રી ધુળાભાઈ એ. પટેલ સેક્રેટરી અવની સીડ્સ સ્નેહ કુટીર વૃદ્ધાશ્રમ વગેરેની ઉપસ્થિતિમાં આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડીલો માટે યોજાયેલા આ લોકડાયરામાં સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. લોકસંગીતના તાલે વડીલો ભાવવિભોર બન્યા હતા અને અનેક વડીલોએ આવા કાર્યક્રમો સમાજમાં સકારાત્મક ઊર્જા અને આત્મીયતાનો સંદેશ પહોંચાડે છે.તેવી લાગણી વ્યક્ત કરી હતી.
કાર્યક્રમે એક વખત ફરી સાબિત કર્યું કે સંગીત, સંસ્કૃતિ અને સ્નેહનો સંગમ સમાજના દરેક વર્ગને એકતાના સૂત્રમાં બાંધી શકે છે. ખાસ કરીને વૃદ્ધાશ્રમના વડીલો માટે આવા કાર્યક્રમો જીવનમાં નવી આશા, આનંદ અને આત્મીયતાનો સંચાર કરે છે.
