રાજપીપળાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો

રાજપીપળાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો

ડેડિયાપાડામાં આજે કમોસમી વરસાદ

રાજપીપળા તા 8

રાજપીપળાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે.રાજપીપળા સહિત નાંદોદ તાલુકાના આજુબાજુના ગામોમાં પણ માવઠાની અસર જોવા મળી હતી . આકાશમાં કાળા વાદળો ઘેરાયા છે જ્યારે ડેડિયાપાડામાં આજે કમોસમી વરસાદ થયો હતો. આમ આજે નર્મદા જીલ્લામાં માવઠાનો માહોલ જોવા મળ્યો હતો. આ માવઠાને કારણે ખાસ કરીને ખેતીના પાકને નુકસાન થવાની શક્યતા ખેડૂતોએ જણાવી હતી

રિપોર્ટ: જયોતિ જગતાપ રાજપીપળા