નર્મદા જિલ્લા દિવાસી મૂલનિવાસી સંગઠન પ્રમુખ મહેશ વસાવાની આગેવાનીમાં દેડીયાપાડા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીને આવેદનપ આપ્યું.

નર્મદા જિલ્લાના દરેક ગામને સ્વતંત્ર ગ્રામ પંચાયત દરજ્જા આપવા માટે નર્મદા જિલ્લા વિકાસ અધિકારીએ કરેલ હુકમની અવગણના થઈ રહી હોવાની રજૂઆત.
રાજપીપળા, તા. 4
નર્મદા જિલ્લા દિવાસી મૂલનિવાસી સંગઠન પ્રમુખ મહેશ વસાવાની આગેવાનીમાં દેડીયાપાડા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીને આવેદનપ આપ્યું હતું. જેમાં નર્મદા જિલ્લાના દરેક ગામને સ્વતંત્ર ગ્રામ પંચાયત દરજ્જા આપવા માંગ કરી હતી, તે માટે નર્મદા જિલ્લા વિકાસ અધિકારીએ કરેલ હુકમની અવગણના થઈ રહી હોવાની પણ રજૂઆત કરાઈ હતી.
આવેદનમાં જણાવ્યું છે કે અમો આદિવાસી મૂલ નિવાસી સંગઠન નર્મદા જિલ્લા દ્વારાના નર્મદા જિલ્લાના દરેક ગામને સ્વતંત્ર ગ્રામપંચાયતનો દરજજો આપવાની માંગ કરી હતી. આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીને અને મુખ્યમંત્રી, રાજ્યપાલ, તેમજ વિકાસ કમિશ્નરને અને મંત્રી ગ્રામ વિકાસ ગૃહ નિર્માણ અને પંચાયત વિભાગ તથા ગુજરાત રાજ્યના વહીવટી અધિકારીઓને આવેદનપત્ર આપ્યું હતું.
જેના અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારી નર્મદા જિલ્લા પંચાયતને યોગ્ય હુકમ કરવા નર્મદા જિલ્લા વિકાસ અધિકારીએ નર્મદા જિલ્લાના તમામ પાંચ તાલુકા વિકાસ અધિકારી ને પત્ર લખી નર્મદા જિલ્લાની ગૃપ ગ્રામપંચાયતનું વિભાજન અંગેની દરખાસ્ત મંગાવવામાં આવી હતી, જેના અનુસંધાનમાં દેડીયાપાડા તાલુકાની માત્ર આઠ જેટલી સંમતિ દર્શન કરાવો વાળી ગ્રામ પંચાયતોની દરખાસ્તો નર્મદા જિલ્લા પંચાયતમાં મોકલેલ છે. અને બીજી 30 જેટલી ગ્રુપ ગ્રામ પંચાયત ની દરખાસ્ત મોકલવાની બાકી છે જિલ્લા વિકાસ અધિકારી નર્મદા જિલ્લા પંચાયતને અનેકવાર હુકમો કરેલા હોવા છતાં જરૂરી માહિતી નહીં પહોંચાડતાં ગ્રામ્ય વિસ્તારના લોકોના ભારતીય બંધારણ ના હકો મળતા અટકી પડેલ છે.
જેથી દેડીયાપાડા તાલુકા પંચાયત વિસ્તારના તમામ તલાટી કમ મંત્રીઓએ પાસેથી ગ્રુપ ગ્રામ પંચાયતની સંમતિ દર્શાવી અને અસંમતિ દર્શાવી ઠરાવ સાથેની દરખાસ્તો મેળવી યોગ્ય કાર્યવાહી કરવા તમામ તલાટીકમ મંત્રીઓની તાલુકા પંચાયત સામે યોગ્ય હુકમ કરી.દેડીયાપાડા તાલુકાના અંતરિયાળ અને ગરીબ લોકોના ગામોને ન્યાય આપવા રજૂઆત કરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા