ગાંધીનગર ખાતે ઘમાસાણ પોલીસનો કાફલો ઘટના સ્થળે

નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ બાદ આંદોલન કરી રહેલી વિદ્યાર્થિનીઓએ આ નિર્ણયને વખોડી કાઢ્યો હતો, અને તેમણે આને લોલીપોપ ગણાવ્યો હતો. તેમણે માંગણી છે કે 2018ના જીઆરને રદ્દ કરવામા આવે. આ અંગે વિદ્યાર્થિનીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમણે આંદોલન સમેટવાની ચોખ્ખી ના પાડી દીધી છે. રાજ્ય સરકારે ભરતીની લ્હાણી કરી એવી જાહેરાત કરી કે એલઆરડીની ભરતીમાં વર્ષ 2018ના પરિપત્રને ધ્યાને નથી લેવાયો. પરંતુ સરકારની આ જાહેરાત અનામત વર્ગના ગળે ન ઉતરી અને છેલ્લા 2 મહિના કરતા વધુ સમયથી ગાંધીનગરને ગજવતી અનામત વર્ગની મહિલાઓ રાજ્ય સરકારની આ જાહેરાત બાદ વધુ ઉકળી ઉઠી છે અને પરિપત્ર રદ કરવાની માંગ સાથે ઉગ્ર સુત્રોચ્ચાર કર્યો હતો. ઉગ્ર સુત્રોચ્ચાર સાથે અનામત વર્ગની મહિલાઓની એક જ માંગ હતી કે સરકાર વર્ષ 2018ના પરિપત્રને ગમે તે ભોગે રદ કરે. ત્યાર બાદ મોટી સંખ્યમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.