નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ બાદ આંદોલન કરી રહેલી વિદ્યાર્થિનીઓએ આ નિર્ણયને વખોડી કાઢ્યો હતો, અને તેમણે આને લોલીપોપ ગણાવ્યો હતો. તેમણે માંગણી છે કે 2018ના જીઆરને રદ્દ કરવામા આવે. આ અંગે વિદ્યાર્થિનીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમણે આંદોલન સમેટવાની ચોખ્ખી ના પાડી દીધી છે. રાજ્ય સરકારે ભરતીની લ્હાણી કરી એવી જાહેરાત કરી કે એલઆરડીની ભરતીમાં વર્ષ 2018ના પરિપત્રને ધ્યાને નથી લેવાયો. પરંતુ સરકારની આ જાહેરાત અનામત વર્ગના ગળે ન ઉતરી અને છેલ્લા 2 મહિના કરતા વધુ સમયથી ગાંધીનગરને ગજવતી અનામત વર્ગની મહિલાઓ રાજ્ય સરકારની આ જાહેરાત બાદ વધુ ઉકળી ઉઠી છે અને પરિપત્ર રદ કરવાની માંગ સાથે ઉગ્ર સુત્રોચ્ચાર કર્યો હતો. ઉગ્ર સુત્રોચ્ચાર સાથે અનામત વર્ગની મહિલાઓની એક જ માંગ હતી કે સરકાર વર્ષ 2018ના પરિપત્રને ગમે તે ભોગે રદ કરે. ત્યાર બાદ મોટી સંખ્યમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
Related Posts
રામનવમીએ બાળસ્વરૂપે ભગવાન શ્રી રામ, અયોધ્યામાં પ્રગટ થયા ત્યારે,’ ચંદ્રે’ લીધેલી બાળહઠ: નિર્મળ, નિર્દોષ, રમ્ય, કલ્પના સભર પ્રસંગ.
રામનવમીએ બાળસ્વરૂપે ભગવાન શ્રી રામ, અયોધ્યામાં પ્રગટ થયા ત્યારે,’ ચંદ્રે’ લીધેલી બાળહઠ: નિર્મળ, નિર્દોષ, રમ્ય, કલ્પના સભર પ્રસંગ રામ નામ…
નાંદોદ તાલુકાના ચિત્રાવાડી ગામની પરિણીતાના પતિએ ચપ્પુ હુલાવી દેતાં પત્નીને ગંભીર. પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પતિદેવ સામે પત્નીને પોલીસ ફરિયાદ.
રાજપીપળા, તા. 27 નાંદોદ તાલુકાના ચિત્રાવાડી ગામની પરિણીતાના પતિએ ચપ્પુ હુલાવી દેતાં પત્નીની હાલત ગંભીર બની હતી, ઉશ્કેરાયેલા પતિએ પત્નીને…
*ટ્રમ્પ પહોંચી જતાં અમેરિકાએ રંગ દેખાડ્યો દિલ્હીમાં મુસ્લિમોની સુરક્ષા કરે મોદી સરકાર*
નાગરિકતા સંશોધન કાયદાને લઈને દિલ્હીમાં થયેલી હિંસા બાદ શાંતિ કેળવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ મુદ્દા…
