ઘરમાં રહો-સુરક્ષિત રહો ,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કોવિડ કેર સેન્ટર ફક્ત
કાગળ પર
રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઓક્સિજનની સુવિધા સાથેનું 329 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરાઇ હતી. પરંતુ હજુ સુધી કોવિડ કેર સેન્ટર શરૂ ન થતાં દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મળતી માહિતી મુજબ ઓક્સિજનની તીવ્ર અછત પ્રવર્તી રહી હોવાથી હજુ સુધી કેર સેન્ટર શરૂ થઇ શક્યું નથી. અહીં 47 બેડના બે વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે કે 5 વોર્ડ હજુ તૈયાર થઇ રહ્યા છે.
