નોવેલ કોરોના વાયરસ (COVID-19) – જિલ્લામાં આજે એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં વધુ ૨ પોઝિટિવ કેસ નોંધાયા.

જિલ્લામા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૯૫૭, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૮૯૦ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૬૭ દરદીઓ સહિત પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૧૯૧૪ થઈ
———–
રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૫ દરદીઓ, હોમ આઇસોલેશનમા ૬ દરદીઓ અને વડોદરા ખાતે ૨ દરદીઓ સહિત કુલ-૧૩ દરદીઓ સારવાર હેઠળ
———–
જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૩૫,૬૪૯ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ: ૪૪ જેટલાં જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર
———–
રાજપીપલા,તા 8

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજેપ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં વધુ ૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૯૫૭, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૮૯૦ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૬૭ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૧૯૧૪ નોંધાવા પામી છે.

જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૯૮૨ દરદીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૯૧૬ દરદીઓ સહિત કુલ-૧૮૯૮ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમા ૬ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૫ દરદીઓ અને વડોદરા ખાતે ૨ દરદીઓ સહિત કુલ-૧૩ દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૩૨ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૩૫ સહિત કુલ-૧૬૭ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૦૮ મી માર્ચ, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૩૫,૬૪૯ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૧૫ દરદીઓ, તાવના ૧૨ દરદીઓ, ઝાડાના ૧૭ દરદીઓ સહિત કુલ- ૪૪ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૦૦૭૫૦ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯,૦૩,૮૨૮ લોકોને વિતરણ કરાઇ છે.
તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા