મુખ્ય સમાચાર.

*આજે અષાઢ સુદ પૂનમ નારોજ ઉપછાયા ચંદ્રગ્રહણ છે. જે ભારતમાં* દેખાવાનું નથી અને પાળવાનું પણ નથી પણ ઉપાસકો સાધકો માટે જાપ માટેનો સમય સાંજે 8.00 થી 11.14 મિનિટ સુધીનો રહેશે રાતે 8 વાગે સ્પર્શ અને 11.14 મોક્ષ થશે જેની ખાસ નોંધ લેવી આ ગ્રહણ ધનુ રાશિ પૂ.ષા નક્ષત્રમાં થશે
************
*PSI શ્વેતા જાડેજાના 3 દિવસના રિમાન્ડ મંજૂર*
મહિલા PSIના 35 લાખના તોડ મામલે જામજોધપુરની આંગડિયા પેઢીમાં તપાસ થશે, શ્વેતા જાડેજાના 3 દિવસના રિમાન્ડ મંજૂર શ્વેતાના સંબંધીએ પૈસા લીધાનું ખૂલ્યું શ્વેતાના કહેવાથી જામજોધપુરની આંગડિયા પેઢીને પૈસા મોકલાયા તે બાબતે ક્રાઈમ બ્રાંચે તપાસ કરતા તેના નજીકના જ એક સંબંધીએ આ પૈસા સ્વીકાર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જે ક્રાઈમ બ્રાંચને ગુનો દાખલ કરવા માટેનુ મહત્ત્વનું પરિબળ સાબિત થયું છે.
**********
*પોલીસે PSI શ્વેતા જાડેજાના રિમાન્ડ માટે કોર્ટ સમક્ષ રજૂ કરેલા મુદ્દાઓ*
મહિલા આરોપીને સાથે રાખીને તેના રહેણાંક મકાનની ઝડતી કરવી તપાસ માટે અત્યંત જરૂરી છે
મહિલા આરોપીએ સાહેદો મારફતે અન્ય આરોપીના મેળાપીપણામાં મેળવેલા 20 લાખ આરોપી પાસેથી રિકવર કરવા તપાસ માટે ખૂબ જ અગત્યના છે અને આરોપીએ આ પૈસા કોની પાસે અને ક્યાં રાખ્યા તે અંગે તપાસ કરવી જરૂરી છે.
મહિલા આરોપીના મૂળ વતન કેશોદ ખાતે તપાસ કરવી જરૂરી છે.
મહિલા આરોપીએ ગુના દરમિયાન મેળવેલી લાંચની રકમમાંથી કોઈ સ્થાવર કે જંગમ મિલકત ખરીદી છે કે કેમ?તે બાબતની તપાસ કરવી જરૂરી છે.
આ કામમાં મહિલા આરોપી પોતે એક પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતા હોય ત્યારે તે કાયદાની આંટીઘૂંટી સારી રીતે જાણતા હોય છે. જેથી વધુ સમયની જરૂર હોવાથી તેની પોલીસ કસ્ટડીની હાજરી અત્યંત જરૂરી છે.
મહિલા આરોપીએ પોતાના સગા મારફતે અગાઉ બીજા કોઈ નાણાં મેળવ્યા છે કે કેમ? તે બાબતે તપાસ કરવી જરૂરી છે.
આરોપીએ આટલી મોટી રકમ પોતાના આર્થિક લાભ માટે સાહેદો પાસેથી આંગડીયુ કરાવ્યું છે, તેના આ કાર્યમાં અન્ય કયા કયા ઈસમોની સંડોવણી છે?તેની તપાસ માટે આરોપીની હાજરી જરૂરી છે.
આરોપી અને તેમના સગા-વ્હાલાંઓની અમદાવાદ શહેર કે વતનમાં બેંક સ્ટેટમેન્ટની માહિતી એકત્ર કરવી જરૂરી છે.
આરોપીએ અગાઉ અન્ય કોઈ જગ્યાએથી આવા ગેરકાયદે આર્થિક લાભ મેળવી પોતાની રાજ્ય સેવક તરીકેની ફરજ ચૂકેલ હોય તો તે તપાસ પણ કરવી જરૂરી છે.
***********
*ખટોદરા પોલીસના દિગ્વિજયસિંહ મસાણીની ધરપકડ*
સુરત. 9 મહિના પહેલા ખટોદરા પોલીસના લાંચીયા પોલીસકર્મી દિગ્વિજયસિંહે તેના રિક્ષાચાલક ઈમરાન મારફતે 15 હજારની લાંચ માંગી હતી. ACBએ પોલીસ સ્ટેશનની બહાર 20મી ઓકટોબરે છટકું ગોઠવ્યું હતું. જો કે, આ વાતની ગંધ આવી જતા બંને ભાગી ગયા હતા. પોલીસકર્મી અને ચાલકનો વીડિયો અને ઓડિયો રેકોર્ડિંગના આધારે ACBએ 29મી ડિસેમ્બરે ગુનો નોંધ્યો હતો.હાલ બન્ને આરોપીઓને ડોક્યુમેન્ટના આધારે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
**********
*રાજ્યના મોટાભાગના PSIની અલગ અલગ શહેરોમાં બદલીઓ*
રાજ્યના 51 PSI અને 20 PIની રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ બદલી કરી છે. અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI એમ.એમ જાડેજાની કચ્છ પૂર્વમાં બદલી કરવામાં આવી છે. અમદાવાદમાં નવા 5 PI મુકવામાં આવ્યા છે. અમદાવાદ વડોદરા, સુરતમાં મોટાભાગના PSIની અલગ અલગ શહેરોમાં બદલી કરવામાં આવી છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ(LCB), ઇન્ટેલિજન્સ અને સીઆઈડી ક્રાઈમ જેવી એજન્સીઓમાં ફરજ બજાવતા PIની હવે પોલીસ સ્ટેશનમાં નિમણુંક કરવામાં આવી છે.
**********
*પાટણ યુનિવર્સિટીમાં જુનિયર કલાર્કની ભરતી પ્રક્રિયા*
પાટણ: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ કુલ 42 જુનિયર કલાર્કની ભરતીમાં 8 પસંદગી પામેલા ઉમેદવારો મેરીટમાં આવ્યા બાદ પણ હાજર ન થતા તેમની ખાલી પડી રહેલ જગ્યાઓ માટે વેઈટીંગ લિસ્ટમાં આવેલા 8 ઉમેદવારોને નિમણુંક આપવામાં આવી છે. અને હાલમાં તમામ નવીન કર્મચારીઓને યુનિની વહીવટી કામગીરી માટે તાલીમ આપવાની શરૂ કરાઈ છે
************
*રૂપાણીની સુરતીઓને સીધી ધમકી*
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતાં ગુજરાતના મુખ્યમંત્રી સુરત આવતાં ફરીથીલોક ડાઉનની અફવા ચાલી હતી તેનું મુખ્યમંત્રીએ ખંડન કર્યું હતું. તેઓએ કહ્યું હતું કે, લોકડાઉન નહી આવે પરંતુ જે વિસ્તારમાં કેસ વધશે તે વિસ્તારમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ કરવામાં આવશે. આ ઉપરાંત હીરા અને કાપડ ઉદ્યોગમાં કેસનું પ્રમાણ વધી રહ્યું છે જો તકેદારી રાખવામાં નહી આવે અને નિયમોનં પાલન ન થાય તો ફેક્ટરી અને બજાર બંધ કરાવી દેવામાં આવશે.
*********
*બેદરકારી: મુખ્યમંત્રીના સુરત આગમન પૂર્વે જ સ્મીમેરમાં 2 દર્દીને ઓક્સિજન ન મળતાં બંનેના એકસાથે મોત*
*******
*સુરતની સૂરત બદલવા 100 કરોડની ફાળવણી*
૨૦૦ વેન્ટિલેટર સુરતમાં જુદી જુદી હોસ્પિટલોમાં મુકવામાં આવશે ફરજિયાત માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન જરૂરી દર્દીઓને મોબાઈલ સાથે રાખવાની છૂટ આપવામાં આવીકોઇપણ વ્યક્તિ 104 નંબર પર ફોન કરે તો 2 કલાકની અંદર ડોક્ટર સાથે એમ્બ્યુલન્સ પહોંચી જશેસુરતની મુલાકાતે ગયેલા સીએમ રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી તેમણે જણાવ્યુ કે સુરતમાં કોરોનાના કેસની સંખ્યા વધી છે પરંતુ જુન માસમાં કોરોનાનું સક્રમણ રોકવામાં આપણને સફળતા મળી છે અધિકારીઓની ટીમ ત્રણ દિવસથી સુરતમાં કોરોનાના કેસની સમીક્ષા કરી છે ધારાસભ્ય અને સાંસદસહિત અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી છે સુરતમાં ધનવંતરી રથ શરૂ કરવામાં આવશે.
*********
*ગુજરાત હાઇકોર્ટમાં 6 કર્મચારીઓ પોઝિટિવ*
અમદાવાદમાં કોરોના કહેર વધી રહ્યો છે. પોલીસ અને ડોક્ટરો બાદ હવે કોરોનાએ હાઈકોર્ટમાં પ્રવેશ કર્યો છે. જેની ઝપેટમાં હવે હાઈકોર્ટના કર્મચારીઓ પણ આવી ગયા છે. હાઇકોર્ટ સંકુલમાં કામ કરતા ક્લેરીકલ વિભાગના 06 થી વધુ કર્મીઓ આવ્યો કોરોના પોઝેટીવ આવતા ફફડાટ ફેલાયો છે. આ કર્મચારીઓને લક્ષણો દેખાતા કોર્પોરેશનની ટિમને બોલાવી ટેસ્ટ કરાવ્યા હતા. જેમા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
***********
*સોમવારથી ગુજરાત હાઇકોર્ટની તમામ 27 કોર્ટ શરૂ થશે*
અમદાવાદ. ગુજરાત હાઇકોર્ટના જયુડિશ્યલ રજિસ્ટ્રાર વિભાગના સ્ટાફમાં કોરોના પોજીટીવ આવતા કોર્ટની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસે 29 જૂનનાં સરકયુલરને રદ કરીને સોમવારથી તમામ 27 કોર્ટને ફરીથી શરૂ કરવા આદેશ કર્યો છે. સોમવારથી વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ અરજન્ટ સુનાવણી હાથ ધરાશે.
***********
*મોદી સ્કૂલને 2 લાખનો દંડ*
રાજકોટની મોદી સ્કૂલને 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સરકારની સૂચનાનું પાલન ન કરતા હોવાથી કાર્યવાહી કરવામાં આવી હતી. ફીની ઉઘરાણીને લઈને દંડ ફટકારવામાં આવ્યો હતો. વર્ષ 2014ના ઠરાવની જોગવાઇ મુજબ દંડ ફટકારવામાં આવ્યો હતો. મોદી સ્કૂલના 13 વર્ગો બંધ કરવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણધિકારીએ કાર્યવાહી કરી હતી.
**********
*પેટાચૂંટણીને લઈવે મળેલી કોંગ્રેસની બેઠકમાં પ્રભારી રાજીવ સાતવે આપી સૂચના*
આગામી પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પ્રભારીની બેઠક મળી. કોંગ્રેસના તમામ 8 નિરિક્ષકોની પ્રભારી સાથે બેઠક મળી બેઠકમાં પ્રભારી રાજીવ સાતવે એક પણ ઉમેદવાર કોઈની ભલામણ ન કરે તેવી 8 નિરિક્ષકોને કડક સુચના આપી છે. અને સ્થાનિક સંગઠનની બહુમતીથી જ ઉમેદવાર નક્કી કરવાના નિર્દેશ આપ્યાં છે
**********
*જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જગદીશ પટેલને પદેથી હટાવાયા*
બારડોલી. સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ સંગઠનના પ્રમુખ જગદીશભાઈ પટેલ છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં સપડાયેલા રહેતા હતા કદાવર યુવા નેતાઓને યેનકેન પ્રકારે કોઈક ના ઈશારે કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરતા હોવાની ફરિયાદો ઊઠી છે ત્યારે બારડોલી વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખની માંગને ધ્યાને લઇ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ તાત્કાલિક અસરથી જગદીશભાઈ પટેલ ને પદ પરથી હટાવ્યા છે
********
*ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિત ધારણ કરી શકે છે કેસરિયો*
રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિત કેસરિયો ધારણ કરી શકે છે. રાજ્યમાં પેટાચૂંટણી આવી રહી છે. તેવા સમયે આહવામાં આવેલા સર્કિટ હાઉસમાં ડાંગ બેઠક પર ચૂંટણી ઈન્ચાર્જ ગણપત વસાવા સાથે મંગળ ગાવિતે બેઠક કરી છે. જેમા ધારાસભ્ય પૂર્ણેશ મોદી, સાંસદ કેસી પટેલ અને ભાજપન હોદ્દેદારો હાજર રહ્યા
********
*વિધાનસભાની પેટાચૂંટણીની તૈયારી: પંચે કોરોના રિપોર્ટ માગ્યો*
અમદાવાદ: ગુજરાત વિધાન-સભાની તાજેતરમાં ખાલી થયેલી આઠ વિધાનસભાની પેટાચૂંટણી સપ્ટેમ્બરમાં યોજવા માટે જુલાઇમાં તૈયારીઓ પૂર્ણ કરી જુલાઈના અંતમાં જ જાહેરનામું બહાર પાડવામાં આવી શકે છે, જોકે કોરોનાને કારણે મતદાન બૂથ બમણા કરીને ડિસ્ટન્સિગ સાથે ચૂંટણી યોજવામાં આવે તેવી શક્યતા છે. જેને પગલે ચૂંટણીપંચ દ્વારા ગુજરાતના આરોગ્ય વિભાગ પાસેથી કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગેનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
*********
*ઑગસ્ટમાં લૉન્ચ થશે વેક્સીન?*
આવતા મહિને 15 ઑગસ્ટના એટલે કે સ્વતંત્રતા દિવસે લૉન્ચ થઈ શકે છે. આ માટે ભારતીય વૈજ્ઞાનિકોએ પોતાની તૈયારીઓમાં ગતિ વધારી દીધી છે. ક્લીનિકલ ટ્રાયલમાં પણ ઝડપ વધારી છે.15 ઑગસ્ટના લૉન્ચની તૈયારીઓ માટે વધારી ગતિ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના પ્રમુખ ડૉ. બલરામ ભાર્ગવે દેશના બધી પ્રમુખ મેડિકલ કૉલેજને પત્ર લખીને કહ્યું કે ભારત બાયોટેક સાથે ભાગીદારી હેઠળ નવો કોરોના વેક્સીનનો ટીકો તૈયાર કરવામાં આવી રહ્યો છે. BBV152 COVID Vaccine નામે તૈયાર આ વેક્સીનને 15 ઑગસ્ટના લૉન્ચ કરવાની યોજના છે
*********
*કોરોનાની વૅક્સિનની જરૂર જ નહીં પડે: ઑક્સફર્ડ પ્રૉફેસર*
પ્રોફેસર ગુપ્તાએ જણાવ્યું હતું.તેમના અભિપ્રાય અનુસાર કોરોના વાઇરસ મહામારીનો સ્વાભાવિક રીતે જ અંત આવશે ચીનના વુહાનના ડોક્ટરો ઓક્સફર્ડ યુનિવર્સિટીનાં પ્રોફેસર તથા એપિડેમિઓલોજિસ્ટ સુનેત્રા ગુપ્તાને કોવિડ-19 મહામારી સામેના પગલાં સ્વરૂપે લૉકડાઉન વિરુદ્ધ તેમણે કરેલી દલીલ બદલ પ્રોફેસર રિઓપન તરીકે ટેગ કરવામાં આવ્યાં છે. તેમણે શા માટે મોટાભાગના લોકોને કોવિડ-19ની રસીની જરૂર નહીં પડે અને કેવી રીતે લૉકડાઉન એ કોરોનાના વ્યાપને અટકાવવા માટેનો લાંબાગાળાનો ઉકેલ નથી, તે સમજાવ્યું હતું. આપણે જોયું છે
*********
*વેક્સીનને માનવ પરીક્ષણ માટેની મંજૂરી મળી*
ગાંધીનગર: ગુજરાતની જાણીતી દવા ઉત્પાદક કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી કોરોના વાઈરસની રસીને માનવ પરીક્ષણ માટે મંજૂરી આપવામાં આવી છે. આ ફાર્મા સ્યૂટીકલ કંપની દ્વારા ઇનહાઉસ રસી તૈયાર કર્યા બાદ તેને માનવ પરીક્ષણ માટે મંજૂરી આપવામાં આવી છે.
**************
*બગસરાનો ઉદ્યોગ મરણપથારીયે*
બગસરાનું આરી ભરત વર્ખ ખ્યાતનામ છે. આ ઉદ્યોગ અનેક કારીગરોને રોજીરોટી પૂરી પાડતો વ્યવસાય છે. પરંતુ કોરોનાની મહામારી બાદ આ ઉદ્યોગ જાણે પડી ભાંગ્યો છે કારીગરોની આવકનુ આ સાધન જાણે બંધ થઈ ગયું છે. આરી ભરતા કામ માટે બહારના વેપારીઓ બગસરા આવતા. પરંતુ હવે બહારથી આવતું કામ બંધ થઇ ગયું છે. જેથી કરીને આરી ભરતના કારીગરો કામ વિહોણા જોવા મળી રહ્યા છે.
*********
*એનએસયુઆઈના કાર્યકરોએ 6 મહિનાની ફી માફીની માગ*
રાજકોટમાં એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત ફી મુદ્દે એનએસયુઆઈ દ્વારા ડીઈઓ કચેરીએ હોબાળો કર્યો. ખાનગી શાળામાં ફી માફ કરવા એનએસયુઆઈ દ્વારા માગ કરવામાં આવી રહી છે. ત્યારે વિરોધ પ્રદર્શન દરમ્યાન પોલીસે એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી હતી. એનએસયુઆઈના કાર્યકરોએ 6 મહિનાની ફી માફીની માગ કરી છે. વિરોધ પ્રદર્શનના કારણે ડીઈઓ કચેરીએ પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો
***********
*રાજકોટમાં ઘરનું લાઇટ બિલ આવ્યું ૯ લાખ રૂપિયા*
પીજીવીસીએલના છબરડા સામે આવ્યા છે શહેરના એક રહિસને 9 લાખનું વીજ બિલ ફટકારવામાં આવ્યું હતું. જો કે આ અંગેનો અહેવાલ મીડિયામાં રજૂ થતા પોતાની ભૂલ સુધારી હતી અને વીજ બિલમાં સુધારો કર્યો હતો રહિસના બિલને 9 લાખથી ઘટાડીને 7 હજારનું રૂપિયાનું કરવામાં આવ્યું છે માત્ર બે બેડરૂમવાળો ફ્લેટ ધરાવતાને ત્યાં 9 લાખનું વીજ બિલ ફટકારવામાં આવ્યું હતું
**********
*ટેકનિકલ-પ્રોફેશનલ અભ્યાસક્રમનું બદલાશે સત્ર?*
કેન્દ્ર સરકારે જેઈઈ મેઈન અને નીટ સહિતની તમામ રાષ્ટ્રીય પરીક્ષાઓ હવે સપ્ટેમ્બર સુધી પાછી ઠેલતા ઈજનેરી-મેડિકલ સહિતના ટેકનિકલ-પ્રોફેશનલ કોર્સીસના પ્રવેશ ઓક્ટોબરમાં જ થઈ શકશે અને આ વર્ષે નવુ શૈક્ષણિક સત્ર દિવાળી બાદ નવેમ્બર-ડિસેમ્બરમાં કરવુ પડશે. ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા એવી પણ વિચારણા ચાલી રહી છે
**********
*સુરત-ભાગલપુર મુઝફ્ફરપુર ઉધના દાનાપુર ટ્રેન શરૂ થશે*
રેલવે વધુ 90 ટ્રેનો દોડાવવા જઈ રહ્યું છે. આ ટ્રેનોમાં કેટલીક ટ્રેનો સુરત અને ઉધનાની પણ છે રેલવે બોર્ડ દ્વારા સુરત-ભાગલપુર સુરત મુઝફ્ફરપુર,ઉધનાદાનપુર વલસાડ મુઝફ્ફરપુર અને વલસાડ ઉદ્યોગકર્મી ટ્રેનને પણ સ્પેશ્યલ ટ્રેન બનાવી દોડવાનો નિર્ણય લેવાયો છે.શ્રમિકોને વતન મોકલવા શ્રમિક ટ્રેનો દોડાવાઈ હતી બાદમાં કોવિડ સ્પેશ્યલ ટ્રેનોનું સંચાલન શરૂ થયું અને એ ટ્રેનોમાં પણ હવે તત્કાલ ટિકિટ પર મુસાફરી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આવનારા દિવસોમાં નવી ટ્રેનો પણ સ્પેશ્યલ ટ્રેનોની ગાઈડલાઈન મુજબ દોડાવાશે.
*********
*બીકોમ અને બીબીએના ઓનલાઇન ફોર્મ ભરી શકાશે*
સુરત વીએનએસજીયુની બીકોમ અને બીબીએની કોલેજમાં પહેલાં વર્ષમાં પ્રવેશ લેવા ઓન લાઇન ફોર્મ ભરી શકાશે.તે સાથે બીકોમ એલએલબી, બીઆરએસ બીએ એચઆરડી જેવા પાંચ વર્ષીય ઇન્ટીગ્રેડ કોર્સના પણ પ્રવેશ શરૂ થશે. યુનિવર્સિટીથી મળેલી માહિતી મુજબ સોફ્ટવેરમાં ખામી જણાતા પહેલીની જગ્યા બીજી જુલાઈથી પ્રવેશ કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો
*********
*હિન્દુ આસ્થાઓનું અપમાન કરવાના અરોપસર બેની ધરપકડ*
રાજકોટ/વેરાવળ:લોકો ટિક-ટૉક પર પોતાના ડાન્સના વીડિયો બનાવીને સમય પસાર કરતા હતો. પણ ગુજરાતના રાજકોટ શહેરના બે યુવકોએ તો બધી હદ્દ પાર કરી દીધી છે. રાજકોટના બે યુવકોએ વીડિયો બનાવવા માટે મંદિરની મૂર્તિઓ સાથે તોડ-ફોડ કરી છે. હિન્દુ આસ્થાઓનું અપમાન કરવાના અરોપસર આ બન્ને યુવકોની ધરપકડ કરવામાં આવી છે. જાણકારી મુજબ રાજકોટના શાપર-વેરાવળની સર્વોદય સોસાયટીની નજીક એક શિવ મંદિરમાં નંદીની પ્રતિમાને લાત મારીને તોડી દીધી. બાદ શિવ લિંગના ગર્ભગૃહના પ્રવેશદ્વારને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ પણ કર્યો હતો
**********
*જિલ્લા પંચાયત મુખ્ય આરોગ્ય અધિકારીને પદભ્રષ્ટ કરવા રજૂઆત*
અમદાવાદમાં ગ્રામ્યમાં દિવસે દિવસે કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યું છે. ત્યારે આ મહામારીમાં આરોગ્યના કર્મચારીઓ દિવસ રાત કામ કરી રહ્યા છે, અમદાવાદ જિલ્લા આરોગ્ય શાખાના ચેરમેન જગદીશ મેનિયાએ રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે.
********
*કોરોનિલ અંગે લોકોને ગેરમાર્ગે ન દોરો: પતંજલીને ચેતવણી*
મુંબઈ: યોગગુરુ રામદેવની પતંજલી આયુર્વેદ લિ. દ્વારા નિર્મિત કોરોનિલથી કોવિડ-૧૯ મટાડતો નથી, એમ જણાવતાં રાજ્યના એફડીએ અન્ન અને ઔષધ ખાતાના પ્રધાન રાજેન્દ્ર શિંગણેએ પતંજલીને એવી ચેતવણી આપી છે કે જો કંપની લોકોને આ દવાને લઈને લોકોને ગુંચવી નાખતો દાવો કરીને દવા વેંચશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
*********
વાંચકે મોકલેલ કવિતાઓ.
*સૌ નાવ કેવળ આજ કાગળમાં તરે*
*ટહુકા દફન જો માણસે મૃદુ કર્યા*
*સૌ તે પછી આક્રંદ ડાળીઓ કરે*
*ઝુલ્ફો જ લહેરાતી જરા મેં જોઈ તો*
*બંને નયન આજે ધજા થઈ ફરફરે*
*જો વાદળોનો તાજ પહેરી નીકળે*
*પર્જન્યનાં તો માનમાં ફૂલો ઝરે.*
*ટહુકા કરે જો પાદરે કો મોર તો*
*મસ્તી લતાને પણ ચડે મારાં ઘરે.*
*વિરલ વ્યાસ. બારડોલી*
***********
*નિભાવું છું*
મધમાં ઝબોળી પાન હું તો લીમડાનાં ખાઉં છું,
કૈં એ રીતે હું સગપણો સઘળાં હવે નિભાવું છું.
આ ઉંબરો, શેરી વળોટી કોણ જાણે ક્યાં ગયો ?
કે સ્તંભવત આ પગ મળ્યાની વાતથી મુંઝાઉં છું.
થોભો જરા, મેં જાળ નાંખી છે નીંદરના ગામમાં;
બસ એક પળમાં સ્વપ્ન સઘળાં, આજ પકડી લાવું છું.
જેઓ ઘણાં તત્પર રહેતાં વાત કરવાને સદા,
બોલી શક્યાં ના એટલું એ કે ‘હવે હું જાઉં છું’.
શું એટલે આ પાનખર મનને ‘સપન’ ગમતી હશે ?
એવી જ કૈં ગેબી અસરથી ભીતરે પીડાઉં છું.
*સપન પાઠક*
*25, જનતાનગર*
*બારડોલી*
**********