
દુકાનદાર શંભુભાઈ પટેલના જણાવ્યા અનુસાર, ગઈ મોડી રાત્રે કોઈ અજાણ્યા વ્યક્તિઓએ દુકાનનું તાળું તોડ્યું હતું. પરંતુ શટર ઊંચું ન થતા અને સ્થાનિકો જાગી જતા ચોરો ભાગી ગયા હતા. આ ઘટનાની જાણ થતા અમો તુરંત દુકાને પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસની હાજરીમાં જ દુકાનમાં રહેલો માલ સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યો હતો.આ મામલે વાડજ પોલીસનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, દુકાનદારે માલસામાનની ચોરી ન થઇ હોવાથી ફરિયાદ કરવાનો ઇન્કાર કરી દેતા ફરિયાદ નોંધવામાં આવી નથી.
