અમદાવાદ: અમદાવાદ ના અસારવા ઝોન ના ઝુપડપટ્ટી મા રહેતા પરિવારો ને વીસ વષઁ બાદ બારકોડ વાળા રેશનકાડઁ મળ્યા છે.: અમદાવાદના અસારવા ઝોન મા આવતા ચામુંડા રેલવે ઓવરબિજ ની નીચે વસતા શ્રમજીવી પરિવારો ના ઝુપડા ઓમા રહેતા નાગરિકો ને વીસ વષઁ મા પહેલી વાર નવા બારકોડ રેશનકાડઁ બનાવી આપવામા આવ્યા.અમદાવાદ શહેર ના મદદનીશ પુરવઠા નિયામક ડાઁ. રવિન્દ્ર સોલંકી અને ઝોનલ ઓફિસર રોનક મોદી અને વિચરતા સમુદાય સમથઁન મંચ ના સંયુક્ત ઉપક્રમે આજે બે દાયકા ઓ બાદ તેઓ ને રેશનકાડઁ અને NFSA યોજના હેઠળ સમાવેશ કરી ને તેઓ ને અનાજ મળી રહે તે માટે નો કેમ્પ આજે ૨૪ માચઁ ના ગુરુવારે દિવસ દરમ્યાન યોજાયો હતો.આશરે ૬૦ થી વધુ ઝુપડા વાળા નાગરિકો ને ઘર આંગણે જ બારકોડ રેશનકાડઁ ઓ આપવામા આવ્યા જેથી તેમના મૉ પર આનંદ જોવા મળ્યો હતો. હવે આ અનાજનો જથ્થો બરોબર સગેવગે ના થઇ તેમના સુધી પહોંચશે તેવી આશા ઉજળી બની છે.
Related Posts
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગ ના અમદાવાદ શહેર મા રેશનકાડઁ ધારકો ઓનલાઈન રેશનકાડઁ ની તમામ કામગીરી ઘરે બેઠા કરી શકસે.
અમદાવાદ શહેરના નાગરિકો હવે પાસપોર્ટ કચેરી ની જેમ રેશનકાડઁ ની કામગીરી માટે નક્કી કરી ને મેળવેલ સમય અને તારીખે રેશનકાડઁ…
સલમાન ખાનની હત્યા કરવાના ષડયંત્રનો થયો ખુલાસો*
ફિલ્મ અભિનેતા સલમાન ખાનની હત્યાનું કાવતરું ઘડનારા બદમાશોને ફરીદાબાદ પોલીસે ઝડપી પાડ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ફરીદાબાદના એસજીએમ નગરમાં સરકારી…
વાગરાના વહિયાલ-કોઠીયા વચ્ચે ટ્રેકટર પલ્ટી ખાતા એકનું મોત નીપજ્યું..
વાગરાના વહિયાલ-કોઠીયા વચ્ચે ટ્રેકટર પલ્ટી ખાતા એકનું મોત નીપજ્યું.. સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રેકટર રોડની સાઈડમાં કાંસમાં ખબાક્યું.. …
