જામનગર: વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ દ્વારા 23 માર્ચ બલિદાન દિવસ નિમિત્તે હવાઈ ચોક ખાતે શહીદ ભગતસિંહની પ્રતિમાને પૂજન અને પુષ્પાંજલિ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના જામનગર જિલ્લાના અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક રવિરાજસિંહ જાડેજા, મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, સહમંત્રી રવિન્દ્રભાઈ કુંભારાણા, કોષાધ્યક્ષ સુબ્રમણ્યમભાઈ પિલ્લે, વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી, ગૌરક્ષા વિભાગના સંયોજક ધર્મેન્દ્રસિંહ વાળા, વિશ્વ હિન્દુ પરિષદ જામનગર ગ્રામ્ય ના મંત્રી પ્રીતમસિંહ વાળા, બજરંગ દળના જિલ્લા સહ સંયોજક વિશાલભાઈ હરવરા, વિજયભાઈ બાબરીયા, વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ વિભાગના જિલ્લા સંયોજિકા હીનાબેન અગ્રાવત, પ્રફુલાબેન અગ્રાવત, દુર્ગાવાહિનીના જિલ્લા સંયોજિકા કૃપાબેન લાલ, આરતીબેન ઠાકુર સહિતના અગ્રણી હોદ્દેદારો અને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ માતૃશક્તિ દુર્ગાવાહિનીના કાર્યકરોએ શહીદ ભગતસિંહ ની પ્રતિમા સમક્ષ જઇને પુષ્પવૃષ્ટિ કરી જયઘોશ કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. અને બલિદાન દિવસ નિમિત્તે દેશ કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર દેશભક્તોને યાદ કર્યા હતા.
Related Posts
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 485
બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 485 રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 256852 ગુજરાતમાં છેલ્લા 24…
અમદાવાદના નરોડા હંસપુરા સ્મશાન તોડવા આવતા સ્થાનિકો દવારા કરવામાં આવ્યો વિરોધ.
અમદાવાદના નરોડા હંસપુરા સ્મશાન તોડવા આવતા સ્થાનિકો દવારા કરવામાં આવ્યો વિરોધ.વિરોધના પગલે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત.એ.એમ.સી દ્વારા કોઈપણ જાતની નોટિસ નહીં…
*કહેવાતા 9 પત્રકાર ટોળકીનો કલ્પેશ પટેલ ઝડપાયો મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી ઉઘરાણી કરતા હતા*
હાલોલ આનંદપુરા ગામ નજીક આવેલ કુબેર ફ્લોર એન્ડ ફૂડ પ્રોડક્ટ કંપનીમાં જઈ કહેવાતા પત્રકારના નવ જેટલા સભ્યોની ટોળકી કંપની માલિકને…
