*જામનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્યપર્વની ઊજવણી કરવામાં આવશે. પ્રવાસનમંત્રી જવાહરભાઇ ચાવડા ત્રિરંગાને સલામી આપશે*
જામનગર: જામનગરના જિલ્લાકક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પોલીસ હેડક્વાર્ટર શરૂ સેકશન રોડ ખાતે આવેલ પરેડ ગ્રાઉન્ડમાં સવારે ૯ કલાકે યોજાશે. આ પ્રસંગે પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા ત્રિરંગાને સલામી આપશે.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે મંત્રીશ્રી રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજને સલામી આપી પરેડનું નિરિક્ષણ કરશે. આ તકે મંત્રીશ્રીના પ્રાસંગિક ઉદબોધન બાદ મંત્રીશ્રીના હસ્તે સાહસિકો, ખેલાડીઓ વગેરેને સન્માનિત કરવામાં આવશે. ૭૫માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મંત્રીશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે.
જામનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્યપર્વની ઊજવણી કરવામાં આવશે
