બ્રેકીંગ ન્યૂઝ નર્મદા
કેવડીયાની આસપાસના છ ગામો પૈકીનું વાગડીયા ગામના ગ્રામજનોનો વિરોધ
છ ગામના લોકો માટે ગોરા ગામ પાસે નિર્માણ કરેલ આદર્શ
નગરમા જવા 95% આદિવાસી પરિવારોની અસહમતી સાથે વિરોધ પ્રગટ કર્યો.
એક મકાનમાં બે ભાગ પાડીને બેપરિવારોનો સમાવેશ કરવામાં આવે છે. તેમજ પશુઓ બાંધવાની તથા ચરાવવાની કોઈ સુવિધા
નથી.!
વાગડીયા ગ્રામ પંચાયતના સરપંચે સોસીયલ મીડિયામાં પત્ર દ્વારાપાઠવ્યો આક્રોશ
કેવડીયાની આસપાસના છ ગામો પૈકીનું વાગડીયા ગામની જમીન૧૦૦% સંપાદન અંગે વાગડીયા
ગામના ગ્રામજનો વતી આર.ટી.આઈ. હેઠળની માહિતીઆપવામાં તંત્ર ના ઠાગા થૈયા
૯૫% આદિવાસી પરિવારો
આદર્શ નગરમાં જવા માટે દર્શાવી અસહમતિ
આદિવાસીઓએ સરદાર સરોવર નર્મદા નિ.લિ. ની ઓફર સ્વીકારવાના દાવાનો
કર્યો ઇન્કાર
રાજપીપલા, તા 3
કેવડીયાની આસપાસના છ ગામો પૈકીનું વાગડીયા ગામની જમીન
૧૦૦% સંપાદન અંગે વાગડીયા
ગામના ગ્રામજનો વતી આર.ટી.આઈ. હેઠળની માહિતીઆપવામાં તંત્ર ના ઠાગા થૈયા
કરી રહ્યું હોઈ ઉપરાંત
છ ગામના લોકો માટે ગોરા ગામ પાસે નિર્માણ કરેલ આદર્શ
નગરમા જવા 95% આદિવાસી પરિવારોની અસહમતી સાથે વાગડીયા ગામના ગ્રામ જનોએ વિરોધ પ્રગટ કર્યો છે. જેમાં વાગડીયા ગ્રામ પંચાયતના સરપંચ વિનુભાઈ વિઠ્ઠલભાઈએ સોસીયલ મીડિયામાં પત્ર દ્વારા પોતાનો આક્રોશ થાલવ્યો છે. જેમાં જણાવ્યું છે કે
ગુજરાત સરકાર (સરદાર સરોવર નર્મદા નિગમ લિ.) દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના
સ્ટેયુની રચના કરીને સમગ્ર દેશની પ્રજામાં એકતા છે તેવો મેસેજ સમગ્ર વિશ્વમાં પ્રસ્થાપિત
કરવા જાય છે ત્યારે કેવડીયા કોલોનીની આસપાસમાં આવેલ ગામોના રહીશો આદિવાસી
સમાજના હોય તેઓ પોતાનું ભરણ પોષણ ખેતી તથા જંગલ વિસ્તારમાં આવેલ કેટલીક
ઔષધિઓ વેચીને જીવન ગુજારતા હોય તે સમયે આ તમામ પ્રાકૃતિક સંપદા જેવા કે જળ-
જગંલ જમીન છીનવીને આદિવાસી પ્રજા વિરૂધ્ધ જે નિર્ણય શાસનકર્તાઓ કરી રહેલ છે જેમા
સમસ્ત ગ્રામજનો ખુબ જ મોટો આક્રોશ છે.
જેના ભાગરૂપે આ કેવડીયાની આસપાસના છ ગામો પૈકીનું વાગડીયા ગામની જમીન
૧૦૦% સંપાદન કરવામાં આવેલ છે તેવો સરદાર સરોવર નર્મદા નિગમ લિ. નો દાવો છે. આજમીન સંપાદનની કાર્યવાહી સને ૧૯૬૧-૬૨ કરવામાં આવેલ તેમ જણાવે છે પરંતુ વાગડીયા
ગામના ગ્રામજનો વતી આર.ટી.આઈ. હેઠળની માહિતી માંગતા આ જમીન સંપાદન કરવાની
કાર્યવાહી કયારે શરૂ કરવામાં આવી?, કયારે પૂર્ણ કરવામાં આવી? તથા જમીન માલિકોને તેનુવળતર કયારે ચુકવવામાં આવ્યુ? તેવી માહિતી આ આદિવાસી સમાજને આપવામાં આવતી
નથી. આ બાબતે અગાઉ પણ ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા ને
તા.૦૬/૦૪/૨૦૨૧ ના રોજ લેખિત રજુઆત કરવામાં આવેલ પણ તેનો આજદિન સુધી
પ્રત્યુતર મળેલ નથી તેમજ સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા રજુ કરેલ પેકેજ સ્વીકારવાનીસંમતિ આપવામાં આવશે તો જ રોજગારી પુરી પાડવામાં આવશે તેમ મૌખિક જણાવેલ જે
કુટુંબોએ સંમતિ આપેલ નથી તેવા મુળ ખાતેદારોના વારસદારો રોજગારીથી વંચિત છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લિ. તરફથી છ ગામના લોકો માટે ગોરા ગામ પાસે આદર્શ
નગરનું નિર્માણ કરવામાં આવેલ છે જેમાં નગર નિયોજનના કાયદા હેઠળ ૧૨૫ ચો.મી. ના
પ્લોટમાં મકાનનું બાંધકામ કરી આપવામાં આવે છે તેમાં એક મકાનમાં બે ભાગ પાડીને બે
પરિવારોનો સમાવેશ કરવામાં આવે છે. તેમજ પશુઓ બાંધવાની તથા ચરાવવાની કોઈ સુવિધા
ઉભી કરવામાં આવેલ નથી. આમ અમારા ગામનો આદિવાસી સમાજ પ્રકૃતિ તથા પશુપાલન
સાથે સંકળાયેલ હોય જેથી આદર્શ નગરમાં જવા માટે સહમત નથી.
હમણા હાલમાં વાગડીયા ગામમાંથી એક જ ખાતેદારના પરિવારે આ પેકેજ સ્વીકારેલ છે.
જેઓ પશુપાલન સાથે સંકળાયેલ નથી તેઓ એજ આદર્શ નગરમાં જવા સમંતિ આપેલ છે.
બાકી વાગડીયા ૯૫% આદિવાસી પરિવારો જળ-જગંલ જમીન અને પ્રકૃતિ સાથે સંકળાયેલ
પશુ પાલન કરતો સમાજ આજે પણ આદર્શ નગરમાં જવા સહમત નથી અને જયા સુધીઆદિવાસીઓની જમીન સંપાદન કર્યાના પુરાવા રજુ કરવામાં નહિ આવે ત્યા સુધી પોતાની
વડીલો પાર્જિત જમીનો પરનો કબજો આદિવાસીઓ છોડશે નહિ માટે પોતાની જમીનો માટે
લડતાઆદિવાસીઓએ સરદાર સરોવર નર્મદા નિ.લિ. ની ઓફર સ્વીકારવા માડી છે તેવા
દાવાને નકારવામાં આવે છે.
આથીઆ અંગે સમસ્ત આદિવાસી સમાજ તથા જાહેર જનતાને વાસ્તવિકતા જાણ થાય માટે પત્ર દ્વારા સોસીયલ મીડિયા વોર શરૂ કરતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા
કેવડીયાની આસપાસના છ ગામો પૈકીનું વાગડીયા ગામના ગ્રામજનોનો વિરોધ
