તિલકવાડા ત્રણ રસ્તા પાસે હોમ ક્વોરન્ટાઇન હોવા છતાં જાહેરમાં ગલ્લો ખોલી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો.

તિલકવાડા ત્રણ રસ્તા પાસે હોમ ક્વોરન્ટાઇન હોવા છતાં જાહેરમાં ગલ્લો ખોલી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો.
રાજપીપળા,તા.12
નર્મદામાં હાલ કોરોનાના કેસો વધી રહ્યા છે.મૃત્યુ ના આંકડા પણ વધી રહ્યા છે. ત્યારે કોરોના સંક્રમિત થયેલા પોઝિટિવ દર્દીઓ હોમ ક્વોરન્ટાઇન થયા હોવા છતાં પોલીસ અને લોકોની નજર ચુકાવીને બહાર ફરી આવતા હોય છે. આવા લોકોને કોરોના ફેલાવે છે.તાજેતરમાં જ તિલકવાડા ત્રણ રસ્તા પાસે હોમ ક્વોરન્ટાઇન હોવા છતાં જાહેરમાં ગલ્લો ખોલીને દુકાન ચલાવતા જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં એક ઝડપાતા પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે તિલકવાડા પોલીસ મથકમાં જેમાં ફરિયાદી ડો. સુબોધકુમાર. કે.કુમાર આરોગ્ય પ્રાથમિક કેન્દ્ર તિલકવાડા એ આરોપી ઉસ્માનખા મનનવરખા મલેક (રહે,તિલકવાડા,નીચલું ફળિયા) સામે ફરિયાદ દાખલ કરી છે.જેમાં ફરિયાદની વિગત મુજબ આરોપી ઉસ્માન કોરોના સંક્રમિત હોય હોમ ક્વોરન્ટાઇન રહેવા જણાવેલું હોય તેમ જ હતા ઘરની બહાર નીકળી જાહેરમાં ગલ્લો ખોલી કોવીડ 19 નો સંક્રમણથી ફેલાય તેવું કૃત્ય કરતાં મળી આવતા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરી તેમની સામે તિલકવાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા