નાંદોદ તાલુકાના પ્રતાપપુરા ગામે મિત્રને આપેલા 71 હજાર રૂપિયા પરત ન કરતાં ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્રણ ઈસમો સામે ફરિયાદ.

રાજપીપળા,તા. 2
નાંદોદ તાલુકાના પ્રતાપપુરા ગામે મિત્રને આપેલા 71 હજાર રૂપિયા પરત ન કરતાં ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્રણ ઈસમો સામે ફરિયાદ રાજપીપળા પોલીસ માં કરી છે જેમાં ફરિયાદી રઘુવીરસિંહ અમરસિંહ વસાવા ( રહે પ્રતાપપરા, હોળી ફળીયુ) એ આરોપી પ્રકાશભાઈ કંચનભાઈ વસાવા, ઝવેરાબેન પ્રકાશભાઈ કંચનભાઈ વસાવા, ગંગાબેન કંચનભાઈ વસાવા ત્રણેવ (રહે, પ્રતાપપુરા) પર ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી રઘુવીરસિંહ તથા પ્રકાશભાઈ નિકટના મિત્રો હોય રઘુવીરસિંહ પ્રકાશભાઈને જ્યારે જરૂર પડે ત્યારે થોડા થોડા કરીને કુલ રૂપિયા 71000 આપેલા.જે રૂપિયા ફેબ્રુઆરીમાં પ્રકાશભાઈ પાસેથી પરત માંગેલા. જે બાબતે તને શેના રૂપિયા જોઈએ છે.તેમ કહી બોલાચાલી કરી ગાડી કરેલ તેઓનો ઉપરાણું લઇ આરોપી ગંગાબેન રઘુવીરસિંહ સાથે બોલાચાલી કરી ગાળો આપી પ્રકાશભાઇએ હવે પછીથી રૂપિયા માંગીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી, ગુનો કરી એકબીજાની મદદગારી કરી કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા