રાજપીપલા અને પોઇચા ને જોડતો નર્મદા નદી પર નો પુલ એક મહિના માટે બન્ધ કરવામાં આવ્યો

વધુ સમારકામ કરવા માટે.15 /3/૨૦૨૧ થી તા. ૧૬ / ૦૪ /૨૦૨૧ સુધી સદર રસ્તો ટ્રાફીક માટે બંધ રહેશે

વડોદરા મેજીસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું.

વારંવાર પૂલ ના સમારકામ પાછળ થતો ખર્ચ અને નાણાનો બગાડ પૂલ ના તકલાદી કામની ચાડી ખાતા મુસાફર જનતામા રોષ

જેને કારણે 20 થી 30 કિલોમીટર નો ફેરવો વધુ થશે

રાજપીપળા તા 15

રાજપીપલા અને પોઇચા ને જોડતો નર્મદા નદી પરનો પૉઇચા પુલને ફરી એક મહિના માટે બંધ કરાયો છે.હવેવધુ સમારકામ કરવા માટે.15 /3/૨૦૨૧ થી તા. ૧૬ / ૦૪ /૨૦૨૧ સુધી સદર રસ્તો ટ્રાફીક માટે બંધ કરવામાં આવ્યોછે.આમ
આજથી એક માસ માટે પુલ પરથી વાહનો જઈ શકશે નહિ.આ અંગે
વડોદરા જીલ્લા મેજીસ્ટ્રેટે સત્તાવાર જાહેરનામુ બહાર પાડ્યુંછે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ 7 નવેમ્બર 2020 ના રોજ આવેલ ભુકમ્પને કારણે પુલના સેટલમેન્ટ માં નુકશાન થયું હતું.જેને રીપેર કરવા માટે પૂલનો વાહન વ્યવહાર નાના વાહનો માટે બંધ કરવામા આવ્યો હતો. જેને કારણે મોટા વાહનોની અવરજવર બંધ થઈ જતા વાહન ચાલકો અને મુસાફરોને20કિમી ફરી ને જવું પડતા સમય અને નાણા નો વ્યય થતો હતો. હવે ફરી એક વાર
રાજપીપલા અને પોઇચા ને જોડતો નર્મદા નદી પર નો પુલ એક મહિના માટે બન્ધ કરવામાં આવ્યોહતો. હવે ફરી એક વાર આપુલ સેટલમેન્ટ નું સમારકામ કરવાનું હોવાથી 15 માર્ચ થી 16 એપ્રિલ સુધી તમામ વાહનની અવર જવર બંધ કરવાનો વારો આવ્યો છે.આ માટે હવે જાહેરનામુબહાર પાડી
વડોદરા થી રાજપીપલા જતા વાહનોએ હવે વડોદરા ડભોઇ તિલકવાળા ગરુડેશ્વર થઈ ને રાજપીપલા આવું પડશે જેને કારણે 20 થી 30 કિલોમીટર નો ફેરવો વધુ થશે

જેમા આ રસ્તાના બદલે હવે રસ્તાનો ઉપયોગ હવે
૧) વડોદરા થી રાજપીપળા જતાં વાહનોએ અવર-જવર માટે વડોદરા-ડભોઈ-તિલકવાડા-ગરૂડેશ્વર
રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.તેમજ સેગવા ચોકડીથી રાજપીપળા જતાં વાહનોએ અવર-જવર માટે સેગવા-ડભોઈ-તિલકવાડા-ગરૂડેશ્વર
રસ્તાનો ઉપયોગ કરવા નો રહેશેએ ઉપરાંત રાજપીપળા થી વડોદરા જવા માટે રાજપીપળા-ગરૂડેશ્વર-તિલકવાડા-ડભોઈ થઈ વડોદરાનો
ઉપયોગ કરવાનો રહેશે

આમ વારંવાર પૂલના સમારકામ પાછળ થતો ખર્ચ અને નાણા નો બગાડ પૂલ ના તકલાદી કામની ચાડી ખાઈ રહયુ છે. આ અંગે સમગ્ર ઘટનાની ન્યાયી તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવાની મુસાફર જનતા એ માંગ કરી છે.

તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા