આજે પ્રચાર પડઘમ શાંત થતા હવે28મીએ નર્મદા જિલ્લા પંચાયતની 22 માટે 79 ઉમેદવાર અને પાંચેય તાલુકા પંચાયતની 90 બેઠકો માટે 309ઉમેદવારો સહિત સમગ્ર જિલ્લા શહેરની કુલ 140 બેઠકો માટે કુલ 501 ઉમેદવારોનું ભાવિ મતદારો ઇવીએમમાં સીલ થશે.

આજે પ્રચાર પડઘમ શાંત થતા હવે28મીએ નર્મદા જિલ્લા પંચાયતની 22 માટે 79 ઉમેદવાર અને પાંચેય તાલુકા પંચાયતની 90 બેઠકો માટે 309ઉમેદવારો સહિત સમગ્ર જિલ્લા શહેરની કુલ 140 બેઠકો માટે કુલ 501 ઉમેદવારોનું ભાવિ મતદારો ઇવીએમમાં સીલ થશે.

ભારતીય જનતા પાર્ટી 140,ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 124, આમ આદમી પાર્ટીના -58, બીટીપી ના 84 અને અપક્ષના 95 ઉમેદવારો ચૂંટણી સ્પર્ધામાં.

બધાના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌથી વધુ ભાજપના 140 ઉમેદવારોને સૌથી ઊંચા આદમી પાર્ટીના 58 ઉમેદવારો.

નર્મદામાં પ્રચાર પડઘમ શાંત થતાં ગામડાઓમાં મોડી રાત સુધી ખાનગી પ્રચારનો દોર !

રાજપીપળા,તા.26

નર્મદા જિલ્લામાં આગામી 28 મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી નર્મદા જિલ્લા પંચાયત અને નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા તથા સાગબારા તાલુકા પંચાયતોની કુલ 140 બેઠકો ઉપર કુલ 501 ઉમેદવારોનું ભાવિ મતદાર ઇવીએમમાં સીલ કરશે. જેમાં નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકો માટે કુલ-79 ઉમેદવારો અને પાંચેય તાલુકા પંચાયતની 90 બેઠકો માટે કુલ-307 ઉમેદવારો માટે મતદાન થશે. જેમાં સૌથી વધુ ભાજપના 140 ઉમેદવારો.સૌથી ઓછા આદમી પાર્ટીના 58 ઉમેદવારો નો સમાવેશ થાય છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતની કુલ-22 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના-22, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના-22 , આમ આદમી પાર્ટીના-14 , બીટીપીના-18 અને અપક્ષ-3 ઉમેદવારો સહિત કુલ–70 ઉમેદવારોનું ભાવી મતદારો નક્કી કરશે. તેવી જ રીતે જિલ્લાની પાંચેય તાલુકા પંચાયતોની કુલ-90 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના-90, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના-90, આમ આદમી પાર્ટીના-42 , બીટીપીના-65 અને અપક્ષ-20 ઉમેદવારો સહિત કુલ-307 ઉમેદવારો નું ભાવી 28 મી બીએમ માસીને થશે.

જો કે આજે સાંજે નર્મદામાં પ્રચાર પડઘમ શાંત થતાં ગામડાઓમાં મોડી રાત સુધી ખાનગી પ્રચારનો દોર ચાલુ રહ્યો હતો અને કોણ જીતેગા અને કોન હારેગા ની અટકળોનો દોર શરૂ થઈ ગયો હતો.

તસવીર: જ્યોતિ જગતાપ, રાજપીપળા