કોઈપણ ઉંમરના લોકો માટે યોગ્ય જીવનસાથી શોધી આપતી અમદાવાદની વિના મૂલ્યે અમૂલ્ય સેવા સંસ્થાના નટુભાઈ પટેલ અને ભારતીબેન રાવલે આજે 165 માં લગ્ન કરાવ્યા હતા.
જેમાં મુંબઈના 68 વર્ષીય હરીશભાઇ પટેલે અંકલેશ્વરના 65 વર્ષીય જોસનાબેન જૈનને મંગળસૂત્ર પહેરાવી જીવનસાથી તરીકે અપનાવ્યા હતા. એકલવાયુ જીવન જીવતા બંને વૃદ્ધને જીવન જીવવાનો સહારો મળી ગયો હતો.
અમદાવાદમાં અનોખા લગ્ન યોજાયા. મુંબઈના 68 વર્ષીય વરરાજા અંકલેશ્વરની 65 વર્ષીય કન્યા સાથે લગ્નગ્રંથિથી જોડાયા.
