પટના: પટનાના ગ્રામીણ વિસ્તારમાં પંદર દિવસ અગાઉ ૧૫મી જૂને થયેલા લગ્નમાં ભાગ લેનાર વરરાજાનું લગ્નના બે દિવસ બાદ તાવ આવીને મૃત્યુ થયું હોવાની વાત જાણ્યા બાદ કરવામાં આવેલી તપાસમાં ૧૦૦થી વધુને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની આઘાતજનક વાત જાણવા મળી હતી. જાણવા મળ્યા પ્રમાણે પટના જિલ્લાના એક ગામમાં પંદર દિવસ અગાઉ લગ્ન યોજાયા હતા. વરરાજા લગ્ન માટે આવ્યો હતો અને એને તાવ આવતો હતો. એણે લગ્ન મુલતવી રાખવાની વાત કહી હતી, પણ એના સંબંધીઓએ એને પેરાસિટામોલ ખવડાવીને પરણાવી દીધો હતો. લગ્નના બીજા દિવસે એનો તાવ સખત રીતે વધ્યો હતો અને એને પટનાના એઇમ્સમાં સારવાર માટે લઇ જતી વખતે એનું મોત થઇ ગયું હતું. આ વાત કોઇને જણાવ્યા વગર ઘરના લોકોએ એના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા
Related Posts
સરદાર સાહેબની આ વિરાટ પ્રતિમાએ ગુજરાત અને ભારતને વિશ્વના નકશામાં ઉંચુ સ્થાન અપાવ્યુ છે – વિનયકુમાર સકસેના
સરદાર સાહેબની આ વિરાટ પ્રતિમાએ ગુજરાત અને ભારતને વિશ્વના નકશામાં ઉંચુ સ્થાન અપાવ્યુ છે – વિનયકુમાર સકસેના. સરદાર વલ્લ્ભભાઇ પટેલને…
ગાંધીનગર ખાતે નવનિર્મિત સ્ટેશન હોટેલ ના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન 18 જુલાઈ નારોજ ગાંધીનગર આવશે.
ગાંધીનગર ખાતે નવનિર્મિત સ્ટેશન હોટેલ ના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન 18 જુલાઈ નારોજ ગાંધીનગર આવશે.
બેકિંગ ન્યુઝ….INDIACRIMEMIRROR.COM
બેકિંગ ન્યુઝ…. 🔹હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી 🔹નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદ ખેલૈયાઓ માટે…
