પટના: પટનાના ગ્રામીણ વિસ્તારમાં પંદર દિવસ અગાઉ ૧૫મી જૂને થયેલા લગ્નમાં ભાગ લેનાર વરરાજાનું લગ્નના બે દિવસ બાદ તાવ આવીને મૃત્યુ થયું હોવાની વાત જાણ્યા બાદ કરવામાં આવેલી તપાસમાં ૧૦૦થી વધુને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની આઘાતજનક વાત જાણવા મળી હતી. જાણવા મળ્યા પ્રમાણે પટના જિલ્લાના એક ગામમાં પંદર દિવસ અગાઉ લગ્ન યોજાયા હતા. વરરાજા લગ્ન માટે આવ્યો હતો અને એને તાવ આવતો હતો. એણે લગ્ન મુલતવી રાખવાની વાત કહી હતી, પણ એના સંબંધીઓએ એને પેરાસિટામોલ ખવડાવીને પરણાવી દીધો હતો. લગ્નના બીજા દિવસે એનો તાવ સખત રીતે વધ્યો હતો અને એને પટનાના એઇમ્સમાં સારવાર માટે લઇ જતી વખતે એનું મોત થઇ ગયું હતું. આ વાત કોઇને જણાવ્યા વગર ઘરના લોકોએ એના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા
Related Posts
નરેન્દ્ર મોદીના સુશાસન ના 7 વર્ષ પૂર્ણ થયે નર્મદા જિલ્લામાં પણ ” સેવા હી સંગઠન” ના કાર્યક્રમો યોજાયા
નરેન્દ્ર મોદીના સુશાસન ના 7 વર્ષ પૂર્ણ થયે નર્મદા જિલ્લામાં પણ ” સેવા હી સંગઠન” ના કાર્યક્રમો યોજાયા રાજપીપલા સફેદ…
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આંતરરાજ્ય હથિયાર સપ્લાય કરતો આરોપી ઝડપાયો
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આંતરરાજ્ય હથિયાર સપ્લાય કરતો આરોપી ઝડપાયો ATS અને રાજ્યના અલગ-અલગ જિલ્લામાં હથિયાર તેમજ રાજકોટ શહેરમાં હત્યાના ગુનામાં…
*📍ભરૂચ: ભરૂચ જિલ્લામાં આવેલ વાલીયા તાલુકાનાં ભમાડીયા ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો*
*📍ભરૂચ: ભરૂચ જિલ્લામાં આવેલ વાલીયા તાલુકાનાં ભમાડીયા ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો* ટ્રક નંબર GJ 06 AZ 0326…
