પટના: પટનાના ગ્રામીણ વિસ્તારમાં પંદર દિવસ અગાઉ ૧૫મી જૂને થયેલા લગ્નમાં ભાગ લેનાર વરરાજાનું લગ્નના બે દિવસ બાદ તાવ આવીને મૃત્યુ થયું હોવાની વાત જાણ્યા બાદ કરવામાં આવેલી તપાસમાં ૧૦૦થી વધુને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની આઘાતજનક વાત જાણવા મળી હતી. જાણવા મળ્યા પ્રમાણે પટના જિલ્લાના એક ગામમાં પંદર દિવસ અગાઉ લગ્ન યોજાયા હતા. વરરાજા લગ્ન માટે આવ્યો હતો અને એને તાવ આવતો હતો. એણે લગ્ન મુલતવી રાખવાની વાત કહી હતી, પણ એના સંબંધીઓએ એને પેરાસિટામોલ ખવડાવીને પરણાવી દીધો હતો. લગ્નના બીજા દિવસે એનો તાવ સખત રીતે વધ્યો હતો અને એને પટનાના એઇમ્સમાં સારવાર માટે લઇ જતી વખતે એનું મોત થઇ ગયું હતું. આ વાત કોઇને જણાવ્યા વગર ઘરના લોકોએ એના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા
Related Posts
અમદાવાદના લેંડ ડીલરને ત્યાં IT ના દરોડાનો મામલો
અમદાવાદના લેંડ ડીલરને ત્યાં IT ના દરોડાનો મામલો આવકવેરા વિભાગને મળ્યો કરોડોનો દલ્લો1 હજાર કરોડના બિનહિસાબી વ્યવહારના દસ્તાવેજ મળ્યા500 TDR…
જામનગરને મળી નવી ઉડાન
જામનગરને મળી નવી ઉડાન ઉડાન ૩.૦ અંતર્ગત જામનગર-હૈદરાબાદ,જામનગર- બેંગલુરુ વિમાની સેવાનો આજથી શુભારંભ૦૦૦૦૦કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના હસ્તે…
હવે આદિવાસીઓ હિન્દૂ નથીએ મુદ્દે નર્મદા ફરી વિવાદઉઠ્યો
બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : હવે આદિવાસીઓ હિન્દૂ નથીએ મુદ્દે નર્મદા ફરી વિવાદઉઠ્યો ડેડીયાપાડા ના BTP ના ધારા સભ્ય મહેશ વસાવા…
