પટના: પટનાના ગ્રામીણ વિસ્તારમાં પંદર દિવસ અગાઉ ૧૫મી જૂને થયેલા લગ્નમાં ભાગ લેનાર વરરાજાનું લગ્નના બે દિવસ બાદ તાવ આવીને મૃત્યુ થયું હોવાની વાત જાણ્યા બાદ કરવામાં આવેલી તપાસમાં ૧૦૦થી વધુને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની આઘાતજનક વાત જાણવા મળી હતી. જાણવા મળ્યા પ્રમાણે પટના જિલ્લાના એક ગામમાં પંદર દિવસ અગાઉ લગ્ન યોજાયા હતા. વરરાજા લગ્ન માટે આવ્યો હતો અને એને તાવ આવતો હતો. એણે લગ્ન મુલતવી રાખવાની વાત કહી હતી, પણ એના સંબંધીઓએ એને પેરાસિટામોલ ખવડાવીને પરણાવી દીધો હતો. લગ્નના બીજા દિવસે એનો તાવ સખત રીતે વધ્યો હતો અને એને પટનાના એઇમ્સમાં સારવાર માટે લઇ જતી વખતે એનું મોત થઇ ગયું હતું. આ વાત કોઇને જણાવ્યા વગર ઘરના લોકોએ એના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા
Related Posts
ભાવનગરના નીલમબાગ પેલેસ ખાતે ભાવનગર રેન્જ પોલીસ તથા ભાવનગર વેપારી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ” નીતરતી નભની ચાંદની કાર્યક્રમ.
શરદોત્સવ નિમિત્તે મહિલા પોલીસ કર્મચારીઓને નારી વંદના સન્માન ! ભાવનગરના નીલમબાગ પેલેસ ખાતે ભાવનગર રેન્જ પોલીસ તથા ભાવનગર વેપારી એસોસિએશનના…
વડોદરા મિલિટરી સ્ટેશન ખાતે 22મા કારગિલ વિજય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
વડોદરા: ભારતીય સશસ્ત્ર દળોએ ‘ઓપરેશન વિજય’ અંતર્ગત, લાઇન ઓફ કંટ્રોલ પર પાકિસ્તાની સૈન્ય દ્વારા કબજે કરવામાં આવેલા ભારતીય સીમામાં આવેલા…
જામનગર શહેર સી ડિવિઝન પીઆઇ અને પીએસઆઇને સસ્પેન્ડ કરતા એસપી દીપેન ભદ્રન..
જામનગર શહેર સી ડિવિઝન પીઆઇ અને પીએસઆઇને સસ્પેન્ડ કરતા એસપી દીપેન ભદ્રન.. જામનગર* એસપી દીપેન ભદ્રન દ્વારા શહેર સી ડિવિઝન…
