પટના: પટનાના ગ્રામીણ વિસ્તારમાં પંદર દિવસ અગાઉ ૧૫મી જૂને થયેલા લગ્નમાં ભાગ લેનાર વરરાજાનું લગ્નના બે દિવસ બાદ તાવ આવીને મૃત્યુ થયું હોવાની વાત જાણ્યા બાદ કરવામાં આવેલી તપાસમાં ૧૦૦થી વધુને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની આઘાતજનક વાત જાણવા મળી હતી. જાણવા મળ્યા પ્રમાણે પટના જિલ્લાના એક ગામમાં પંદર દિવસ અગાઉ લગ્ન યોજાયા હતા. વરરાજા લગ્ન માટે આવ્યો હતો અને એને તાવ આવતો હતો. એણે લગ્ન મુલતવી રાખવાની વાત કહી હતી, પણ એના સંબંધીઓએ એને પેરાસિટામોલ ખવડાવીને પરણાવી દીધો હતો. લગ્નના બીજા દિવસે એનો તાવ સખત રીતે વધ્યો હતો અને એને પટનાના એઇમ્સમાં સારવાર માટે લઇ જતી વખતે એનું મોત થઇ ગયું હતું. આ વાત કોઇને જણાવ્યા વગર ઘરના લોકોએ એના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા
Related Posts
*વિશ્વ મહિલા દિવસ નિમ્મીતે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પોલીસ મહિલાઓનું સન્માન કરાયું*
*વિશ્વ મહિલા દિવસ નિમ્મીતે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પોલીસ મહિલાઓનું સન્માન કરાયું* અમદાવાદ, સંજીવ રાજપૂત: વિશ્વ મહિલા દિવસે અમદાવાદ શહેર…
ભક્તોએ શણગારેલા ભગવાનના રથને દોરડાથી ખેંચી ધન્યતા અનુભવી
રાજપીપલામા આજે અષાઢી બીજના રોજ કર્ફ્યુની વચ્ચે પહેલી વાર કોરોના ગાઈડ લાઈન પ્રમાણે સીમિત ભક્તોની વચ્ચે ભગવાન જગન્નાથની દબદબાભેર રથયાત્રા…
વડોદરા EME સ્કૂલ ખાતે ‘વિજય મશાલ’ના કાર્યક્રમમાં મશાલનું સૈન્ય સન્માન સાથે કરાયું ભવ્ય સ્વાગત
અમદાવાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા યુદ્ધમાં ભારતના વિજયના 50 વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વર્ણિમ વિજય વર્ષ ‘વિજય મશાલ’નું વડોદરામાં…
