પટના: પટનાના ગ્રામીણ વિસ્તારમાં પંદર દિવસ અગાઉ ૧૫મી જૂને થયેલા લગ્નમાં ભાગ લેનાર વરરાજાનું લગ્નના બે દિવસ બાદ તાવ આવીને મૃત્યુ થયું હોવાની વાત જાણ્યા બાદ કરવામાં આવેલી તપાસમાં ૧૦૦થી વધુને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની આઘાતજનક વાત જાણવા મળી હતી. જાણવા મળ્યા પ્રમાણે પટના જિલ્લાના એક ગામમાં પંદર દિવસ અગાઉ લગ્ન યોજાયા હતા. વરરાજા લગ્ન માટે આવ્યો હતો અને એને તાવ આવતો હતો. એણે લગ્ન મુલતવી રાખવાની વાત કહી હતી, પણ એના સંબંધીઓએ એને પેરાસિટામોલ ખવડાવીને પરણાવી દીધો હતો. લગ્નના બીજા દિવસે એનો તાવ સખત રીતે વધ્યો હતો અને એને પટનાના એઇમ્સમાં સારવાર માટે લઇ જતી વખતે એનું મોત થઇ ગયું હતું. આ વાત કોઇને જણાવ્યા વગર ઘરના લોકોએ એના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા
Related Posts
“સ્વર્ણિમ ભારત : ગુજરાતના ટેબ્લોએ 76-મા ગણતંત્ર દિને નવી દિલ્લીના કર્તવ્ય પથ પર જમાવ્યું અનેરું આકર્ષણ*
*“સ્વર્ણિમ ભારત : ગુજરાતના ટેબ્લોએ 76-મા ગણતંત્ર દિને નવી દિલ્લીના કર્તવ્ય પથ પર જમાવ્યું અનેરું આકર્ષણ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: “સ્વર્ણિમ…
રાજ્યના ૨૯ શહેરોમાં રાત્રિ કરફ્યુ ઉપરાંત વધારાના નિયંત્રણો મૂકવાની રાજ્ય સરકારની જાહેરાત.
• રાજ્યના ૨૯ શહેરોમાં રાત્રિ કરફ્યુ ઉપરાંત વધારાના નિયંત્રણો મૂકવાની રાજ્ય સરકારની જાહેરાત. • આ નિયંત્રણ તા. ૨૮મી એપ્રિલ-૨૦૨૧ બુધવારથી…
*આવતી કાલે ભારતીય સેનાના કોણાર્ક ગનર્સ દ્વારા સાયકલિંગ રેલીનું આયોજન કરાશે*
*આવતી કાલે ભારતીય સેનાના કોણાર્ક ગનર્સ દ્વારા સાયકલિંગ રેલીનું આયોજન કરાશે* અમદાવાદ, સંજીવ રાજપૂત: રેજિમેન્ટ ઓફ આર્ટિલરીની દ્વિશતાબ્દી ઉજવણીના…
