પટના: પટનાના ગ્રામીણ વિસ્તારમાં પંદર દિવસ અગાઉ ૧૫મી જૂને થયેલા લગ્નમાં ભાગ લેનાર વરરાજાનું લગ્નના બે દિવસ બાદ તાવ આવીને મૃત્યુ થયું હોવાની વાત જાણ્યા બાદ કરવામાં આવેલી તપાસમાં ૧૦૦થી વધુને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની આઘાતજનક વાત જાણવા મળી હતી. જાણવા મળ્યા પ્રમાણે પટના જિલ્લાના એક ગામમાં પંદર દિવસ અગાઉ લગ્ન યોજાયા હતા. વરરાજા લગ્ન માટે આવ્યો હતો અને એને તાવ આવતો હતો. એણે લગ્ન મુલતવી રાખવાની વાત કહી હતી, પણ એના સંબંધીઓએ એને પેરાસિટામોલ ખવડાવીને પરણાવી દીધો હતો. લગ્નના બીજા દિવસે એનો તાવ સખત રીતે વધ્યો હતો અને એને પટનાના એઇમ્સમાં સારવાર માટે લઇ જતી વખતે એનું મોત થઇ ગયું હતું. આ વાત કોઇને જણાવ્યા વગર ઘરના લોકોએ એના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા
Related Posts
નરોડા પાટીયામાંથી ઝડપાયું કુટણખાનું, સંચાલક સહિત ત્રણની ધરપકડ
દેહવ્યાપારનો કારોબાર કરનાર ચાર સામે ફરિયાદ ફરાર બિલ્ડિંગના માલિકને ઝડપી પાડવા તજવીજ હાથધરી અમદાવાદ શહેરના નરોડા પાટીયામાં ગેરકાયદેસર ચાલતું કુટણખાનું…
“ નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત લાભાર્થી મહિલાઓને ભોજન પીરસવાની સાથે સ્વરોજગારી માટે હાથલારી-સિલાઇ મશીન કિટ્સના લાભોનું કરાયું વિતરણ
રાજ્યના મંત્રી સૌરભભાઇ પટેલ, પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડ અને મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે નર્મદા જિલ્લા વહિવટીતંત્રનો “નોંધારાનો આધાર” પ્રોજેક્ટને આવકાર…
2 સપ્ટે.થી ધો.6 થી 8નાં ઓફલાઇન વર્ગો શરૂ કરાશે
2 સપ્ટે.થી ધો.6 થી 8નાં ઓફલાઇન વર્ગો શરૂ કરાશેકેબિનેટની બેઠક બાદ શિક્ષણમંત્રીની જાહેરાતકોવિડ ગાઇડલાઇનનું કરાશે ચૂસ્ત પાલન
