*જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન*

*જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન*

 

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન..

અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ જગત અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું કેન્સરની બિમારીને કારણે દુ:ખદ અવસાન થયું છે.

 

જાણીતા નિર્માંતા દિક્ષીત ઘોડાના ભાભી અને કરન ઘોડા – વિવેક ઘોડાના માતુશ્રી, અને માહિતી વિભાગના પુર્વ કેમેરામેન હર્ષેન્દુ ઓઝાના બહેન કેતકીબેન છેલ્લા અઢી વર્ષથી કેન્સરની બિમારી સામે લડી રહેલા. ગત સવારે આઠ વાગે તેમણે અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં દેહત્યાગ કર્યો છે.

 

શિક્ષણ જગતમાં આગવું નામ ધરાવનાર કેતકીબેન સંસ્કૃત વિષયમાં સુવર્ણ ચંદ્રક વિજેતા હતા. આ નવા જમાનાના અનેક વિદ્યાર્થિઓને સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં ઉત્તમ જ્ઞાન આપી સફળ બનાવવામાં તેમણે ખુબ મોટો ભાગ ભજવ્યો.

 

*૫૯ વર્ષની ઉંમરે દેહ છોડનાર કેતકીબેનની પ્રાર્થનાસભા આજે (તારીખ ૧૦) સાંજે પાંચ થી સાત દરમ્યાન સિંધુભવન, સિંધુભવન રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે રાખવામાં આવી છે.*