ચિત્રકૂટનાં સદગુરુ ટ્રસ્ટએ લોકડાઉન 4.0 માં પણ કરી રહ્યું છે અન્નસેવા સંસ્થાએ લોકડાઉનમાં ૮૦ હજારથી વધુ લોકો સુધી ભોજન પહોંચાડ્યું,

ભગવાન શ્રીરામની તપોભૂમિ ધર્મનગરી ચિત્રકૂટમાં સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહ્યા કોરોના સંક્રમણથી બચાવ માટે સરકારે લાગુ કરેલ લોકડાઉન વચ્ચે પરમ પૂજ્ય સંત શ્રી રણછોડદાસજી મહારાજ દ્વારા જાનકીકુંડમાં સ્થાપિત શ્રી સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટ એ સેવાનું એક નવું કીર્તિમાન ઊભું કર્યું છે. પૂજ્ય ગુરુદેવ શ્રીનાં પાવન ઉદ્દેશ્ય ‘ભૂખ્યાને ભોજન’ આપવાનાં સંકલ્પને ચરિતાર્થ કરવા, ભારત સરકાર દ્વારા તારીખ 25 માર્ચ 2020 થી દેશવ્યાપી લોકડાઉન કરવામાં આવ્યું, જેમાં હમણાં સુધી ત્રણ ફેઝ પૂરા થયાં અને ચોથું ફેઝ ચાલી રહ્યું છે. જેના અંદર ચિત્રકૂટ અને આસપાસના ગ્રામિણ ક્ષેત્રમાં રહેલા ગરીબ વંચિત અને ભોજનની કમીથી પરેશાન રહેલા પરિવારો માટે દરરોજ 2000 ભોજનના પેકેટ સાથે ગુરુદેવના પ્રસાદ સ્વરૂપ સુખડીનાં પેકેટ પણ સંસ્થા દ્વારા આપવામાં આવેલા છે. હમણાં સુધી સદગુરુ ટ્રસ્ટ એ ૮૦ હજારથી વધુ લોકોને ભોજનના પેકેટ પહોંચાડ્યા છે જે ૩૧મે સુધી નિરંતર ચાલુ રહેશે. આ પાવન કાર્યમાં સતના જિલ્લાનાં કલેકટરનું માર્ગદર્શન અને નિર્દેશન સાથે આ કામ ચાલુ થઈ રહ્યું છે ચિત્રકૂટમાં રહેલા જરૂરતમંદ પરિવારો સાથે મહારાષ્ટ્ર અને ગુજરાતનાં મહાનગરો થી પદવિહાર કરીને તેમના પૈતૃક ગામ જતાં પ્રવાસી મજૂર ભાઈ-બહેનોને પણ આ પેકેટ થી એમની ક્ષુધાતૃપ્તિ કરવામાં આવી રહી છે. ચિત્રકૂટએ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ બન્ને રાજ્યોની સીમાના વચ્ચે આવેલું છે એટલે બંને બાજુથી આવનારા પ્રવાસી મજૂરો માટે અહીં સદગુરૂ સેવા સંઘ ટ્રસ્ટ ભોજન ના પેકેટ આપી રહ્યું છે.
આ સાથે ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી રઘુવીર મંદિર ,બડીગુફામાં તરફથી જંગલો અને આશ્રમોમાં ઘોરસાધના કરતાં સાધુ- સંતો ને માસિક રાશન અને કોરોનાથી રક્ષણ માટે સ્પેશિયલ માસ્ક આપવામાં આવી રહ્યા છે જેનાથી એમની તપસ્યા અને સાધના અબાધરૂપે સંપન્ન થાયે. દરરોજ શ્રી રઘુબીર મંદિરનાં પ્રાંગણમાં 100થી વધુ સાધુ-સંતો અને અભ્યાગતો ને ભોજન પ્રસાદ લોકડાઉનનાં પેહલાં દિવસથી આપવામાં આવી રહ્યું છે. એક બાજુ જ્યારે આ સંકટના સમયે ગામડાનાં મનુષ્યો ને પણ ભોજન મળવામાં મુશ્કેલી છે, તો મૂક પશુઓ માટે ભોજન હજુ અઘરું છે, તે સમયે સંસ્થા દ્વારા પ્રતિદિન ચિત્રકૂટમાં આવેલા વાંદરો માટે ચણા અને ગૌમાતા માટે લીલોચારો અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સાથે ઉનાળામાં સદગુરુ ગૌ સેવા કેન્દ્રમાં વધુ થી વધુ ગૌવંશની સેવા માટે નવાં શેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
સંસ્થાના સદગુરુ નેત્ર ચિકિત્સાલય દ્વારા સતના અને ચિત્રકૂટ બંને જિલ્લાના કોરોના વોરિયર્સનાં રક્ષણ અને ઉપયોગ માટે 2000 મેડીકલ કિટ કલેક્ટર ના હસ્તક આપવાંમાં આવી છે. સાથે બંને જિલ્લાના પત્રકાર મંડળ અને ચિત્રકૂટ નગર પરિષદ સાથે પોલીસ પ્રશાસનને પણ ૫૦0 સે વધુ મેડિકલ કીટ એમના ઉપયોગ અને રક્ષણ માટે સંસ્થા દ્વારા અર્પણ કરેલ છે.
સદગુરુ નેત્ર ચિકિત્સાલય અને જાનકીકુંડ ચિકિત્સાલયના કુશળ ડોક્ટર્સની ટીમ દ્વારા આ સંકટ સમયમાં પણ પોતાની ચિંતા કર્યા વગર બધી જાતની આપાતકાલીન ચિકિત્સા અને સારવારની વ્યવસ્થા રોગીઓ માટે કરવામાં આવી છે. હોસ્પિટલમાં આવનારા બધાંજ રોગીઓ માટે થર્મલ સ્ક્રિનિંગ અને સેનિટેશન કર્યા બાદ તેમને સોશિયલ ડિસટેન્સિંગ સાથે હોસ્પિટલમાં સારવાર અપાય છે અને આ આપત્તિનાં કાળમાં પણ યથાયોગ્ય ઉપચાર આપવાની વ્યવસ્થા માનવ સેવા માટે સંસ્થા કરી રહી છે.
ટ્રસ્ટ દ્વારા સંચાલિત ૮ શૈક્ષણિક સંસ્થાનોમાં એમના વિદ્યાર્થીઓ માટે આ સંકટના સમયે ઓનલાઇન શિક્ષણ અને પ્રશિક્ષણનાં કાર્યક્રમો માટે લાઈવ યુટ્યુબ ક્લાસનું સંચાલન થઇ રહ્યું છે. જેનાથી સંસ્થાના ૩૪00 થી પણ વધુ વિદ્યાર્થીઓ એમનાં ઘેર રહીને શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. ટ્રસ્ટનાં વિભિન્ન પ્રકલ્પોમાં સોશિયલ ડિસટેન્સિંગ, સેનીટાઈજેશન અને માસ્કનો ઉપયોગનાં સાથે કોરોનાથી રક્ષણ માટે એક જાગરૂકતા અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં વિશેષજ્ઞોના નિર્દેશન દ્વારા સોશિયલ મીડિયા અને યુટ્યુબનાં વિડીયોનાં માધ્યમથી લોકોમાં કોરોનાં રક્ષણની વધુમાહિતી આપવાંનું પ્રયાસ કરવામાં આવી રહ્યું છે.
ટ્રસ્ટી ડૉ. બી.કે. જૈન એ આ બાબતમાં કીધેલું કે અમારા ટ્રસ્ટનાં દરએક પ્રકલ્પ પૂજ્ય સદગુરુદેવની પાવન પ્રેરણા થી સમાજનાં સેવાકાર્યથી સંકળાયેલા છે અને આ મહામારીનાં સમયે અમારું ઉત્તરદાયિત્વ હજી વધી જાય છે. અમે અમારા ચિકિત્સકીય, શૈક્ષણિક અને અન્ય સંચાલિત પ્રકલ્પોનાં માધ્યમથી સરકારે આપેલ નિર્દેશનું અનુપાલન સાથે વધુથી વધુ સહાયતા લોકો સુધી પહોંચાડવા માંગીએ છીયે અને આ સેવાકાર્યમાં અમારા ટ્રસ્ટનાં હજ્જારો કાર્યકર્તા રાત-દિવસ સેવા માટે સંકલ્પબદ્ધ છે. આ સાથે આત્મનિર્ભર ભારત અભિયાનથી જોડાતા સંસ્થાનની મહિલા સમિતિએ ડોક્ટરો, પૈરામેડિકલ અને નર્સિંગ સ્ટાફનાં ઉપયોગ માટે પીપીઈ કિટ અને માસ્કનું ઉત્પાદન શરૂ કર્યું છે અને અમારૂ મેડીકલ સ્ટાફ આ બનાવેલા કિટનુંજ ઉપયોગ કરી રહ્યા છે. ડૉ.જૈન એ આ સાથે જણાવ્યું કે અમારી સૌથી થી અપીલ છે કે સરકાર અને પ્રશાસન દ્વારા જે પણ નિર્દેશ અને પરામર્શ આપવામાં આવે છે, એ સેનિટાઈજેશન, માસ્ક અને સોશિયલ ડિસટેન્સિંગનાં પાલન થીજ અમે આ કોરોના મહામારીથી પોતાને અને બીજાનું રક્ષણ કરવામાં સફળ બનીશું.