કોરોના વાયરસની દહેશતને કારણે અનેક ધાર્મિક કાર્યક્રમો અને આયોજનો રદ્દ કરવામાં આવ્યા છે. ત્યારે પોરબંદરના માધવપુરનો સુપ્રસિદ્ધ મેળો પણ મોકૂફ રાખવામાં આવ્યો છે. માધવપુરનો આંતરરાષ્ટ્રીય કક્ષાનો મેળો નહીં યોજાય તેવી પ્રવાસન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. મહત્વનું છે કે માધવપુરનો મેળો આદિકાળથી યોજાઇ રહ્યો હોવાની માન્યતા છે. મેળાની મહત્તા દર્શાવતું લોકગીત માધવપુરનો માંડવો અને જાદવકુળની જાન પણ ખૂબ પ્રસિદ્ધ છે. પરંતુ હવે ભગવાનની જાન દરમ્યાન પરંપરાગત રીતે યોજાતો મેળો નહીં યોજાય તેવી સરકારે જાહેરાત કરી છે
Related Posts
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, જૈશ સાથે સંકળાયેલ પાકિસ્તાની આતંકી લંબૂને ઠાર મરાયો, 2018માં આતંકી લંબૂએ આંતરરાષ્ટ્રીય સરહદથી કાશ્મીરમાં ઘુસણખોરી…
*🗯️BREAKING* *ભરૂચ: ભરૂચમાં થયા અમી છાંટણા…* ભરૂચમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સવારે 06:40am. સમયે વરસાદના થયા અમી…
રિવાબા જાડેજાએ કહ્યું, “હું રોટલી કરુ તો રવિન્દ્રસિંહ ચા મુકે છે, દીકરીને ઘરે રાખવાની જરૂર નથી”
ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાનાં પત્ની રિવાબા જાડેજાનો. એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેમણે કહ્યું હતું કે, દીકરીને…
