*જગદીશ ઠાકોરે ગેહલોતની યાદ અપાવી*

દારૂબંધી સામે ગુજરાત કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે સરકાર પર આક્ષેપ કર્યા છે. જગદીશ ઠાકોરે કહ્યું છે કે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ મળે છે. ઉપરથી લઇ નીચે સુધી હપ્તો પહોંચે છે. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂના કન્ટેનર આવે છે. દારૂબંધી અંગે અશોક ગેહલોતની વાતને જગદીશ ઠાકોરે ટેકો આપ્યો છે અને ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોવાની વાત કરી. મહત્વનું છે કે ગત્ત વર્ષે અશોક ગેહલોતના નિવેદનના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. અશોક ગેહલોતે એવું નિવેદન આપ્યું હતું કે, ગુજરાતના ઘરે ઘરે દારૂ પીવાય છે. જો ન મળે તો હું મારા પદ પરથી રાજીનામું આપું.દારૂ વેચાઈ એ ખૂબ દુખની વાત કહેવાય : અલ્પેશ ઠાકોર