દિલ્હી હિંસામાં આપના કાઉન્સિલર તાહિર હુસૈન બાદ કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની સંડોવણી પણ બહાર આવતા ખળભળાટ વ્યાપી ગયો છે. દિલ્હી પોલીસે જગતપુરી નામના વિસ્તારની પૂર્વ કાઉન્સિલર ઈશરત જહાંની ધરપકડ કરી છે. પોલીસના કહેવા પર ઈશરત જહાંએ ખુરેંજીમાં હિંસા ભડકાવી હતી. દરમિયાન કોંગ્રેસ આ ધરપકડનો વિરોધ કરે તેવી પૂરી શક્યતા છે. પોલીસનુ કહેવુ છે કે, 25 ફેબ્રુઆરીની સાંજ પછી હિંસાની કોઈ ઘટના બની નથી. સ્થિતિમાં સુધારો જોઈને આજે 10 થી 2 વાગ્યા સુધી કલમ 144માંથી છુટ આપવામાં આવી છે. જોકે પોલીસ અને અર્ધલશ્કરી દળો દ્વારા ફ્લેગમાર્ગ ચાલુ છે. દિલ્હી સરકાર દ્વારા અસર ગ્રસ્ત લોકોને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.દરમિયાન પોલીસે તપાસમાં સાઈબર સેલની પણ મદદ માંગી છે. કારણકે કેટલાક સીસીટીવી ફૂટેજની ક્વોલિટી સારી નહી હોવાથી તેમાં દેખાતા લોકોની ખાસ સોફ્ટવેરથી ઓળખ કરવા માટે આ ફૂટેજ સાયબર સેલને સોંપવામાં આવ્યા છે.
Related Posts
મચ્છરના કારણે રાજીનામું આપવું પડ્યું હોય તેવી પ્રથમ ઘટના
રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડના વિવાદ બાદ યાર્ડના કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલ કામાણી અને ઉપપ્રમુખ કિશોર દોંગાએ રાજીનામું આપી દીધુ.…
દરદીઓને અપાતી સારવાર અંગે મંત્રી પટેલે જિલ્લા પ્રશાસન-જિલ્લા આરોગ્યતંત્ર સાથે કર્યો પરામર્શ
રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે RTPCR નવીન લેબ, પાઇપ લાઇન દ્વારા દરદીઓને અપાતાં ઓક્સિજન પુરવઠો અને ઓક્સિજન સિલીન્ડર જથ્થાની ઉપલબ્ધિ, બેડની…
GST વેરા સમાધાન યોજનામાં સિસ્ટમ થઈ જતા વેપારીઓ પેમેન્ટ કરી શક્યા નહીં.
રદ કરાયેલા GST નંબર ફરીથી એક્ટિવ કરવા માટે વેપારીઓની રજૂઆત, સ્ટાફ નહીં હોવાથી પરેશાની નારાજ વેપારીઓનો બળાપો રેડ કરવા માટે…
