દિલ્હી હિંસામાં આપના કાઉન્સિલર તાહિર હુસૈન બાદ કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની સંડોવણી પણ બહાર આવતા ખળભળાટ વ્યાપી ગયો છે. દિલ્હી પોલીસે જગતપુરી નામના વિસ્તારની પૂર્વ કાઉન્સિલર ઈશરત જહાંની ધરપકડ કરી છે. પોલીસના કહેવા પર ઈશરત જહાંએ ખુરેંજીમાં હિંસા ભડકાવી હતી. દરમિયાન કોંગ્રેસ આ ધરપકડનો વિરોધ કરે તેવી પૂરી શક્યતા છે. પોલીસનુ કહેવુ છે કે, 25 ફેબ્રુઆરીની સાંજ પછી હિંસાની કોઈ ઘટના બની નથી. સ્થિતિમાં સુધારો જોઈને આજે 10 થી 2 વાગ્યા સુધી કલમ 144માંથી છુટ આપવામાં આવી છે. જોકે પોલીસ અને અર્ધલશ્કરી દળો દ્વારા ફ્લેગમાર્ગ ચાલુ છે. દિલ્હી સરકાર દ્વારા અસર ગ્રસ્ત લોકોને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.દરમિયાન પોલીસે તપાસમાં સાઈબર સેલની પણ મદદ માંગી છે. કારણકે કેટલાક સીસીટીવી ફૂટેજની ક્વોલિટી સારી નહી હોવાથી તેમાં દેખાતા લોકોની ખાસ સોફ્ટવેરથી ઓળખ કરવા માટે આ ફૂટેજ સાયબર સેલને સોંપવામાં આવ્યા છે.
Related Posts
એચ.એ.કોલેજના એન.એસ.એસ.વિભાગધ્વારા અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
એચ.એ.કોલેજના એન.એસ.એસ.વિભાગધ્વારા અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના N.S.S. વિભાગ ધ્વારા “અંગદાન જાગૃતિ” કાર્યક્રમ યોજવામાં…
નર્મદા જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૧૨ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૪ સહિત કુલ ૧૬ પોઝિટિવ કેસ નોંધાયા
નર્મદા જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૧૨ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૪ સહિત કુલ ૧૬ પોઝિટિવ કેસ નોંધાયા જિલ્લામા આજદિન…
ભુજ એરફોર્સની મુલાકાત લેતા એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફએર માર્શલ વિક્રમસિંહ
અમદાવાદ: દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમસિંહે તા. 13 અને 14 ફેબ્રુઆરીના રોજ ભૂજ ખાતે આવેલા…
