દિલ્હી હિંસામાં આપના કાઉન્સિલર તાહિર હુસૈન બાદ કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની સંડોવણી પણ બહાર આવતા ખળભળાટ વ્યાપી ગયો છે. દિલ્હી પોલીસે જગતપુરી નામના વિસ્તારની પૂર્વ કાઉન્સિલર ઈશરત જહાંની ધરપકડ કરી છે. પોલીસના કહેવા પર ઈશરત જહાંએ ખુરેંજીમાં હિંસા ભડકાવી હતી. દરમિયાન કોંગ્રેસ આ ધરપકડનો વિરોધ કરે તેવી પૂરી શક્યતા છે. પોલીસનુ કહેવુ છે કે, 25 ફેબ્રુઆરીની સાંજ પછી હિંસાની કોઈ ઘટના બની નથી. સ્થિતિમાં સુધારો જોઈને આજે 10 થી 2 વાગ્યા સુધી કલમ 144માંથી છુટ આપવામાં આવી છે. જોકે પોલીસ અને અર્ધલશ્કરી દળો દ્વારા ફ્લેગમાર્ગ ચાલુ છે. દિલ્હી સરકાર દ્વારા અસર ગ્રસ્ત લોકોને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.દરમિયાન પોલીસે તપાસમાં સાઈબર સેલની પણ મદદ માંગી છે. કારણકે કેટલાક સીસીટીવી ફૂટેજની ક્વોલિટી સારી નહી હોવાથી તેમાં દેખાતા લોકોની ખાસ સોફ્ટવેરથી ઓળખ કરવા માટે આ ફૂટેજ સાયબર સેલને સોંપવામાં આવ્યા છે.
Related Posts
AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી 4 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે તેવી શક્યતા
AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી 4 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે તેવી શક્યતા અસદુદ્દીન ઓવૈસી અમદાવાદ તેમજ ભરૂચ સહિતના જિલ્લાઓની મુલાકાત લેશે…
*પ્રેમ અને કરુણાનું બંધન – સિવિલ હોસ્પિટલમાં યાદગાર રક્ષાબંધનની કરાઈ ઉજવણી*
*પ્રેમ અને કરુણાનું બંધન – સિવિલ હોસ્પિટલમાં યાદગાર રક્ષાબંધનની કરાઈ ઉજવણી* અમદાવાદ, સંજીવ રાજપૂત: રક્ષાબંધનના પવિત્ર પર્વે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં…
BREAKING NEWS ડૉ. સુભાષ ચંદ્ર રતિલાલ સોની રાજ્ય માહિતી કમિશનર તરીકે નિમણૂક.
ગુજરાત સરકારના અધિક સચિવ તરીકે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી માંથી તા.૩૧/૮/૨૦૨૦ના રોજ વયનિવૃત્ત થયેલા ડૉ.સુભાષ ભાઈ સોનીની ગુજરાતના નામ…
