દિલ્હી હિંસામાં આપના કાઉન્સિલર તાહિર હુસૈન બાદ કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની સંડોવણી પણ બહાર આવતા ખળભળાટ વ્યાપી ગયો છે. દિલ્હી પોલીસે જગતપુરી નામના વિસ્તારની પૂર્વ કાઉન્સિલર ઈશરત જહાંની ધરપકડ કરી છે. પોલીસના કહેવા પર ઈશરત જહાંએ ખુરેંજીમાં હિંસા ભડકાવી હતી. દરમિયાન કોંગ્રેસ આ ધરપકડનો વિરોધ કરે તેવી પૂરી શક્યતા છે. પોલીસનુ કહેવુ છે કે, 25 ફેબ્રુઆરીની સાંજ પછી હિંસાની કોઈ ઘટના બની નથી. સ્થિતિમાં સુધારો જોઈને આજે 10 થી 2 વાગ્યા સુધી કલમ 144માંથી છુટ આપવામાં આવી છે. જોકે પોલીસ અને અર્ધલશ્કરી દળો દ્વારા ફ્લેગમાર્ગ ચાલુ છે. દિલ્હી સરકાર દ્વારા અસર ગ્રસ્ત લોકોને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.દરમિયાન પોલીસે તપાસમાં સાઈબર સેલની પણ મદદ માંગી છે. કારણકે કેટલાક સીસીટીવી ફૂટેજની ક્વોલિટી સારી નહી હોવાથી તેમાં દેખાતા લોકોની ખાસ સોફ્ટવેરથી ઓળખ કરવા માટે આ ફૂટેજ સાયબર સેલને સોંપવામાં આવ્યા છે.
Related Posts
હડતાળ ચાલુ રાખવા ધારાસભ્ય વડગામ જીગ્નેશ મેવાણીની અપીલ
જામનગરની મહિલા સફાઈ કામદારો પર અત્યાચારના કિસ્સામાં ગુનો દાખલ કરવા અને FIR ના થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવા ધારાસભ્ય…
*સૈનિક સ્કૂલ બાલાચડીમાં ઇન્ટર હાઉસ ઓબસ્ટિકલ સ્પર્ધાનું કરાયું આયોજન*
*સૈનિક સ્કૂલ બાલાચડીમાં ઇન્ટર હાઉસ ઓબસ્ટિકલ સ્પર્ધાનું કરાયું આયોજન* જામનગર, સંજીવ રાજપૂત: જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં તાજેતરમાં ઇન્ટર હાઉસ ઓબસ્ટિકલ…
આ એક પીડિતાની લાશ નહિ, દેશની અસ્મિતા સળગી રહી છે.રાત્રે 2:30 વાગે પોલીસે બળાત્કારનો ભોગ બનેલી દેશની દીકરીની લાશ પરિવારની ગેર હાજરીમાં બળજબરીથી જેમ સામાન સળગાવવામાં આવતો હોય તેમ સળગાવી.
આ એક પીડિતાની લાશ નહિ, દેશની અસ્મિતા સળગી રહી છે.રાત્રે 2:30 વાગે પોલીસે બળાત્કારનો ભોગ બનેલી દેશની દીકરીની લાશ પરિવારની…
