દિલ્હી હિંસામાં આપના કાઉન્સિલર તાહિર હુસૈન બાદ કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની સંડોવણી પણ બહાર આવતા ખળભળાટ વ્યાપી ગયો છે. દિલ્હી પોલીસે જગતપુરી નામના વિસ્તારની પૂર્વ કાઉન્સિલર ઈશરત જહાંની ધરપકડ કરી છે. પોલીસના કહેવા પર ઈશરત જહાંએ ખુરેંજીમાં હિંસા ભડકાવી હતી. દરમિયાન કોંગ્રેસ આ ધરપકડનો વિરોધ કરે તેવી પૂરી શક્યતા છે. પોલીસનુ કહેવુ છે કે, 25 ફેબ્રુઆરીની સાંજ પછી હિંસાની કોઈ ઘટના બની નથી. સ્થિતિમાં સુધારો જોઈને આજે 10 થી 2 વાગ્યા સુધી કલમ 144માંથી છુટ આપવામાં આવી છે. જોકે પોલીસ અને અર્ધલશ્કરી દળો દ્વારા ફ્લેગમાર્ગ ચાલુ છે. દિલ્હી સરકાર દ્વારા અસર ગ્રસ્ત લોકોને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.દરમિયાન પોલીસે તપાસમાં સાઈબર સેલની પણ મદદ માંગી છે. કારણકે કેટલાક સીસીટીવી ફૂટેજની ક્વોલિટી સારી નહી હોવાથી તેમાં દેખાતા લોકોની ખાસ સોફ્ટવેરથી ઓળખ કરવા માટે આ ફૂટેજ સાયબર સેલને સોંપવામાં આવ્યા છે.
Related Posts
સરકારી નોકરીમાં સસ્પેન્ડ અને ડિસમીસ વચ્ચે શું ફરક હોય છે? જાણો સરળ ભાષામાં કાયદાકીય માહિતી
આપણે અવાર-નવાર છાપાઓમાં કે ટીવીમાં જોતા હોઈયે છીયે કે ફલાણા કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો. આપણે પણ ઘણીબધી ઘટનાઓમાં સરકારી કર્મચારીને…
વિશ્વ હિન્દુ ધોબી મહાસભા ટીમ સમાજના ગરીબ વર્ગ સુધી પહોંચે છે
વિશ્વ હિન્દુ ધોબી મહાસભા ટીમ સમાજના ગરીબ વર્ગ સુધી પહોંચે છે કોરાના રોગચાળાને ધ્યાનમાં રાખીને છેલ્લા બે વર્ષથી ધોબી સમાજની…
અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે સિક્યુરિટી સ્ટાફ દ્વારા મહિલા પત્રકાર સાથે દુર્વ્યવહાર અને ઝપાઝપી કરવાની ઘટના સામે આવી છે જેને લઈ પત્રકાર આલમમાં ઘોર નિંદા જોવા મળી હતી.
અમદાવાદ અમદાવાદમાં મહિલા પત્રકાર સાથે ઝપાઝપી.. અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે સિક્યુરિટી સ્ટાફ દ્વારા મહિલા પત્રકાર સાથે દુર્વ્યવહાર અને ઝપાઝપી કરવાની…
