દિલ્હી હિંસામાં આપના કાઉન્સિલર તાહિર હુસૈન બાદ કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની સંડોવણી પણ બહાર આવતા ખળભળાટ વ્યાપી ગયો છે. દિલ્હી પોલીસે જગતપુરી નામના વિસ્તારની પૂર્વ કાઉન્સિલર ઈશરત જહાંની ધરપકડ કરી છે. પોલીસના કહેવા પર ઈશરત જહાંએ ખુરેંજીમાં હિંસા ભડકાવી હતી. દરમિયાન કોંગ્રેસ આ ધરપકડનો વિરોધ કરે તેવી પૂરી શક્યતા છે. પોલીસનુ કહેવુ છે કે, 25 ફેબ્રુઆરીની સાંજ પછી હિંસાની કોઈ ઘટના બની નથી. સ્થિતિમાં સુધારો જોઈને આજે 10 થી 2 વાગ્યા સુધી કલમ 144માંથી છુટ આપવામાં આવી છે. જોકે પોલીસ અને અર્ધલશ્કરી દળો દ્વારા ફ્લેગમાર્ગ ચાલુ છે. દિલ્હી સરકાર દ્વારા અસર ગ્રસ્ત લોકોને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.દરમિયાન પોલીસે તપાસમાં સાઈબર સેલની પણ મદદ માંગી છે. કારણકે કેટલાક સીસીટીવી ફૂટેજની ક્વોલિટી સારી નહી હોવાથી તેમાં દેખાતા લોકોની ખાસ સોફ્ટવેરથી ઓળખ કરવા માટે આ ફૂટેજ સાયબર સેલને સોંપવામાં આવ્યા છે.
Related Posts
*સાઈબર ક્રાઇમને રોકવા રાજ્ય રૂપાણી સરકાર બની સક્રિય*
સાઈબર ક્રાઈમને રોકવા માટે ગુજરાત પોલીસને વધુંને વધું સુસજ્જ કરવામાં આવી. આજના વિકસતા જતા ટેક્નોલોજીના યુગમાં રાજ્યના તમામ નવ રેન્જમાં…
અનામત મુદ્દે સરકાર ફરી ફસાઈ કોર્ટના ચુકાદાનું શું કરવું?
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પ્રમોશનમાં અનામત મુદ્દે ઉત્તરાખંડ હાઈ કોર્ટનો નિર્ણય ફેરવી તોળ્યો છે. જેના પર ફરી રાજકારણ ગરમાયું છે.…
જોધપુર જેલમાં બંધ બળાત્કારી આસારામની તબિયત ફરી લથડતા AIIMSમાં ખસેડાયા
જોધપુર જેલમાં બંધ બળાત્કારી આસારામની તબિયત ફરી લથડતા AIIMSમાં ખસેડાયા સારવાર માટે જામીન આપવાની અરજી પર સુપ્રીમમાં 18 જૂને છે…
