પાટનગર દિલ્હીમાં કોરોનના કેસમાં નોંધપાત્ર વધારો થતા સરકારે કડક નિયંત્રણો લાગુ કર્યા છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ)ના આદેશ મુજબ દિલ્હીમાં હવે તમામ ખાનગી ઓફિસો બંધ રહેશે અને વર્ક ફ્રોમ હોમનું પાલન કરવું પડશે. જરૂરિયાત ધરાવતી સેવામાં આવતી ઓફિસોમાં જ જૂજ કર્મચારી સાથે સંચાલનની છૂટ આપવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં તમામ રેસ્ટોન્ટ્સ અને બાર બંધ રહેશે અને ફક્ત ટેક અવેની છૂટ રહેશે.પ્રાપ્ત વિગતો મુજબ દિલ્હી સરકારે મંગળવાર કોરોનાના કેસોમાં વધારાને પગલે આવશ્યક શ્રેણીમાં આવે છે તેને બાદ કરતા તમામ ખાનગી ઓફિસો બંધ કરવા આદેશ આપ્યો છે. અત્યાર સુધી ખાનગી ઓફિસોમાં 50 ટકા ક્ષમતા સાથે કામગીરી થતી હતી તેમણે પણ જરૂરી શ્રેણીમાં ના હોય તો ઓફિસ બંધ કરી વર્ક ફ્રોમ હોમનો નિયમ લાગુ કરવા આદેશ કરાયો છે. ડીડીએણએના એક આદેશમાં શહેરમાં રેસ્ટોન્ટ્સ અને બારને બંધ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. હોમ ડિલીવરી અને ટેક અવેની છૂટ આપવામાં આવી છે. દિલ્હીની સરકારી કચેરીઓમાં 50 ટકા ક્ષમતા સાથે કામકાજ ચાલુ રહેશે.ડીડીએમએએ હજુ સુધી દિલ્હીમાં લોકડાઉન લાગુ કરવાનો કોઈ નિર્ણય નથી લીધો. ગર્વનર જનરલ અનિલ બૈજલની અધ્યક્ષતામાં ડીડીએમએની એક બેઠકમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધી રહેલા સંકટ વચ્ચે વચ્ચે કેવી રીતે કડક નિયંત્રણો લાગુ કરવા તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હીમાં લાગુ કરાયેલા નિયમો સમગ્ર રાષ્ટ્રીય પાટનગર ક્ષેત્રે (એનસીઆર)માં પણ લાગુ કરવા વિચારણા થઈ હતી.
Related Posts
કેવડિયા ખાતે નર્મદા કોંગ્રેસે કોરોનાના વધતા કેસો સામે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી તાત્કાલિક ધોરણે બંધ કરવા આવેદન સ્ટેચ્યુ ના કલેકટરને આવેદન આપ્યું.
કેવડિયા ખાતે નર્મદા કોંગ્રેસે કોરોનાના વધતા કેસો સામે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી તાત્કાલિક ધોરણે બંધ કરવા આવેદન સ્ટેચ્યુ ના…
ઘર ચકલી.- જગત કીનખાબવાલા. સ્પેરો મેન.
*Save the Sparrows* *House Sparrow – ઘર ચકલી* *Non Fiction* *ચકલીઓની અજાયબ આવડત* સામાન્ય દેખાતી ચકલી ખૂબ ચતુર પક્ષી છે.…
*સુરતથી પ્રયાગરાજ મહાકુંભ મેળાની વિશેષ વોલ્વો બસને પ્રસ્થાન કરાવતા વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી*
*સુરતથી પ્રયાગરાજ મહાકુંભ મેળાની વિશેષ વોલ્વો બસને પ્રસ્થાન કરાવતા વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી* સુરત:સંજીવ રાજપૂત: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત પવિત્ર મહાકુંભની…
