નાંદોદ તાલુકાનું કુંવરપુરા ગામ બન્યું વૃક્ષમિત્ર ગામ
ગામલોકોએ ત્રણ વર્ષમાંકૂલ 27500 વૃક્ષો નું વાવેતર કર્યું
છેલ્લા બે વર્ષમાં 22000 વાવેલા વૃક્ષો ઉછરીને મોટા થઈ ગયા, ગામલોકોએ કર્યું જતન
ચાલુ વર્ષે ગામથી સ્મશાન સુધીના રસ્તાની આજુબાજુ 5500વૃક્ષોનું રોપ્યા
પરીઆવરણનું જતન કરતા ગ્રામજનો સાચા અર્થમાં છે વૃક્ષમિત્રો
ગામ લોકો સમૂહમાં સાચા અર્થમાં વૃક્ષો વાવી વૃક્ષમિત્ર બની એનું જતન કરી રહ્યા છે.
અન્ય લોકો માટે આ ગ્રામજનો
આ સાચા વૃક્ષમિત્રો પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
ઓક્સિજનનું મહત્વ
સમજાવી પરીઆવરણનો સંદેશો પહોંચાડી રહ્યા છે કુંવરપરાના ગ્રામજનો
રાજપીપલા, તા.4
નર્મદા જિલ્લાનું નાંદોદ તાલુકાનું કુંવરપરા ગામ બન્યુંછે વૃક્ષમિત્ર ગામ. આ ગામના યુવા સરપંચ નિરંજન વસાવાના માર્ગદર્શન હેઠળ છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામજનો સહયોગથી પોતાના ગામમા ગામલોકોએ ત્રણ વર્ષમાંકૂલ 27500 વૃક્ષો નું વાવેતર કર્યુંછે
જેમા પહેલા વર્ષે 11000પછી બીજા વર્ષે બીજા 11000વૃક્ષો મળીને છેલ્લા બે વર્ષમાં કૂલ 22000વૃક્ષોનું ગ્રામજનોએ વાવેતર કરેલું. જે આજે ફૂલીને 8થી 10ફુટ જેટલાં ઉછેરેલા વૃક્ષો મોટા થઇ ગયા છે. અને આ વર્ષે વધુ 5500વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
આ અંગે ગામના યુવા સરપંચ નિરંજનભાઇ વસાવાએ જણાવ્યું હતું કે
છેલ્લા ત્રણ વર્ષથી અમારી ગ્રામ પંચાયતમાં અમે વૃક્ષારોપણ ગ્રામજનોના સહયોગથી કરી રહ્યા છીએ છેલ્લા 3 વર્ષમાં અમે 27500 વૃક્ષો રોપ્યા છે. અને આ વર્ષે 5500 વૃક્ષો કુંવરપુરા બસ સ્ટેશનથી ગામલોકોએ ત્રણ વર્ષમાંકૂલ 27500 વૃક્ષો નું વાવેતર કર્યું જવાના રસ્તે અને કુંવરપરા જૂના ગામને જોડતો રસ્તો તેમજ સ્મશાનની આજુબાજુમાં પડતર જગ્યામાં ગૌચરની જગ્યાઓમાં અમે આ વૃક્ષો રોપ્યા છે.
આજે છેલ્લા 2વર્ષથી વિશ્વમા કોરોના મહામારી ચાલી રહી છે. સમગ્ર દેશમાં અને દુનિયામાં ઓક્સિજનની કમીના કારણે અને પૂરતો ઓક્સિજન ન મળવાના લીધે આપણે સહુએ આપણા સ્વજનોને ગુમાવ્યા છે. અને આજે દિવસે ને દિવસે ગ્લોબલ વોર્મિંગમાં ઘણા બધા ફેરફારો આવી રહ્યા છે.ગમે તે સમયે વરસાદ થાય છે. અત્યારે જે ભૂગર્ભમાં જે પાણી રહેલું છે એ પણ દિવસે ને દિવસે ખૂબ ઊંડાણમાં જઈ રહ્યું છે મિત્રો હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે વરસાદ પણ ખુબ સરસ પડી રહ્યો છે ત્યારે આપને નમ્ર વિનંતી કે તમે પણ તમારા ઘરના આંગણે તમારા વાડામાં ખેતરમાં કે પછી જે ગ્રામ પંચાયતની જમીનો છે.ગૌચરજમીનમા તમે વૃક્ષો વાવો.એ વૃક્ષને બે વર્ષ યોગ્ય ટ્રીટમેન્ટ આપો કે જેથી કરીને આવનારી આપણી પેઢીને પૂરતો ઓક્સિજન મળી રહે. એ સર્વેને વૃક્ષોરોપણ કરવાની અપીલ પણ કરી છે.
બાઈટ :નિરંજન વસાવા,પ્રમુખ સરપંચ પરિષદ દ. ગુજ. ઝોન
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા
ઓક્સિજનનું મહત્વ
સમજાવી પરીઆવરણનો સંદેશો પહોંચાડી રહ્યા છે કુંવરપરાના ગ્રામજનો
