સિટીના મિનિએચર આર્ટિસ્ટ મુકેશ પંડ્યાએ રથયાત્રાની ઝાંખી સ્વરૂપ ઉમદા કલાકૃતિનું સર્જન કર્યું. એક મહિનાના સમયગાળા દરમિયાન ૨૦ ઇંચ બાય ૩૦ ઇંચના સાઇઝમાં તૈયાર કરેલ કલાકૃતિની વિશેષતા એ છે કે તેના નિર્માણમાં ફક્ત રંગીન દોરીનો ઉપયોગ કરાયો છે. ફક્ત દોઢ ઇંચની સાઇઝના રથની આજુબાજુ દર્શાવેલા લોકોની સાઇઝ માત્ર ૨ સેન્ટિમીટરની છે. આર્ટમાં કલાકારે ભાઇ બળદેવજી તેમના તલધ્વજ રથમાં, બહેન સુભદ્રાજી તેમના પદ્મધ્વજ રથમાં અને ભગવાન જગ્ગનાથને ગરુડ ધ્વજ રથમાં ઉમદા રીતે દરસાવ્યા છે. આ ઉપરાંત રથ ખેંચનાર ખલાસી, સાધુ, સંતો, મહંતો, પોલીસ, આર્મી,ભજન મંડળી વગેરેને ઉત્તમ રીતે દર્શાવ્યા છે.
સિટીના મિનિએચર આર્ટિસ્ટ મુકેશ પંડ્યાએ રથયાત્રાની ઝાંખી સ્વરૂપ ઉમદા કલાકૃતિનું સર્જન કર્યું.



