ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. તથા એન.સી.સી. ધ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગાગુરૂ તરીકે અમદાવાદના જાણીતા તજજ્ઞ કુ. નિયતી મિસ્ત્રીએ યોગ વિશે કહ્યું હતુ કે યોગ કરવાથી ઇમ્યુનીટી વધે છે તથા રોગ સામે રક્ષણ મળે છે. ૨૧મી સદીમાં લોકો માનસીક તણાવ, ગળાકાપ હરીફાઈ તથા બેકારીનો સામનો કરે છે ત્યારે આવી પરિસ્થિતિમાં તંદુરસ્તી સાથે ટકી રહેવામાં યોગ મહત્વની ભૂમિકા ભજવે છે. ભારતીય સંસ્કૃતિમાં યોગ આપણી પરંપરા તથા ભવ્ય વારસો છે. આપણા ઋષિમુનિઓ યોગ ધ્વારા સંપૂર્ણ ફીટ રહી શકતા હતા. કુ. નિયતીએ વિવિધ યોગ તથા કસરતના આસનો બતાવીને સૌને સક્રીય રીતે યોગ કરાવ્યા હતા. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે યોગ કરવાથી વ્યક્તીને સકારાત્મક તથા હકારાત્મક વિચારો આવે છે જેનાથી મન તંદુરસ્ત રહે છે જેથી તન પણ તંદુરસ્ત રહે છે. યોગ કોઈ ધર્મ નથી પરંતુ જીવનશૈલી છે. યોગા કરવાથી વ્યક્તીનું શારીરીક, માનસીક તથા આધ્યાત્મીક એમ ત્રણેનું બેલેન્સ જાળવવામાં મદદરૂપ થાય છે. ઓનલાઈન યોજાયેલ આ વેબીનારમાં કોલેજના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો જોડાયા હતા.
યોગા કોઈ ધર્મ નથી પરંતુ
જીવનશૈલી છે.
