પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડી ગામમાં દલિતોનો બહિષ્કાર કરાતા ભયભીત થયેલા દલિતો ઘરને તાળા મારી સગા વ્હાલાને ત્યાં જતા રહ્યા છે. તો કેટલાકે પ્રાંતિજ પોલીસ મથકે ધામા નાખ્યા છે. ઝાલાની મુવાડી ગામે અન્ય સમાજના લોકોએ દલિતોનો બહિષ્કાર કર્યો છે. બે દિવસ પહેલા ગામના દલિત સમાજની દીકરીના લગ્નમાં ડીજે મંગાવાયુ હતું. જો કે ગામના અન્ય સમાજના લોકોએ ડીજે નીકળવા નહોતું દીધુજો કે આમ છતા દલિત પરિવારે ડીજે કાઢતા ગામના અન્ય સમાજના લોકોએ દલિત પરિવારનો બહિષ્કાર કર્યો છે. તો આક્ષેપ એવો પણ છે કે બે દિવસથી ગામના ૧૫ જેટલા દલિત પરિવારોને ગામની દુકાનમાંથી કરિયાણું આપવાનું બંધ કરી દેવાયું છે. તો સામે ગામની પાણીની ટાંકી ખાલી કરી દેતા હાલમાં દલિત વિસ્તારમાં પાણી આવતું બંધ થઇ ગયું છે.
Related Posts
પ્રેમસંબંધ હોય તથા છોકરીની ઉંમર નાની હોય હમણાં લગ્ન કરવાની આપવાની ના પાડતા જેવી દવા પી જઈ આત્મહત્યા કરી.
તિલકવાડા તાલુકાના નાનાવોરા ગામે 24 વર્ષના યુવાનની આત્મહત્યા.પ્રેમસંબંધ હોય તથા છોકરીની ઉંમર નાની હોય હમણાં લગ્ન કરવાની આપવાની ના પાડતા…
*ગાંધીનગરના પોતાના મતવિસ્તારના આંગણવાડી કેન્દ્રોના બાળકોને ગેમિંગ ઝોનમાં લઈ જતા કેન્દ્રીય ગૃહમંત્રી*
*ગાંધીનગરના પોતાના મતવિસ્તારના આંગણવાડી કેન્દ્રોના બાળકોને ગેમિંગ ઝોનમાં લઈ જતા કેન્દ્રીય ગૃહમંત્રી* ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી…
અમદાવાદ ના મનપા કમિશનર નહેરા નું મહત્વ નું નિવેદન
૩ મે સુધી અમદાવાદ શહેરમાં તમામ દુકાનો બંધ રહેશે. હવેથી વેપારીઓની મંજૂરીથી 3 મે સુધી તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય…
