પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડી ગામમાં દલિતોનો બહિષ્કાર કરાતા ભયભીત થયેલા દલિતો ઘરને તાળા મારી સગા વ્હાલાને ત્યાં જતા રહ્યા છે. તો કેટલાકે પ્રાંતિજ પોલીસ મથકે ધામા નાખ્યા છે. ઝાલાની મુવાડી ગામે અન્ય સમાજના લોકોએ દલિતોનો બહિષ્કાર કર્યો છે. બે દિવસ પહેલા ગામના દલિત સમાજની દીકરીના લગ્નમાં ડીજે મંગાવાયુ હતું. જો કે ગામના અન્ય સમાજના લોકોએ ડીજે નીકળવા નહોતું દીધુજો કે આમ છતા દલિત પરિવારે ડીજે કાઢતા ગામના અન્ય સમાજના લોકોએ દલિત પરિવારનો બહિષ્કાર કર્યો છે. તો આક્ષેપ એવો પણ છે કે બે દિવસથી ગામના ૧૫ જેટલા દલિત પરિવારોને ગામની દુકાનમાંથી કરિયાણું આપવાનું બંધ કરી દેવાયું છે. તો સામે ગામની પાણીની ટાંકી ખાલી કરી દેતા હાલમાં દલિત વિસ્તારમાં પાણી આવતું બંધ થઇ ગયું છે.
Related Posts
કોંગ્રેસ સમિતિ દ્વારા આરોગ્ય બચાવ અભિયાન અંતર્ગતરેલી અને ધરણાં વિરોધ પ્રદર્શન
ડેડીયાપાડા ખાતેનર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આરોગ્ય બચાવ અભિયાન અંતર્ગતરેલી અને ધરણાં વિરોધ પ્રદર્શન ભાજપની સરકાર કોરોનામા દર્દીઓને બચાવવા સમય…
અટલજી જીલ્લા પ્રચારક હતાં ત્યારે નાનાજી દેશમુખ વિભાગ પ્રચારક હતા.
અટલજી જીલ્લા પ્રચારક હતાં ત્યારે નાનાજી દેશમુખ વિભાગ પ્રચારક હતા. નાનાજીએ તેમના પગમાં ચંપલ ન જોયા એટલે એમણે કહ્યું કે,…
*મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન આ યોજનાને રૂપાણી સરકારે પડતી મૂકી*
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘સી-પ્લેન’ માટે નર્મદા ડેમ ખાતે વોટર એરોડ્રામ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં…
