પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડી ગામમાં દલિતોનો બહિષ્કાર કરાતા ભયભીત થયેલા દલિતો ઘરને તાળા મારી સગા વ્હાલાને ત્યાં જતા રહ્યા છે. તો કેટલાકે પ્રાંતિજ પોલીસ મથકે ધામા નાખ્યા છે. ઝાલાની મુવાડી ગામે અન્ય સમાજના લોકોએ દલિતોનો બહિષ્કાર કર્યો છે. બે દિવસ પહેલા ગામના દલિત સમાજની દીકરીના લગ્નમાં ડીજે મંગાવાયુ હતું. જો કે ગામના અન્ય સમાજના લોકોએ ડીજે નીકળવા નહોતું દીધુજો કે આમ છતા દલિત પરિવારે ડીજે કાઢતા ગામના અન્ય સમાજના લોકોએ દલિત પરિવારનો બહિષ્કાર કર્યો છે. તો આક્ષેપ એવો પણ છે કે બે દિવસથી ગામના ૧૫ જેટલા દલિત પરિવારોને ગામની દુકાનમાંથી કરિયાણું આપવાનું બંધ કરી દેવાયું છે. તો સામે ગામની પાણીની ટાંકી ખાલી કરી દેતા હાલમાં દલિત વિસ્તારમાં પાણી આવતું બંધ થઇ ગયું છે.
Related Posts
પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પ્રેરણાથી વયો દ્વારા 170 દિવ્યાંગો , પ્રજ્ઞાચક્ષુને મહિનાનું ભોજન સામગ્રી પૂરી પાડવામાં આવી.
વડોદરા વયો દ્વારા સેવાતીર્થ ખાતે રહેતા 170 દિવ્યાંગો , પ્રજ્ઞાચક્ષુ ને એક મહિનાનું દૈનિક ભોજનની સમગ્ર કાચી સામગ્રી પૂરી પાડવામાં…
ખાડિયાના કોર્પોરેટર કોકા ભાઈને કોરોના પોઝિટિવ .
ખાડિયાના કોર્પોરેટર કોકા ભાઈને કોરોના પોઝિટિવ
*નરહરિભાઈને ઉંટિયું બનાવી ભાજપ રાજ્યસભા જીતવા માંગે છે*
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં પાટીદારને ટિકિટ આપવામાં કોંગ્રેસના ધારાસભ્યોએ માંગણી કરી હતી. પરંતુ ટિકિટ ના આપતા કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોમાં અસંતોષની લાગણી…
