ઇસ્કોન ગ્રુપ અને શ્રી જલારામ સદાવ્રત દ્રારા કોરોના દર્દીઓને નિઃશુલ્ક સાત્વિક ભોજન
ઇસ્કોન ગ્રુપના શ્રી પ્રવિણ કોટક દ્રારા 2020થી કોરોનાના દર્દીઓ અને પર પ્રાન્તિઓને વતન પ્રૉચાડવા જેવી અવિરત સેવા ચાલું રહી છે, તેમજ નિઃસહાય લોકોને આવાસ, મેડિકલ ચેકઅપ, ભોજન વ્યવસ્થા, અનાજની કીટ વિતરણ જેવા ભગીરથ કાર્યની સાથે સાથે ઇસ્કોન ગ્રુપ અને શ્રી જલારામ સદાવ્રત દ્રારા GMDC કન્વેશન હોલમાં 900 બેડની ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ, મેડીલક સ્ટાફ, ડોક્ટર, નર્સ, સફાઈ કામદાર સાથે આશરે 1500થી પણ વધુ લોકોને સવાર સાંજ સાત્વિક ભોજન,સવારે ચા-નાસ્તો, દૂધ જેવી રોજિંદી જીવન જરૂરી જરીયાતોનું અવિરત નિઃશુલ્ક સેવાઓ દ્રારા ભંડારો દિવસ રાત ચાલું રખાઓ છે.
