ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ તરફથી આપત્કાલીન નોંધ સ્વરૂપે સોશિયલ મીડિયામાં ફરતો થયેલો પત્ર તદ્દન ફેક અને ખોટો છે. આ પત્રથી ગુજરાતના નાગરિકો ગેરમાર્ગે ન દોરાય. આ પત્રમાં કોઇ જ સત્યતા નથી. નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો નીંદનીય પ્રયાસ માત્ર છે. રાજ્ય સરકારના ગૃહવિભાગના પ્રવક્તાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, ગુજરાતના છ મોટા શહેરોમાં તારીખ ૧૧ એપ્રિલ થી તારીખ ૧૭મી એપ્રિલ સુધી રાજ્ય સરકારે સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કર્યો છે એવો આ પત્રમાં ઉલ્લેખ છે જે બિલકુલ અસત્ય અને ખોટો છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારના નામજોગ અને ખોટી સહી સાથેનો આ પત્ર તદ્દન ખોટો અને ફેક છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આવા પત્રને સાચો નહીં માનવા અને ગેરમાર્ગે નહીં દોરાવા ગુજરાતના નાગરિકોને અપીલ કરવામાં આવી છે. આ પત્ર કોણે વાયરલ કર્યો છે તે અંગેની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આવો કોઈ પણ પત્ર સોશિયલ મીડિયા મારફતે આપના સુધી આવે તો તેને વાયરલ નહીં કરવા પણ નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે. ………………………………
Related Posts
મુખ્ય સમાચાર.
*સુરત શિશુવિહાર સ્કૂલમાં વાલીઓએ ઘરણા* સુરત:અડાજણ વિસ્તારમાં આવેલી શિશુવિહાર સ્કૂલમાં વાલીઓએ ધરણા પ્રદર્શન યોજ્યાં છે. શાળામાં ઓનલાઇન અભ્યાસના નામે ફી…
*સોબ્રીમેસા એન્ડ સીએસ્ટા*
*શબ્દનો અનુવાદ થઈ શકે, સુખનો નહીં. * કારણકે આ જગતમાં ભાષા ભિન્ન હોય શકે, ભાવ નહીં. *આ વિશ્વ ભાષા પર…
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધિકારીઓ સાથે મેરેથોન બેઠક પૂર્ણ,સુરતમાં કોરોના વાયરસનો કહેર, વધુ 200 વેન્ટિલેટર ફાળવાયા.
સુરતઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધિકારીઓ સાથે મેરેથોન બેઠક પૂર્ણ,સુરતમાં કોરોના વાયરસનો કહેર, વધુ 200 વેન્ટિલેટર ફાળવાયા
