ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ તરફથી આપત્કાલીન નોંધ સ્વરૂપે સોશિયલ મીડિયામાં ફરતો થયેલો પત્ર તદ્દન ફેક અને ખોટો છે. આ પત્રથી ગુજરાતના નાગરિકો ગેરમાર્ગે ન દોરાય. આ પત્રમાં કોઇ જ સત્યતા નથી. નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો નીંદનીય પ્રયાસ માત્ર છે. રાજ્ય સરકારના ગૃહવિભાગના પ્રવક્તાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, ગુજરાતના છ મોટા શહેરોમાં તારીખ ૧૧ એપ્રિલ થી તારીખ ૧૭મી એપ્રિલ સુધી રાજ્ય સરકારે સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કર્યો છે એવો આ પત્રમાં ઉલ્લેખ છે જે બિલકુલ અસત્ય અને ખોટો છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારના નામજોગ અને ખોટી સહી સાથેનો આ પત્ર તદ્દન ખોટો અને ફેક છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આવા પત્રને સાચો નહીં માનવા અને ગેરમાર્ગે નહીં દોરાવા ગુજરાતના નાગરિકોને અપીલ કરવામાં આવી છે. આ પત્ર કોણે વાયરલ કર્યો છે તે અંગેની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આવો કોઈ પણ પત્ર સોશિયલ મીડિયા મારફતે આપના સુધી આવે તો તેને વાયરલ નહીં કરવા પણ નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે. ………………………………
Related Posts
આઘ્યાત્મિકતા આપણા સપનાઓને પંખે લટકતાં અટકાવી શકે છે. -તિર્થંક રાણા, સ્ટ્રીટલાઈટ કોલમ.
ધારો કે, તમને કોઈ એમ કહે કે કાલથી તમારે આ જ પ્રકારના કપડાં પહેરવાના, ફલાણા પ્રકારનું જ માસ્ક પહેરવાનું અને…
■ *સોશ્યલ મીડિયાના કાર્યકર્તાઓ જોગ સૂચના* ■
■ *સોશ્યલ મીડિયાના કાર્યકર્તાઓ જોગ સૂચના* ■ *નમસ્કાર… કાર્યકર્તા મિત્રો..* *રાજકોટ જિલ્લા ભાજપ આઈ.ટી.સોશ્યલ મીડિયાના સંયોજકશ્રી હિરેનભાઈ જોશીની એક તમામ…
ડીફેન્સીવ રમી 50-55 -60 પુરા કર્યા, હવે ખભા ઉંચકવા છે, ચોક્કા છક્કા મારવા છે, હવે જ ખરી મજા છે.
ડીફેન્સીવ રમી 50-55 -60 પુરા કર્યા, *હવે ખભા ઉંચકવા છે,* ચોક્કા છક્કા મારવા છે, હવે જ ખરી મજા છે. તનથી…
