ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ તરફથી આપત્કાલીન નોંધ સ્વરૂપે સોશિયલ મીડિયામાં ફરતો થયેલો પત્ર તદ્દન ફેક અને ખોટો છે. આ પત્રથી ગુજરાતના નાગરિકો ગેરમાર્ગે ન દોરાય. આ પત્રમાં કોઇ જ સત્યતા નથી. નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો નીંદનીય પ્રયાસ માત્ર છે. રાજ્ય સરકારના ગૃહવિભાગના પ્રવક્તાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, ગુજરાતના છ મોટા શહેરોમાં તારીખ ૧૧ એપ્રિલ થી તારીખ ૧૭મી એપ્રિલ સુધી રાજ્ય સરકારે સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કર્યો છે એવો આ પત્રમાં ઉલ્લેખ છે જે બિલકુલ અસત્ય અને ખોટો છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારના નામજોગ અને ખોટી સહી સાથેનો આ પત્ર તદ્દન ખોટો અને ફેક છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આવા પત્રને સાચો નહીં માનવા અને ગેરમાર્ગે નહીં દોરાવા ગુજરાતના નાગરિકોને અપીલ કરવામાં આવી છે. આ પત્ર કોણે વાયરલ કર્યો છે તે અંગેની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આવો કોઈ પણ પત્ર સોશિયલ મીડિયા મારફતે આપના સુધી આવે તો તેને વાયરલ નહીં કરવા પણ નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે. ………………………………
Related Posts
*માહિતી નિયામકના હસ્તે નવા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ, તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાયું સન્માન*
*માહિતી નિયામકના હસ્તે નવા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ, તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાયું સન્માન* મહેસાણા, સંજીવ રાજપૂત: કન્યા કેળવણી અને શાળા…
જામનગરઃ શહેરમાં અષાઢી બીજ નિમિત્તે વછરાજ ધામ મંદિર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.
જામનગરઃ શહેરમાં અષાઢી બીજ નિમિત્તે વછરાજ ધામ મંદિર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. હાલ જે પ્રકારે કોરોના સંક્રમણનો…
अमिताभ बच्चन का आज 78वां जन्मदिन है. इस मौके पर उन्हें पूरे देश से बधाई संदेश मिल रहे हैं.
अमिताभ बच्चन का आज 78वां जन्मदिन है. इस मौके पर उन्हें पूरे देश से बधाई संदेश मिल रहे हैं. बॉलीवुड,…
