ભાજપના વધુ એક ધારાસભ્ય પર બળાત્કારનો આરોપ

લખનૌઃ ભાજપના ભદોહી વિધાનસભા વિસ્તારથી વિધાનસભ્ય રવીન્દ્રનાથ ત્રિપાઠી સહિત તેમના પરિવારના છ લોકો પર એક મહિલાએ મહિનાઓ સુધી બળાત્કાર કરવાનો આરોપ મૂક્યો છે.એસપીએ આ પૂરા મામલાની તપાસ એડિશનલ એસપીને સોંપી છે. તપાસ અહેવાલ 15 દિવસમાં આવશે. વિધાનસભ્ય રવીન્દ્રનાથ ત્રિપાઠીએ આને રાજકારણનું ષડયંત્ર અને ખોટા આરોપ કરવાનો મામલો બતાવ્યો છે. જ્યારે પીડિતાનું કહ્યું છે કે પ્રથમ ભાજપના વિધાનસભ્યના ભત્રીજા સંદીપ તિવારી લગ્ન કરવાનું વચન આપીને તેની પર મહિનાઓ સુધી દુષ્કર્મ આચરતો રહ્યો હતો. એ પછી વિધાનસભ્ય સહિત તેમના પરિવારના અન્ય લોકો પણ તેના પર બળાત્કાર કર્યો હતો.