પાલનપુર: રાજય અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સારી રીતે જળવાઇ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરશ્રી આનંદ પટેલે મહત્વનો નિર્ણય લઇ આવા તત્વો સામે સપાટો બોલાવ્યો છે. દારૂની હેરફેર કરતાં વધુ ૭ જેટલાં બુટલેગરોને આ મહિનામાં પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલમાં મોકલવાના કડક આદેશ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલે છેલ્લા ૬ મહિનામાં ચોરી, લૂંટ, ઘરફોડ ચોરી, બુટલેગર, ધાડ, અપહરણ જેવી વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પકડાયેલા કુલ-૩૯ જેટલાં અસામાજિક તત્વોને (પાસા) હેઠળ વિવિધ જેલોમાં મોકલવાના આદેશ કર્યા છે. આ આદેશ ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ અટકાવવાના અધિનિયમ-૧૯૮૫ના કાયદાની કલમ- ૩(૧) હેઠળ કરવામાં આવ્યો છે. જેનાથી બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતાં તત્વોમાં ભય અને ફફડાટ વ્યાપો છે.
Related Posts
દેશની દીકરીને સલામ: કોરોનાની મહમારીમાં 5 હજારથી વધુ કીટ વિતરણ કરી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સિદ્ધિ મેળવતા નયનાબા જાડેજા..
જામનગર: તમારો સમય સારો હોય તો જેમનો સમય સારો નથી તેને મદદરૂપ બનો આ શબ્દો છે એક મહિલા તેમજ સામાજિક…
ગીર ગઢડાના જુના ઉગલામાં દીપડાના હુમલામાં 4 વર્ષના હસમુખ મકવાણા નામના બાળકનું મૃત્યુ.
ગીર ગઢડાના જુના ઉગલામાં દીપડાના હુમલામાં 4 વર્ષના હસમુખ મકવાણા નામના બાળકનું મૃત્યુ. ગીર સોમનાથ જિલ્લામાં ટૂંકા ગાળામાં આ બીજી…
અમદાવાદ ૧૮૨ ગ્રામ ચરસના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો
અમદાવાદ ૧૮૨ ગ્રામ ચરસના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો કારંજ પોલીસે આરોપીની ત્રણ દરવાજા પાસેથી ધરપકડ કરી.
