પાલનપુર: રાજય અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સારી રીતે જળવાઇ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરશ્રી આનંદ પટેલે મહત્વનો નિર્ણય લઇ આવા તત્વો સામે સપાટો બોલાવ્યો છે. દારૂની હેરફેર કરતાં વધુ ૭ જેટલાં બુટલેગરોને આ મહિનામાં પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલમાં મોકલવાના કડક આદેશ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલે છેલ્લા ૬ મહિનામાં ચોરી, લૂંટ, ઘરફોડ ચોરી, બુટલેગર, ધાડ, અપહરણ જેવી વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પકડાયેલા કુલ-૩૯ જેટલાં અસામાજિક તત્વોને (પાસા) હેઠળ વિવિધ જેલોમાં મોકલવાના આદેશ કર્યા છે. આ આદેશ ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ અટકાવવાના અધિનિયમ-૧૯૮૫ના કાયદાની કલમ- ૩(૧) હેઠળ કરવામાં આવ્યો છે. જેનાથી બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતાં તત્વોમાં ભય અને ફફડાટ વ્યાપો છે.
Related Posts
નવલી નવરાત્રિને ધ્યાનમાં રાખી ક્લાઉડલેન્ડ એન્ટરટેનમેન્ટ દ્વારા રાધે શ્યામ ગીત લોન્ચ કરવામાં આવ્યું.
*જીએનએ અમદાવાદ: નવરાત્રી એ ગુજરાતીઓ માટે ખુબજ મહત્ત્વ નો તહેવાર છે અને જો યુવાનો ની વાત કરીએ તો તેઓ આ તહેવાર માટે…
*📌 ભરૂચ: ભરૂચ-અંક્લેશ્વરમાં સપ્ટેમ્બરમાં આવેલું ભયંકર પુર ભાજપ સર્જિત હતું : AAP એ કરી પ્રેસ કોન્ફરન્સ*
*📌 ભરૂચ: ભરૂચ-અંક્લેશ્વરમાં સપ્ટેમ્બરમાં આવેલું ભયંકર પુર ભાજપ સર્જિત હતું : AAP એ કરી પ્રેસ કોન્ફરન્સ* 🔸17 સપ્ટેમ્બરે વડાપ્રધાન…
મુખ્ય સમાચાર.
*આજે અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયત આયોજિત* *સિંધી પંચાયતનું પ્રથમ વખત ઐતિહાસિક નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીની* *મિટિંગ વિડીયો કોન્ફરન્સ દ્વારા…
