ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને ઈ-મેમો મોકલવા માટે શહેરભરમાં 2500 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનું મોનિટરિંગ પોલીસ કમિશનર કચેરીમાં અલગથી બનાવવામાં આવેલા સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવે છે અને ત્યાંથી જ વાહનચાલકોને ઈ-મેમો મોકલવામાં આવે છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા રોજના 4 હજાર વાહનચાલકોને ઈ-મેમો મોકલવામાં આવે છે. પરંતુ સિસ્ટમની ખામીના કારણે તેમાંથી રોજે રોજ 700 થી 800 ઈ-મેમો રદ કરવા પડે છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઇ તો રોજના સરેરાશ 20 થી 30 ટકા ઈ-મેમો રદ કરવા પડે છે. વાહન નંબરની સિરિઝ જોવામાં ભૂલ થતી હોવાથી લોકો ખોટી રીતે દંડાતા હોય છે. કેટલાક કિસ્સામાં તો માલિક પાસે જે વાહન હોય નહીં તેનો મેમો આવી જતો હોય છે.
Related Posts
*રેલવે ની કન્ફર્મ્ડ ટિકિટ નહીં મળે તો ફ્લાઈટથી સફર કરવાનો મોકો મળશે*
મુંબઈ લાંબા અંતરની રેલવે ટિકિટ બુક કરાવતી વખતે બધાયને એ જ ચિંતા સતાવતી હોય છે કે કન્ફર્મ્ડ ટિકિટ મળશે કે…
ગાંધીનગરમાં કોરોના સંક્રમણની નરવી વાસ્તવિકતા આવી સામે. સરકારના સબસ્લામતના દાવાની પોલ ખુલી.1 જ એમ્બ્યુલન્સમાં 4 ડેડબોડી લાવવામાં આવી. એમ્બ્યુલન્સ અછત આવી સામે.
ગાંધીનગર ગાંધીનગર માં કોરોના સંક્રમણ ની નરવી વાસ્તવિકતા આવી સામે સરકારના સબસ્લામત ના દાવા ની પોલ ખુલી 1 જ એમ્બ્યુલન્સ…
કલાકાર શ્રી રમેશ પરમાર નું દુઃખદ અવસાન.
ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના પૂર્વ સચિવ અને બાહોશ અધિકારી, કલાકાર શ્રી રમેશ પરમારને જૂની પેઢીના કોઈ ચિત્રકારો ઓળખતા ન…
