ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને ઈ-મેમો મોકલવા માટે શહેરભરમાં 2500 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનું મોનિટરિંગ પોલીસ કમિશનર કચેરીમાં અલગથી બનાવવામાં આવેલા સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવે છે અને ત્યાંથી જ વાહનચાલકોને ઈ-મેમો મોકલવામાં આવે છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા રોજના 4 હજાર વાહનચાલકોને ઈ-મેમો મોકલવામાં આવે છે. પરંતુ સિસ્ટમની ખામીના કારણે તેમાંથી રોજે રોજ 700 થી 800 ઈ-મેમો રદ કરવા પડે છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઇ તો રોજના સરેરાશ 20 થી 30 ટકા ઈ-મેમો રદ કરવા પડે છે. વાહન નંબરની સિરિઝ જોવામાં ભૂલ થતી હોવાથી લોકો ખોટી રીતે દંડાતા હોય છે. કેટલાક કિસ્સામાં તો માલિક પાસે જે વાહન હોય નહીં તેનો મેમો આવી જતો હોય છે.
Related Posts
*નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની નિષ્ણાંત તબીબો સાથે પરામર્શ બેઠક*
: નાયબ મુખ્યમંત્રી શ્રી:- *• સમગ્ર દેશમાં પર મિલીયન એટલે કે પ્રતિ ૧૦ લાખ વ્યક્તિએ કોરોના ટેસ્ટનો દર ગુજરાતનો સૌથી…
ચોમાસાની વિદાય વચ્ચેરાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી.
ચોમાસાની વિદાય વચ્ચેરાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી 16, 17 ઓક્ટોબરે પડી શકે ભારે વરસાદ સૌરાષ્ટ્ર, દ. ગુજરાતમાં પડી શકે…
ગીર, બરડા અને રબારી, ભરવાડ, ચારણ સમુદાયને આપેલ આદિજાતિના ખોટા પ્રમાણપત્ર ના વિરોધ બાબતે દેડિયાપાડા ખાતે પ્રાંત અધિકારીને આદિવાસી સમાજના આગેવાનોએ આપ્યું આવેદન.
રાજ્ય સરકારે આપેલ ખોટા પ્રમાણપત્રો રદ કરવા અને પ્રમાણપત્રો લેનાર અને આપનાર સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી. ગીર, બરડા…
