ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને ઈ-મેમો મોકલવા માટે શહેરભરમાં 2500 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનું મોનિટરિંગ પોલીસ કમિશનર કચેરીમાં અલગથી બનાવવામાં આવેલા સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવે છે અને ત્યાંથી જ વાહનચાલકોને ઈ-મેમો મોકલવામાં આવે છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા રોજના 4 હજાર વાહનચાલકોને ઈ-મેમો મોકલવામાં આવે છે. પરંતુ સિસ્ટમની ખામીના કારણે તેમાંથી રોજે રોજ 700 થી 800 ઈ-મેમો રદ કરવા પડે છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઇ તો રોજના સરેરાશ 20 થી 30 ટકા ઈ-મેમો રદ કરવા પડે છે. વાહન નંબરની સિરિઝ જોવામાં ભૂલ થતી હોવાથી લોકો ખોટી રીતે દંડાતા હોય છે. કેટલાક કિસ્સામાં તો માલિક પાસે જે વાહન હોય નહીં તેનો મેમો આવી જતો હોય છે.
Related Posts
પ્રોહીબીશનના ગુનામા સંડોવાયેલ રાજપીપળા નો આરોપી પાસામાં ધકેલાયો.
પ્રોહીબીશનના ગુનામા સંડોવાયેલ રાજપીપળા નો આરોપી પાસામાં ધકેલાયો. એલ.સી.બી.પોલીસે આરોપીનેપાલનપુર જીલ્લા જેલ ખાતે મોકલી આપ્યો રાજપીપળા, તા 18 નર્મદા જિલ્લા…
રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ બદલાઈ
GMDC સુપરવાઈઝરની પરીક્ષાની તારીખ 23 મે. મદદનીશ ઈજનેર વર્ગ-2ની તારીખ 6 જૂન. ઉધોગ અધિકારી વર્ગ-2ની તારીખ 23 મે. કચેરી અધિક્ષક…
*આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ટીબીના દર્દીઓ માટે આરોગ્ય વિષયક સેમિનાર યોજાયો*
*આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ટીબીના દર્દીઓ માટે આરોગ્ય વિષયક સેમિનાર યોજાયો* ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના…
