ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને ઈ-મેમો મોકલવા માટે શહેરભરમાં 2500 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનું મોનિટરિંગ પોલીસ કમિશનર કચેરીમાં અલગથી બનાવવામાં આવેલા સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવે છે અને ત્યાંથી જ વાહનચાલકોને ઈ-મેમો મોકલવામાં આવે છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા રોજના 4 હજાર વાહનચાલકોને ઈ-મેમો મોકલવામાં આવે છે. પરંતુ સિસ્ટમની ખામીના કારણે તેમાંથી રોજે રોજ 700 થી 800 ઈ-મેમો રદ કરવા પડે છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઇ તો રોજના સરેરાશ 20 થી 30 ટકા ઈ-મેમો રદ કરવા પડે છે. વાહન નંબરની સિરિઝ જોવામાં ભૂલ થતી હોવાથી લોકો ખોટી રીતે દંડાતા હોય છે. કેટલાક કિસ્સામાં તો માલિક પાસે જે વાહન હોય નહીં તેનો મેમો આવી જતો હોય છે.
Related Posts
આવતી કાલે ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રી સાથે પ્રાથમિક શિક્ષણ સંઘની બેઠક યોજાશે.
આવતી કાલે ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રી સાથે પ્રાથમિક શિક્ષણ સંઘની બેઠક યોજાશે. જામનગર: આવતી કાલે શિક્ષણમંત્રી સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ…
ગાંધીનગર ચીખલીગર ગેંગને ઝડપી લેનાર સુરત ક્રાઇમ બ્રાન્ચનું ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરત ખાતે કરશે સન્માન: સોર્સ
અમદાવાદ સરસપુર મા આગનો બનાવ
અમદાવાદ સરસપુર મા આગનો બનાવ.. આંબેડકર હોલ મા લાગી આગ.. વેલ્ડીંગ કરતા સમયે લાગી આગ… ફાયર ની 6 ગાડીઓ ઘટના…
