ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને ઈ-મેમો મોકલવા માટે શહેરભરમાં 2500 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનું મોનિટરિંગ પોલીસ કમિશનર કચેરીમાં અલગથી બનાવવામાં આવેલા સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવે છે અને ત્યાંથી જ વાહનચાલકોને ઈ-મેમો મોકલવામાં આવે છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા રોજના 4 હજાર વાહનચાલકોને ઈ-મેમો મોકલવામાં આવે છે. પરંતુ સિસ્ટમની ખામીના કારણે તેમાંથી રોજે રોજ 700 થી 800 ઈ-મેમો રદ કરવા પડે છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઇ તો રોજના સરેરાશ 20 થી 30 ટકા ઈ-મેમો રદ કરવા પડે છે. વાહન નંબરની સિરિઝ જોવામાં ભૂલ થતી હોવાથી લોકો ખોટી રીતે દંડાતા હોય છે. કેટલાક કિસ્સામાં તો માલિક પાસે જે વાહન હોય નહીં તેનો મેમો આવી જતો હોય છે.
Related Posts
*📌પેટા ચૂંટણી: આજે મત ગણતરી…*
*📌પેટા ચૂંટણી: આજે મત ગણતરી…* ઝારખંડ, ત્રિપુરા, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની સાત વિધાનસભા બેઠકો પર પેટા…
રાજપીપળા ફોરેસ્ટર રેન્જર્સ કોલેજ દ્વારા શરૂ કરાયેલી દાનની દિવાલ ની દુર્દશા.
ઉમદા સેવાની ભાવના સાથે શરૂ કરાયેલી આ સેવા પ્રવૃતિનો બાળમરણ. રાજપીપલા, તા.13 રાજપીપળા ફોરેસ્ટર રેન્જર્સ કોલેજ દ્વારા શરૂ વડીયા પેલેસ…
*નવી દિલ્હીમાં ‘યશોભૂમિ’નો પ્રથમ તબક્કો દેશને સમર્પિત કરતા પીએમ નરેન્દ્ર મોદી*
*નવી દિલ્હીમાં ‘યશોભૂમિ’નો પ્રથમ તબક્કો દેશને સમર્પિત કરતા પીએમ નરેન્દ્ર મોદી* નવી દિલ્હી: સંજીવ રાજપૂત: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી…
