રાજકોટ કલેક્ટર દ્વારા પત્રકારોને ચેક આપવા મામલે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે રાજ્ય સરકારને આડેહાથ લીધી છે. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો કરનાર રૂપાણીના પગ નીચે જ ભ્રષટાચારનો રેલો જોવા મળી રહ્યો છે. સાથે જ જયરાજસિંહે કહ્યું કે ચેક આપવા અંગે સરકાર ખુલાસો કરે. મુખ્યમંત્રી વિજય રૂપાણી જાતે ખુલાસો કરે. પત્રકારોને ચેક આપવા મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. અમિત ચાવડાએ કહ્યુ હતુ કે, ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં લડતની વાત કરવામાં આવે છે. પરંતુ મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં પત્રકારોને મુખ્યમંત્રી કાર્યાલયના ઇશારે ચેક આપવામાં આવે છે. રાજ્યમાં સરકાર ભ્રષ્ટાચારને ડામવામાં નિષ્ફળ રહી છે.
Related Posts
પેટ્રોલ : 50/- પ્રતિ લિટર. હા. આ અમદાવાદ નો આવનાર ટુંક સમય નો ભાવ હોઈ શકે. – પંકજ આહીર
કાચા તેલને લઇ સાઉદી અરબ અને રશિયા વચ્ચે છેડાયેલા પ્રાઇસ વોરના કારણે તમને ખુબ જ જલ્દી ફાયદો થઇ શકે છે.…
ભાજપના પ્રદેશ પ્રમુખ ચંન્દ્રકાંત પાટીલે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનાર ભાજપના હોદેદારોને સસ્પેન્ડ કર્યા. નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમા પાટીલના મેન્ડેટનો અનાદર કરનારા સસ્પેન્ડ. મેન્ડેડનો અનાદર કરનાર 38 લોકોને સસ્પેન્ડ. હારીજમાંથી 4, ખેડબ્રહ્મામાંથી 2, થરાદમાંથી 3 લોકો કર્યા સસ્પેન્ડ. રાજકોટ જિલ્લાના ઉપલેટામાંથી 14, રાપરમાંથી 13 અને તળાજામાંથી 2 લોકો કર્યા સસ્પેન્ડ.
ભાજપના પ્રદેશ પ્રમુખ ચંન્દ્રકાંત પાટીલે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનાર ભાજપના હોદેદારોને સસ્પેન્ડ કર્યા. નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમા પાટીલના મેન્ડેટનો અનાદર…
વેક્સિનના બે ડોઝ વચ્ચે 12 થી 16 અઠવાડિયાનું અંતર ફરજિયાત.
કોવિડશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચે 12 થી 16 અઠવાડિયાનું (એટલે કે 84 થી 112 દિવસનું) અંતર ફરજિયાત. આરોગ્ય મંત્રાલયની એક્સપર્ટ…
