રાજકોટ કલેક્ટર દ્વારા પત્રકારોને ચેક આપવા મામલે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે રાજ્ય સરકારને આડેહાથ લીધી છે. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો કરનાર રૂપાણીના પગ નીચે જ ભ્રષટાચારનો રેલો જોવા મળી રહ્યો છે. સાથે જ જયરાજસિંહે કહ્યું કે ચેક આપવા અંગે સરકાર ખુલાસો કરે. મુખ્યમંત્રી વિજય રૂપાણી જાતે ખુલાસો કરે. પત્રકારોને ચેક આપવા મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. અમિત ચાવડાએ કહ્યુ હતુ કે, ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં લડતની વાત કરવામાં આવે છે. પરંતુ મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં પત્રકારોને મુખ્યમંત્રી કાર્યાલયના ઇશારે ચેક આપવામાં આવે છે. રાજ્યમાં સરકાર ભ્રષ્ટાચારને ડામવામાં નિષ્ફળ રહી છે.
Related Posts
અમદાવાદમાં સ્કૂલે 50 વર્ષ પૂર્ણ કરતા પર્યાવરણ જનજાગૃતિ રેલીનું કરાયું આયોજન. અમદાવાદ: અમદાવાદની શ્રી ન્યુ વિદ્યાવિહાર ફોર ગર્લ્સ દ્વારા શિક્ષણ…
*મોરબી: ઈરાન ઇઝરાયેલ યુદ્ધમાં ગેસની કટોકટી સર્જાય તેવી સ્થિતિ*
*મોરબી: ઈરાન ઇઝરાયેલ યુદ્ધમાં ગેસની કટોકટી સર્જાય તેવી સ્થિતિ* મોરબીના ઉધોગપતિઓએ ગેસની સ્થિતિ અંગે ચિંતા વ્યકત કરી સિરામિક…
પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા કરાયેલું સુચારૂં આયોજન
ખોપી ગામના તમામ ઘરોને પાણી મળે તે માટે પાણી પુરવઠા તથા વાસ્મો વિભાગની આયોજનબધ્ધ કામગીરી સાગબારા તાલુકાના ખોપી ગામની પીવાના…
