રાજકોટ કલેક્ટર દ્વારા પત્રકારોને ચેક આપવા મામલે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે રાજ્ય સરકારને આડેહાથ લીધી છે. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો કરનાર રૂપાણીના પગ નીચે જ ભ્રષટાચારનો રેલો જોવા મળી રહ્યો છે. સાથે જ જયરાજસિંહે કહ્યું કે ચેક આપવા અંગે સરકાર ખુલાસો કરે. મુખ્યમંત્રી વિજય રૂપાણી જાતે ખુલાસો કરે. પત્રકારોને ચેક આપવા મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. અમિત ચાવડાએ કહ્યુ હતુ કે, ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં લડતની વાત કરવામાં આવે છે. પરંતુ મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં પત્રકારોને મુખ્યમંત્રી કાર્યાલયના ઇશારે ચેક આપવામાં આવે છે. રાજ્યમાં સરકાર ભ્રષ્ટાચારને ડામવામાં નિષ્ફળ રહી છે.
Related Posts
મીરાં મર્ડર કેસમાં સંદીપ અને મીરાની એક તરફી પ્રેમ કહાણીનો કરુણ અંજામ સંદીપને ના મીરાં મળી ને મીરાંના માબાપે…

*રાજ્યસભાની ચૂંટણીમાં CM રૂપાણીનાં નેતૃત્વમાં ભાજપનો વિજયવાવટો ફરકયો: અભય ભારદ્વાજ, નરહરિ અમીન અને રમીલાબેન બારાની શાનદાર જીત*
*કોંગ્રેસે ચૂંટણી રોકવા ખૂબ ધમપછાડા કર્યા, સુપ્રીમ કોર્ટ સુધી ગઈ, મતદાનમાં ખેલ કર્યાં, વોટિંગ પછી પરિણામ રોકવા ચૂંટણી પંચ સમક્ષ…

*હત્યાના કેસમાં ભાજપના સસ્પેન્ડેડ પૂર્વ ધારાસભ્ય દોષિત*
ઉન્નાવ રેપ કેસની પીડિતાના પિતાની હત્યાના કેસમાં ભાજપના સસ્પેન્ડેડ પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરને દોષિત ઠેરવવામાં આવ્યા છે. દિલ્હીની તીસ હજારી…