*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી*
*તા. 10/09/2020 ગુરૂવાર*
**
*21મી સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું 5 દિવસનું ચોમાસું સત્ર*
24 પ્રકારના વિવિધ કાયદાઓ અને કાયદાઓમાં સુધારકા વિધેયક લાવશે. જેમાં ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ, પાસાના સુધારા, ગુંડા નાબૂદી ધારા, મહેસૂલ રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારા જેવા સુધારા વિધેયક લાવશે
**
*આણંદ રોજગાર કચેરી દ્વારા ઓનલાઈન ભરતી મેળાનું આયોજન*
આણંદ,જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ઓનલાઈન ભરતી મેળાનું આયોજન કરાયું છે. જેમાં રોજવાંચ્છુ ઉમેદવાર વેબસાઈટ-ઈ-મેલ અથવા રોજગાર કચેરી ખાતે આવેલ પોસ્ટ બોક્ષમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે.રોજગાર ભરતી મેળા અન્વયે જીલ્લા રોજગાર કચેરી આણંદ દ્વારા તા. ૧૦, ૧૧, ૧૫, ૧૭, ૧૮, ૨૨, ૨૪ અને ૨૫ સપ્ટેમ્બર-૨૦૨૦ દરમિયાન ટેલીફોનીક અથવા વોટ્સએપ વિડીયો કોલીંગ તેમજ ગુગલમીટ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
**
*અમિત મંછારામણી અભિષેક ટીકમાણી ઈન્જેક્શન કૌભાંડમાં ઝડપાયા*
અમદાવાદમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના સ્ટાફે ડમી ગ્રાહક બની ઈન્જેક્શનનાં કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર ઘનશ્યામ અનિરુધ્ધ વ્યાસ અમિત મંછારામણી, અભિષેક ટીકમાણી અને અમદાવાદની ધ્રુવી ડિસ્ટ્રીબ્યુટર્સના ભાવેશ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે.
**
*પર્યટનને પ્રોત્સાહન આપવા મોટોહોમની શરૂઆત*
નાની કૅરેવાન મહિન્દ્ર મરાઝોની છે જેમાં ૪ જણની સૂવાની વ્યવસ્થા છે. એ કૅરેવાન રોજના ૪૦૦૦ રૂપિયાના ભાડે મળી શકશે જે ટૂરિસ્ટે જાતે સેલ્ફ ડ્રાઇવ કરવાની રહેશે આ માટે ૫૦૦૦ રૂપિયા ડિપોઝિટ રખાઈ છે.
**
*અંબાજી નજીક છાપરી ડેરી પાસે વહેણમાં જીપ પલટી તમામને બચાવી લેવાયા*
અમદાવાદઃ પાલનપુરઃ ગુજરાત-રાજસ્થાન સીમા પાસે બનાસકાંઠા જિલ્લામાં અંબાજી નજીક છાપરી ડેરી પાસે પાણીના તેજ વહેણમાં એક જીપ વહીને પલટી ગઈ આ જીપમાં 10 જણ સવાર હતા સવારીઓમાં મહિલાઓ અને બાળકો પણ હતા.દૂર્ઘટના બાદ ત્યાં બૂમાબૂમ થવા લાગી. ત્યારે સ્થાનિક લોકો તેમજ આબુ રોડની પોલિસ સ્ટેશનની ટીમ તેમને બચાવવા દોડી. ઘટના સ્થળે બધા 10 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા.
**
*લોકોનો સવાલ સોસાયટીઓની જેમ કમલમ્ પણ સીલ થશે?*
ગાંધીનગર સરકાર ભાજપના નેતાઓને સુપર સ્પ્રેડર ગણી પગલા લેશે? સોસાયટીઓની જેમ કમલમ્ પણ સીલ થશે? નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરી થયેલી રેલીઓ બાદ ભાજપના સંખ્યાબંધ નેતાઓ કોરોનાગ્રસ્ત થતા સોશિયલ મીડિયા પર ઠેકડી અમદાવાદ ગુજરાત ભાજપના ટોચના હોદ્દેદારો કોરોના સંક્રમિત થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે
**
*ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતી મુન્નીબાઈ એમ.બી.બી.એસ.ઝડપાઈ*
સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ક્લીનીક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં બોગસ ડોક્ટરો ઝડપી પાડવાના બનાવો અવાર-નવાર બની રહ્યા છે બાતમીના આધારે માલવણ ગામમાં ગેરકાયદેસર રીતે ક્લીનીક ખોલી પ્રેકટીસ કરતા મહિલા ડોક્ટર અલ્કાબેન નરેન્દ્રભાઈ પટેલ ઉ.વ.૪૪ રહે. માલવણવાળા પાસે કોઈપણ જાતની ડીગ્રી કે તબીબી સર્ટીફીકેટ ન હોવા છતા છેલ્લા ત્રણ વર્ષથી બોગસ ડોક્ટર તરીકે લોકોની તપાસ અને સારવાર કરતા હોવાનું બહાર આવ્યું હતું
**
*રાજકોટમાં 11 હોટલોમાં લોકોના ટોળા થતા ૩૭ હજારનો દંડ*
કોરોનાના હોટસ્પોટ બનેલા રાજકોટમાં મહાપાલિકાએ આ મહામારીને નિયંત્રણમાં લેવા વહેલુ નિદાન,વહેલો ઉપચાર સૂત્ર સાથે સઘન સર્વેક્ષણ અને ચેપ ન ફેલાય તે માટે સોશ્યલ ડિસ્ટન્સ પર હવે ભાર મુક્યો છે. શહેરમાં હોટલો પર થતા લોકોના ટોળા અંગે હોટલ માલિકને દરેકને ૨થી ૫ હજાર લેખે ૩૭ હજારનો દંડ વસુલ કરાયો હતો
**
*બે લાંચીયા ઈજનેરો ૪૦ હજારની લાંચ લેતા પકડાયા*
ભુજ, લખપત તાલુકામાં આવેલા પાનાધ્રો થર્મલ પાવર સ્ટેશનના કોન્ટ્રાકટર પાસેાથી બે એન્જિનિયર ૪૦ હજાર રૃપિયાની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં પકડાઈ ગયા છે. બનાવને પગલે ચકચાર મચી ગઈ છે. એન્ટિ કરપ્શન બ્યુરોએ ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
**
*ગેરકાયદે રેલવે ટિકિટોની બુકિંગ કરતા બંગાળથી ઝડપાયા*
સુરત આરપીએફ એ કૌભાંડની ચેન તોડી દેશભરમાંથી 50થી વધુની ધરપકડ કરી રિયલ મેંગો સોફ્ટવેરના મદદથી દેશભરમાં ગેરકાયદેસર રીતે રેલવે ટિકિટની બુકિંગ રેકેટનો પર્દાફાશ કરતા આરપીએફ એ સમગ્ર દેશમાં રિયલ મેંગો સોફ્ટવેરને બ્લોક કરી 5 મુખ્ય આરોપીઓને બંગાળથી પકડી પાડ્યો છે.
**
*ગુજરાત રાજ્યના ગામડાઓમાં નવી સરકારી સ્કૂલો બનશે*
અમદાવાદઃ ગુજરાત સરકારે રાજ્યમાં 67 નવી સરકારી સ્કૂલો બનાવવાનો પ્લાન ઘડી કાઢ્યો છે આ શાળાઓમાં સસ્તી ફીએ ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહે તે ઉદ્દેશ્ય સાથે ગામડામાં નવી શાળા બનાવવાનો પ્લાન ઘડ્યો છે. ટીઓઆઈના અહેવાલ મુજબ વર્ષ 2019-20માં કુલ 118 સરકારી શાળાને મંજૂર કરવામાં આવી હતી પણ કોરોના મહામારીનું બહાનું આગળ ધરી સરકારે આ વર્ષે 67 શાળાનું બાંધકામ શરૂ કરાશે.
**
*વાલીની સંમતિ હોય તે વિદ્યાર્થીને જ સ્કૂલમાં પ્રવેશ: શિક્ષણાધિકારી*
સુરત જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ.રાજયગુરૃના જણાવ્યા મુજબ ધો 9 થી 12 ના વિદ્યાર્થીઓના વાલીઓની સંમતી હોય તેઓને સ્કૂલમાં પ્રવેશ મળશે. સ્કુલ શરૃ કરતા પહેલા સંચાલકોએ સ્કુલ સેનેટાઇઝ કરવી પડશે.
**
*આજે અમિત શાહના હસ્તે કોર્પોરેશનના 116 કરોડના કામોનું ઈ-લોકાર્પણ*
ગાંધીનગરના સાંસદ અને દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આગામી તા.૧૦ સપ્ટેમ્બર ગાંધીનગર મહાનગરપાલિકાના ૧૧૬ કરોડ સહિત તાલુકાના ૧૩૪.૬૪ કરોડના વિવિધ વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવનાર છે. ગાંધીનગર કલેકટર કચેરી, સે-૭ના બગીચામાં અને રૂપાલ ખાતે આ કાર્યક્રમ યોજાશે. તો કલોલ તાલુકામાં પણ ૯૦ લાખની વધુના ખર્ચે કન્યા શાળાના વર્ગખંડોનું ખાતમુહુર્ત કરવામાં આવશે.
**
*ઇડર દુષ્કર્મના કેસમાં લંપટ સાધુ રાજતિલકની જામીન અરજી નામંજુર*
દુષ્કર્મના કેસમાં જેલમાં બંધ ઇડરના પાવાપુરી જલમંદિરના લંપટ જૈન સાધુ રાજતિલકની જામીન અરજી સેશન્સ કોર્ટે પણ નામંજુર કરતા સાધુનો જેલવાસ લંબાયો છે. આ સાધુ સામે સુરેન્દ્રનગરની મહિલાએ ગત તા. ૨૫ ઓગષ્ટના રોજ ઇડર પોલીસ મથકમાં દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી હતી.
**
*રિયાની જામીન અરજી રદ14 દિવસની જ્યુડિશ્યલ કસ્ટડી*
મુંબઈ: રિયાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી છે. રિયાના વકીલ સતીશ માનશિંદેએ રિયાના જામીન માટે અરજી કરી હતી જેને કોર્ટે માન્ય નથી રાખી.સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગનો મામલો બહાર આવ્યો ત્યાર બાદ બાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ રિયા ચક્રવર્તીની ધરપકડ કરીને કોર્ટની સમક્ષ હાજર કરી હતી.
**
*એક્સપ્રેસ હાઈવે પરના ફાસ્ટટેગના નામે લૂંટાતા હોવાનો આક્ષેપ*
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ટોલનાકા ખાતે ફાસ્ટટેગના નામે વાહનચાલકો પાસેથી વધુ નાણા પડાવાતા હોવાના આક્ષેપ કેટલાક જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં દિશા સૂચક બોર્ડના અભાવે ફાસ્ટટેગ લેનમાં પ્રવેશતા વાહનચાલકો પાસેથી ડબલ ચાર્જ લેવામાં આવતા વાહનચાલકોમાં રોષ વ્યાપ્યો છે
**
*વડોદરાની સયાજી હોસ્પિટલના ICU-2 વોર્ડમાં આગ*
સયાજી હોસ્પિટલના આગ લાગી હતી. ઇલેક્ટ્રિક વાયરો સળગતા ધુમાડાથી કોરોના દર્દીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગવાની જાણ થતા જ ફાયર બ્રિગેડ પણ હોસ્પિટલે દોડી આવ્યું હતું. ત્યાર બાદ ફાયર બ્રિગેડે વોર્ડમાં ફસાયેલા કોરોના દર્દીઓને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી.
**
*શ્વેતા જાડેજાએ તપાસમાં સાથ સહકાર આપવાના દાવા સાથે જામીન અરજી*
સેશન્સ કોર્ટએ કેસની તપાસ ચાલુ હોવાથી જામીન અરજી ફગાવી હતી.સેશન કોર્ટે આ દરમિયાન એવું પણ કહ્યું હતું કે શ્વેતાએ સત્તાનો દૂરપયોગ કર્યો છે માટે તેમને જામીન આપી શકાય નહી.આમ શ્વેતાના ભૂતકાળનું અવલોકન કર્યા બાદ કોર્ટે જામીન અરજી ફગાવી હતી. હવે આ મામલે સેશન કોર્ટમાં આવતા સપ્તાહે જામીન અરજી પર સુનાવણી થાય તેવી શક્યતા
**
*ભાજપ પ્રમુખ સીઆર પાટીલ થયા કોરોના પોઝીટીવ*
ગુજરાત પ્રવાસ પડ્યો ભારે ભાજપા પ્રમુખ સીઆર પાટીલ કોરોના પોઝીટીવ આવ્યા છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પ્રવાસ બાદ સીઆર પાટીલ ખાનગી એપોલો હોસ્પિટલમાં ગઈકાલે કોરોના ટેસ્ટ કરાવાયો હતો.
*****
*સુરત: સ્થાનિકોએ કોર્પોરેટર અને એસએમસી અધિકારીઓનો ઉધરડો લીધો*
સુરત મોટા વરાછા વિસ્તારમાં ડ્રેનેજના પાણીના ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ એસએમસી અધિકારી અને સ્થાનિક કોર્પોરેટરનો ઉઘડો લીધો.
વરાછાના એબીસી સર્કલ પાસે ડ્રેનેજ પાણીથી ત્રસ્ત લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના કોર્પોરેટર દેવરાજભાઈને લોકોએ ખખડાવ્યા હતા અનેક વાર પાલિકા અધિકારીને ડ્રેનેજ સમસ્યાને લઈ ફરિયાદ કરી હોવા છતા કોઈ ઉકેલ ન આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો
****
