CBDTએ દરેક બેંક અને પોસ્ટ ઓફિસમાં પોતાની યુટિલિટી લિન્ક ઇન્સ્ટોલ કરવી.

કોઈ પણ બેંક ધારક બેન્કમાંથી રોકડા રૂપિયા ઉપાડશે કે તેની વિગતો સિસ્ટમ ચેક કરી લેશે

ચોક્કસ રકમ કરતાં વધારે રકમ ઉપાડવામાં આવશે કે તરત જ તેના ઉપર નક્કી કરેલો TDS પણ કાપી લેવામાં આવશે

CBDT દરેક બેંકો તેમજ પોસ્ટ ઓફિસને યુટીલીટી પૂરી પાડશે જેથી 1 કરોડ ઉપરનો રોકડ ઉપાડ થાય તો બે ટકા TDS આપમેળે કપાઈ જાય બેન્કો દ્વારા ટીડીએસ કાપવામાં કોઈ ગરબડ કરવામાં આવે નહીં તેના માટે આ પગલું લેવામાં આવ્યું છે જો કોઈ ખાતેદારે છેલ્લા ત્રણ વર્ષના રિટર્ન નહીં કર્યા હોય તો તે હવે છટકી શકશે નહીં.

ચાલુ વર્ષના બજેટમાં આવક વેરાની નવી ઉમેરાયેલી કલમ 194-N મુજબ એક કરોડથી વધુ રકમનો રોકડમાં ઉપાડ કરનાર કોઈપણ કરદાતા માટે આખા વર્ષમાં ટુકડે-ટુકડે મળીને પણ જો એક કરોડથી વધુ ઉપાડ થઈ જાય તો દરેક બેન્ક કો.ઓ. બેંક તેમજ પોસ્ટ ઓફિસ આવી રોકડ ઉપાડ ચુકવણી કરતી વખતે બે ટકા લેખે TDS કાપી લેશે વધુમાં આ જોગવાઈ મુજબ કરદાતાએ છેલ્લા ત્રણ વર્ષના ઇન્કમટેક્સ રિટર્ન નહીં ભરેલ હોય તો આ ઉપાડની લિમિટ ઘટાડીને 20 લાખ કરી દેવામાં આવેલ છે એટલે કે ત્રણ વર્ષના રિટર્ન ફાઇલ નહીં કરનાર કરદાતાઓ 20 લાખથી વધુની રોકડ ઉપાડ કરશે તો બે ટકા લેખે TDS કપાવાનું શરૂ થઈ જશે.

જો ત્રણ વર્ષના રિટર્ન ફાઇલ નહીં કરનાર દાતા જ્યારે એક કરોડથી વધારેનો ઉપાડ કરશે તો તેને ઉપાડ ઉપર પાંચ ટકા લેખે TDS કપાશે હવે બેંકો આ કાર્યવાહી બરોબર રીતે નિભાવે તે માટે CBDT એ પોતે જ યુટીલીટી ડેવલપ કરી છે. આ યુટીલીટી બેંકો તથા પોસ્ટ ઓફિસની ઈન્ટરકોર બેન્કિંગ સોલ્યુશન્સ સાથે લિંક કરી દેવામાં આવશે. જેને પગલે દરેક બેન્ક અને પોસ્ટ ઓફિસમાં જ્યારે કોઈ વ્યક્તિ રોકડ ઉપાડવા માટે આવે ત્યારે ફરજિયાત તેનો PAN નંબર એન્ટર કરવાનું રહેશે અને PAN નંબર એન્ટર થતાની સાથે જ યુટીલીટી રોકડ ઉપાડવા માટે આવેલા ખાતેદારે રિટર્ન ફાઇલ કર્યા છે કે નહીં તે ઓટોમેટિક ચેક કરી લેશે. જો જે તે ખાતેદારે રીટન ભરેલ નહિ હ હોય તો સિસ્ટમ જાતે જ તેનો ઉપાડ 20 લાખ થાય કે તરત જ TDS કાપવાનું શરૂ કરી દેશે. આવા ખાતેદારનો ઉપાડ એક કરોડ ઉપર જશે કે તરત જ તેના ઉપર પાંચ ટકા લેખે TDS કાપવાનું શરૂ થઈ જશે.

રેગ્યુલર રિટર્ન ફાઈલ કરનાર ખાતેદાર માટે એક કરોડના ઉપાડ ઉપર બે ટકા લેખે TDS કપાશે જો કોઈ ખાતેદાર PAN કાર્ડ નથી ધરાવતો હોય તો ૨૦ ટકા લેખે TDS કપાશે.CBDT દ્વારા રોકડ વ્યવહારો ઘટાડવા અને આવકવેરા રિટર્ન ફાઇલ નહી કરનારાઓ ને પકડી લેવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે કેટલાક લોકો બેન્કમાંથી કરોડો રૂપિયાના વ્યવહારો કરે છે પરંતુ રિટર્ન ભરતા નથી આવા તત્વોને ઝડપી લઇ તેમની સામે પગલાં લેવાશે.