કોરોના વિષે ઘણું બધુ લખાઈ ગયું આપણે કોરોનાની મજાક સોશિયલ મીડિયા પર ભરપૂર કરી પણ ખરી પણ હવે સાચે જ સાવધાન થઈ જવાનો સમય આવી ગયો છે. આ મહામારી માથી આપણ ને આસાની છૂટકારો મળે એવું લાગતું તો નથી. હજી પણ ભારત ની જનતા આ મહામારીના પરિણામો ને બહુ સહજતાથી લે છે કારણ કે તેમના ઘરો માં હજી ખાવા માટે પૂરતો અનાજ નો સંગ્રહ છે હજી એમની રોજગારી કે ધંધા માથી બાંધી આવક આવતી રહે છે પણ આવનાર ખરાબ પરિણામ ના શિકાર તમે નહીં બનો એવી ગેરસમજ માથી જેટલા જલ્દી બહાર નિકળશો એટલા તમે ફાયદામાં રહેશો. આ મહામારી આપના દરેક ક્ષેત્રો માં અસર કરશે તમારી જૂની લાઈફ સ્ટાઈલ ને ધરમૂળમાંથી ફેરફાર કરવા મજબૂર કરશે તેવી તૈયારી સાથે રહો. આ મહામારી આતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, સામાજિક અને આર્થિક ક્ષેત્રોમાં ઘણી અસર કરશે આ ક્ષેત્રો માં થતી અસર એક સામાન્ય માણસ પર કેવી રીતે પડશે અને તેનો આપણે પોતે યોદ્ધા બની આ પડકાર નો સામનો કરવો જ રહ્યો .
આ મહામારી થી દુનિયા ના દરેક દેશો ને કાઇ જલ્દી છૂટકારો નહીં મળી જાય, કદાચ આનો ઉપાય મળશે ત્યાં સુધી દુનિયા ના ઘણા અલ્પ વિકસિત દેશો ના અર્થતંત્ર પાયમાલ થઈ ગયા હશે. કારણ આવા અલ્પ વિકસિત દેશોને વિશ્વ બેન્ક અને વિકસિત દેશો તરફ આર્થિક સહાય લગભગ બંધ જ થઈ જશે. વિશ્વ બેન્ક પોતે અત્યારે ખસતા હાલતમાં છે વિશ્વ બેન્કે આપેલી લોન પરત કરવામાં ઘણા દેશો અસમર્થ પુરવાર થઈ રહ્યા છે. વિશ્વ બેન્કે તેમની કુલ લોનમાં 70% લોન અલ્પવિકસિત દેશોના આતરિક માળખાને સુધારવા કરવા માટે આપેલી છે જેથી આવા દેશોમાં વિકસિત દેશો તેમનું રોકાણ કરી શકે. વિકસિત દેશો પણ તેમના આર્થિક ફાયદા માટે જ વિશ્વ બેન્ક માં રોકાણ કરે છે. એટ્લે જ વિશ્વ બેન્ક આવા વિકસિત દેશો ની કઠપૂતળી બની રહી છે. અહી પણ કુદરતના નિયમનું પાલન થાય છે.“ બડી મછલી છોટી મછલી કો નિગલ જાતી હે“ વિશ્વ બઁક પણ લોન આપતા પહેલા એ દેશોનું ફાઇનાન્સ રેંકિંગ તપાસતી હોય છે . વિશ્વમાં આવી ઘણી વિશ્વનીય ફાઇનાન્સ રેંકિંગ એજન્સીઓ છે જેઓ અલગ અલગ પેરામીટર્સ થી આવા દેશોનું આર્થિક મૂલ્યાંકન કરતી હોય છે જેથી વિશ્વ બેન્ક અને વિશ્વના રોકાણકારો ને મદદ મળે . આવી ફાઇનાન્સ એજન્સીઑ એ પણ આ મહામારી આવ્યા બાદ ફરી થી દરેક દેશોનું મૂલ્યાંકન કરવું પડશે. વિશ્વના વિકસિત દેશો જેવા કે અમેરિકા, ફ્રાંસ, જર્મની,યુ.કે, ઈંગ્લેન્ડ ઓસટ્રેલિયા જેવા દેશો નું અર્થતંત્ર ને કોરોના ના લીધે ઘણી માઠી અસર પડી છે . આ જ દેશો વિશ્વ ના અન્ય દેશો માં રોકાણ કરે છે અત્યારે તમે જોયું હશે કે દરેક દેશો ના શેરબજાર તળિયે જઈ રહ્યા છે . શેરબજાર માથી રોકાણકારો તેમનું રોકાણ પરત લઈ રહ્યા છે જેથી વિશ્વ ની ગણમાન્ય કંપનીઓના શેર તળિયા પર આવી ગયા છે . અત્યારે ક્રૂડ ઓઇલ, ઉત્પાદન, ઘરેલુ સમાનની માંગમાં વિશ્વ બેન્કના આકડા મુજબ દરેક ક્ષેત્રોમાં મંદીની અસર જોવા મળી રહી છે, અને આ વિશ્વ મહા મંદીનો લાભ ચીન ઉઠાવી રહ્યું છે. ચીને છેલ્લા બે મહિના માં તેનું વિદેશી રોકાણ હદ બહારનું વધારી રહ્યું છે અમેરિકા, જર્મની ની પ્રતિસ્થિત કપનીઓના શેર માં ચીનની બેન્કો ખરીદી રહી છે જેથી એ ભવિષ્યમાં આર્થિક મહા શક્તિ બની શકે. આમ આ મહામારીની અંદર પણ વિશ્વના દરેક દેશો એ પોતાની એફ.ડી.આઈ (ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ)ની નીતિ ને મૂળ માથી ફેરફાર કરવો પડશે. જેથી બહાર નો કોઈ દેશ પોતાના દેશ માં રોકાણ કરી તેની મેલી મુરાદ સાથે પોતાના વિશેષ અધિકારો છીનવીના શકે. એટલે આવા અલ્પ વિકસિત દેશો એ એફડીઆઇ નીતિ માં ઈન્વેસ્ટમેન્ટ ની લાલચે પોતના એથીક્સ બાજુ માં ના મૂકી સર્વ પ્રથમ દેશના આર્થિક મૂલ્યોનું જતન અને સંભાળ લઈ નિર્ણય લેવો જોઈએ. હવે છેલ્લે છેલ્લે વિશ્વના દેશોને ખબર પડી જ ગઈ છે કે દુશમનો થી બચવવા અટોમિક પાવર ની સાથે સાથે મીડિકલ પાવર પણ એટલો જ જરૂરી છે કારણ કે હવે પછી ના યુદ્ધ જેવીક વિજ્ઞાન પર આધારિત હશે. અને હાલ જૈવિક યુદ્ધની શરૂઆત થઈ ગઈ હોય એમ લાગે છે, જો આ સમયે વિશ્વના દરેક દેશોએ ચીનને ના રોક્યું તો તે નજીકના સમયમાં વિશ્વ જમાદાર બની શકે છે. વિશ્વમાં ચીનની ધાક તમે જોઈ શકો છો કે દરેકને ખબર છે આ મહામારી નું એપીસેંટર છે તેમ છતાય ચીનની સામે કોઈ બોલવા તૈયાર નથી, આ કોરોના વાઇરસ ના સંક્રમણમાં ચીનની નિષ્ફળતા અંગે યુરોપિયન દેશોએ એક અહેવાલ વિશ્વ સમક્ષ મૂકવાના હતા પણ ચીન ને આગોતરી જાણ થતાં એ અહેવાલમાં દખલ કરી પોતાની શાખ બચાવી લીધી આના પરથી જોઈ શકાય છે ચીન કેટલું કપટી અને શાતીર છે. વિશ્વના ઘણા દેશો અને રોકાણકારોમાં ચીન પ્રત્યે જે દ્વેષ ભાવ ઊભો થયો છે તેનો લાભ અલ્પ વિકસિત દેશો એ ઉઠાવવો જ જોઈએ. હાલ જાપાન અને અમેરિકા એ ચીન માં રહેલી પોતાની 100 જેટલી કપનીઓ બંધ કરી ભારત જેવા વિશ્વનીય દેશ માં સ્થળાંતર કર્યું છે. આમ આ મહામારી પછી વિશ્વ ફલક પર ગણી નવી તકો નું નિર્માણ થશે .
કોરોના અને ત્યાર પછી ની અસરો આપણને રાષ્ટ્રીય સ્તરે પણ અસર કરશે. હાલ કડવી વાસ્તવિકતા એ છે કે આપણાં દેશ ની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ છે . જો સામાન્ય માણસ ને સમજવું હોય તો RBI જ્યારે જ્યારે રેપો રેટ ઘટાડે ત્યારે સમજવું કે દેશ આર્થિક મુશ્કેલમાં છે. ફાયનાન્સ મિનિસ્ટર શ્રીમતી સિતારમને પણ દેશની આર્થિક સ્થિતિ ને ધ્યાનમાં રાખી ઉધ્યોગોને આર્થિક સહાય પેકેજ ની ઘોષણા કરી છે. ભારતમાં લોક ડાઉન ને જોતાં દરેક ક્ષેત્ર માં નહિવત ઉત્પાદન થઈ રહ્યું છે, સાથે સાથે આપણી સામે દેશ ની માગ અને વિશ્વ ની માંગ પૂરી કરવાની પણ જવાબદારી છે જેથી સરકારે આવા ઉત્પાદન ક્ષેત્રો ને તેમની જવાબદારી પર ઉત્પાદન કરવાની છૂટ આપવી પડી છે . આવા નિકાસ કરતાં ક્ષેત્રો ને પહેલા નિકાસ નો ઓર્ડર પૂરો કરવા ની તાકીદ સરકારે આપી છે . આપણાં દેશ ની નિકાસ માં 37% નો ઘટાડો જોવા મળે છે એ તો સારું છે કે પેટ્રોલિયમ પેદાશ ની કિમત ઘણી ઓછી થઈ ગઈ છે જેથી દેશ આયાત અને નિકાસ ને કિમત ની દ્રષ્ટિએ સરભર કરી રહ્યા છે . વિરોધ પક્ષો એમ કહી રહ્યા છે કે આતરરાષ્ટ્રીય બજાર માં પેટ્રોલિયમ પેદાશ 40 ડોલર પ્રતિ બેરલ મળે છે તેમ છતાય સરકાર પેટ્રોલ,ડિજલ ની કિમત માં ઘટાડો કેમ નથી કરતાં પણ મારે આ મૂરખાઓ ને કહેવું છે અત્યારે સરકાર ની પાસે GST, Income Tax, કે બીજા કોઈ અન્ય ટેક્સ ની આવક નહિવત છે અને સરકારી ખર્ચ અને કોરોના મહામારી ને પહોચી વળવા માટેના ખર્ચ માટે સરકાર પાસે પેટ્રોલિયમ પેદાશ ની આવક પર ના ટેક્સ સિવાય બીજો કોઈ આવક નો ક્ષોત્ર નથી . અર્થતંત્ર ને ઉગારવા માટે હજી સારા આર્થિક પેકેજ ના બુસ્ટર દોજ ની જરૂર છે . વિશ્વ બેન્ક તરફ થી કોરોના માટે અને દેશ ની આર્થિક સ્થિતિ સુધારવા માટે 1 બિલિયન ડોલર ની સહાય આપવા માં આવી છે જે આપણાં માટે સારી વાત કહી શકાય .આ કોરોના લોકડાઉન દરમ્યાન અનએમ્પ્લોયમેંટ નો દર વધી ને 26% થઈ ગયો છે (સીએમઆઇઇ મુજબ) ને જે ખેરેખર ચિતા નું કારણ છે . FITCHI ના મુજબ વર્ષ 2020 માં ભારત નો જીડીપી 5.2% ધારેલ હતો પણ લોકડાઉન પછી આ જીડીપી માં 2.5% નો ઘટાડો થયેલ છે આમ આ વર્ષ માં ફક્ત 2.5% રહેવા ની ધારણા છે.પણ ભારત પાસે આ વિશ્વ મહામંદી થી બચવા પૂરી ક્ષમતા છે વિશ્વ માં આપણે સૌથી યુવા દેશ છે. આપણી કુલ વસ્તી માં થી 70% વસ્તી યુવાન છે આપણી પાસે પૂરતું ઇન્ફ્રા સ્ટ્રકચર છે ,રોડ રસ્તા વીજળી કાચા સમાન ની પૂરતી ની સંપૂર્ણ વ્યવસ્થા છે . આપણી પાસે નવી સ્ટાર્ટઅપ નીતિ છે, જે વિશ્વ ના અન્ય દેશો ને ભારત માં રોકાણ આકર્ષવા માટે પૂરતા છે. ભારતે નવી વ્યાપાર નીતિ થી વિશ્વ ના રોકાણકારો ને આકર્ષવા માં સફળ થશે ,ભારત ને આ પડકાર ની સાથે સાથે FDI(ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેંટ ) નીતિ માં પણ ફેરફાર કરવા ની જરૂર છે , એફડીઆઇ ની હાલ ની નીતિ મુજબ 49% થી 100% અલગ અલગ ક્ષેત્રો માં રોકાણ કરી શકે છે જે દેશ ના મૂલ્યો ને ધ્યાનમાં સરકારે બદલવી જોઈએ. સરકારે રૂપિયા ને બજાર માં ફરતો રાખવો પડશે જ તો જ આપણું અર્થતંત્ર ફરી થી બેઠું થઈ શકે . અને એક જવાબદાર ભારતીય નાગરિક તરીકે તમારે તમારા ખર્ચા પર નિયત્રણ રાખવું પડશે , તમારી રોજિંદગી કાર્ય પ્રણાલી ને બદલી નવા નવા ઇનોવેટિવ વિચારોને અપનાવા પડશે જ તો જ તમે આ મહામારી માથી ઉગરી શકશો .
સાર:
લોકજાગૃતિ કેળવી જ પડશે તો જ સફળ થવાશે, કારણ આ એક વ્યક્તિ ની નહીં પણ વિશ્વ નાગરિક બની ને લડત આપવી પડશે .
Hirak Joshi
હીરક જોશી
કોરોના સામે ભારતની સ્થિતિ. – હિરક જોષી.
