*બાબરા શ્રી તાપડિયા આશ્રમ ખાતે શ્રી મદ ભાગવત સપ્તાહ નું ભવ્ય આયોજન*

મુંબઈ ના વિનુભાઈ રાજ પોપટ પરિવાર દ્વારા

સૌરાષ્ટ્ર ગુજરાત ના ગૌ રક્ષકો તથા પત્રકારો ના સન્માન સહિત ના વિવિધ કાર્યક્રમ

બાબરા શ્રી તાપડિયા આશ્રમ ખાતે પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી ઘનશ્યામદાસજી મહારાજ ગુરુ શ્રી દયારામદાસજી મહારાજ શ્રી નાં સાનિધ્ય માં આગામી તારીખ 18/04/2026 થી 25/04/2026 સુધી ત્રિવિધ કાર્યક્રમ શ્રી મદ ભાગવત સાપ્તાહ નું આયોજન ભજન ભોજન ગૌ રક્ષકો સહીત ના અનેક કાર્યક્રમો બાબરા અમરાપરા ના રહેવાસી હાલ મુંબઈ સ્થિત ગૌ. વા. ધનકુંવર બેન નંદલાલ ભાઈ રાજપોપટ પરિવાર દ્વારા અનિલભાઈ નંદલાલ ભાઈ રાજપોપટ (શષ્ટિ પૂર્તિ ) જીવન ના 60 વર્ષ પૂર્ણ થતાં શ્રી મદ ભાગવત સપ્તાહ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે તારીખ 19/04/2026 ને રવિવાર ના રોજ સૌરાષ્ટ્ર ગુજરાત નાં ગૌ રક્ષકો કે જે પોતાના જીવ ને જોખમ માં મૂકી મૂંગા અબોલ પશુધન ને બચાવી ગૌ રક્ષા કરી રહ્યા છે તેવા ગૌ રક્ષકો નાં સન્માન નું પણ એક સુંદર આયોજન કરવામાં આવેલ છે શ્રી મદ ભાગવત સપ્તાહ પ્રારંભ તારીખ 18/04/2026 ને શનિવારે અમરાપરા નાં રામજી મંદિર થી ખાતેઘી પોથીયાત્રા નીકળી ગુરુ આશ્રમ શ્રી તાપડીયા આશ્રમે જશે. શ્રી કથા નાં વ્યાસસને વિદ્વાન આચાર્ય શ્રી ધનંજય ભાઈ વ્યાસ પોતાની આગવી સંગીતમય શૈલી માં કથાનું રસપાન કરાવશે.શ્રી મદ ભાગવત સપ્તાહ નાં ત્રિવિધ કાર્યક્રમ ને સફળ બનાવવા અને આ ભાગવત સપ્તાહ માં વધુ વધુ લોકો ને લાભ લેવા રાજપોપટ પરિવાર નાં વડીલ મોભી વિનુભાઈ રાજપોપટ દ્વારા અનુરોધ કરાયો છે.
રિપોટર:- હિરેન ચૌહાણ. બાબરા
