*ખોડલધામના મંચ પર જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે સમાધાન*
ખોડલધામના મંચ પર જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે સમાધાન થયું. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને જયેશ રાદડિયા એકબીજાને ભેટ્યા.
જયેશ રાદડીયાએ કહ્યું, જયેશ રાદડિયા રહે કે ના રહે ખોડલધામ હંમેશા રહેવાનું છે.
સમાધાન મુદ્દે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન આવ્યું કે નરેશ પટેલ મારા અને જયેશ રાદડિયા કરતા મોટા છે અને પિતા તુલ્ય છે.
સમાજ અગ્રણીઓ એક છે અને એક જ રહેવાના છે. લેઉઆ પટેલ સમાજના બે બે મોભીઓ વચ્ચે મનદુઃખ દૂર થતા સમાજના અગ્રણીઓએ પણ ખુશી વ્યક્ત કરી…🖋️
*Follow Us On:indiacrimemirror.com
