સુરત પોલીસનાં સમર્પણને સલામ: ‘કર્મ ભૂષણ એવોર્ડ 2025’ નું રવિવારે આયોજન

સુરત: ​સુરત શહેરની શાંતિ અને સુરક્ષા માટે રાતદિવસ કાર્ય કરતા પોલીસ કર્મચારીઓનાં સમર્પણને બિરદાવવા માટે અપમૃત્યુ નિવારણ સહાય (A.N.I.S.) સંસ્થા દ્વારા ત્રીજા વર્ષે ‘કર્મ ભૂષણ એવોર્ડ 2025’ નું આયોજન કરવામાં આવ્યું છે.

​આ ઉત્સવમાં સુરત સિટી પોલીસનાં અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે, જેમણે બાળકો, મહિલાઓ અને પરિવારોની સુરક્ષા, સેવા અને સમાજ કલ્યાણનાં ક્ષેત્રે અનન્ય યોગદાન આપ્યું છે.

 

​આ કાર્યક્રમમાં દેશ અને રાજ્યનાં પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે:

 

વિશિષ્ટ મુખ્ય અતિથિ: વેટરન એર માર્શલ પદ્માવતી બંધોપાધ્યાય (PVSM, AVSM, VSM, પદ્મશ્રી), ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા એર માર્શલ.

 

કેન્દ્રીય મંત્રી: C. R. પાટીલ, જળ શક્તિ મંત્રાલય, ભારત સરકાર.

 

રાજ્ય મંત્રી: હર્ષ સંઘવી, ઉપમુખ્યમંત્રી અને ગૃહ મંત્રી, ગુજરાત રાજ્ય.

 

પોલીસ કમિશનર: અનુપમસિંહ ગહલોત (IPS), સુરત.

 

​A.N.I.S.ના અધ્યક્ષ ગીતા શ્રોફએ જણાવ્યું: “સુરત શહેરનાં લોકો હંમેશાં સમાજ પ્રેમી રહ્યાં છે. ‘કર્મ ભૂષણ એવોર્ડ 2025′ એ સુરત પોલીસ પ્રત્યેની અમારી કૃતજ્ઞતા છે. હું દરેક નાગરિકને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોલીસ કર્મચારીઓનું મનોબળ વધારવા આમંત્રણ આપું છું.”

 

​આ આયોજનની સફળતામાં A.N.I.S. નાં અધ્યક્ષ ગીતા શ્રોફની સાથે મુખ્ય ટીમમાં કમલેશ જોશી અને નિયતિ વિજ પણ સામેલ છે.

 

​’કર્મ ભૂષણ એવોર્ડ’ માત્ર સન્માન સમારોહ નથી, પરંતુ ફરજ પ્રત્યેની નિષ્ઠા, માનવીય સેવા અને વર્દી પાછળ છુપાયેલા અસલી નાયકોની વાર્તાનો ઉત્સવ છે.