ભરૂચમાં ‘દિશા’ સમિતિની બેઠક: સાંસદ મનસુખ વસાવાએ સરકારી યોજનાઓની સમીક્ષા કરી

ભરૂચ: ભરૂચમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની કામગીરીની સમીક્ષા કરી અને જનહિતના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું.

સાંસદે કૃષિ, રોજગાર, આવાસ, સ્વચ્છતા, સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય અને માર્ગ-પરિવહન સંબંધિત અનેક યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરી. જેમાં રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, મિડ ડે મિલ સ્કીમ, નેશનલ હેલ્થ મિશન, સર્વ શિક્ષા અભિયાન, બેટી બચાવો-બેટી પઢાવો, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના જેવી મુખ્ય યોજનાઓનો સમાવેશ થાય છે. તેમણે અધિકારીઓને આ યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા સૂચનો આપ્યા.

 

વસાવાએ આવાસ, મનરેગા, નેશનલ હાઈવે, ગ્રામ્ય રસ્તાઓ, વીજ પુરવઠો અને ટ્રેનોના સ્ટોપેજ જેવા મુદ્દાઓ પર લોકોની રજૂઆતોનું તાત્કાલિક નિવારણ લાવવા સંબંધિત વિભાગોને સૂચના આપી. તેમણે બેઠકમાં લેવાયેલા નિર્ણયોનો ચુસ્ત અમલ કરવા અને પડતર પ્રશ્નોનો નિયમિત ફોલો-અપ લેવા પર ભાર મૂક્યો.

 

આ ઉપરાંત, તેમણે આગામી “સ્વચ્છતા હી સેવા” અભિયાનમાં જનભાગીદારી સુનિશ્ચિત કરીને મહાત્મા ગાંધીનાં સ્વચ્છ ભારતનાં સ્વપ્નને સાકાર કરવા સૌને યોગદાન આપવા અપીલ કરી.

 

 

સાંસદે કૃષિ, રોજગાર, આવાસ, સ્વચ્છતા, સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય અને માર્ગ-પરિવહન સંબંધિત અનેક યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરી. જેમાં રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, મિડ ડે મિલ સ્કીમ, નેશનલ હેલ્થ મિશન, સર્વ શિક્ષા અભિયાન, બેટી બચાવો-બેટી પઢાવો, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના જેવી મુખ્ય યોજનાઓનો સમાવેશ થાય છે. તેમણે અધિકારીઓને આ યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા સૂચનો આપ્યા.

 

વસાવાએ આવાસ, મનરેગા, નેશનલ હાઈવે, ગ્રામ્ય રસ્તાઓ, વીજ પુરવઠો અને ટ્રેનોના સ્ટોપેજ જેવા મુદ્દાઓ પર લોકોની રજૂઆતોનું તાત્કાલિક નિવારણ લાવવા સંબંધિત વિભાગોને સૂચના આપી. તેમણે બેઠકમાં લેવાયેલા નિર્ણયોનો ચુસ્ત અમલ કરવા અને પડતર પ્રશ્નોનો નિયમિત ફોલો-અપ લેવા પર ભાર મૂક્યો.

 

આ ઉપરાંત, તેમણે આગામી “સ્વચ્છતા હી સેવા” અભિયાનમાં જનભાગીદારી સુનિશ્ચિત કરીને મહાત્મા ગાંધીનાં સ્વચ્છ ભારતનાં સ્વપ્નને સાકાર કરવા સૌને યોગદાન આપવા અપીલ કરી.

આ બેઠકમાં કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશે, નિવાસી અધિક કલેક્ટર એન. આર. ધાંધલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ, ધારાસભ્યો અને વિવિધ તાલુકા પંચાયતનાં પ્રમુખો સહિતનાં પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યાં હતાં. કલેક્ટરે ચોમાસા બાદ રસ્તાઓના સમારકામ અને નવા કામો ઝડપી શરૂ કરવા સૂચના આપી હતી.