નડિયાદના કાઉન્સીલર બાલા ભરવાડનું ખનીજનું વહનનું કૌભાંડ આવ્યું છે. મરીડાની હદમાંથી જેસીબીથી ખોદકામ કરી ડમ્પરમાં માટી ભરીને તેની ચોરી કરવામાં આવતી હતી. મરીડાની જમીનમાં ખોદકામ કરી તેની માટી-ખનીજનું વહન થતું હતું, ત્યારે ખાણ ખનીજ વિભાગે દરોડો પાડ્યો હતો. જેમાં સ્થળ તપાસ દરમિયાન બંન્ને વાહનનો ડ્રાયવરો મુસ્તાકખાન બસીરખાન પઠાણ રહે. હેરંજ, જિ. ખેડા તથા નિખીલ વિષ્ણુભાઇ સોઢાએ આ કામ બાલાભાઇ નાગજીભાઇ ભરવાડે કરવાનું કહ્યું હોવાનું જણાવ્યું હતું. આથી જેસીબી તથા ડમ્પર નં. જીજે 07 યુયુ 9915ને માટી ભરેલી હાલતમાં કબ્જે કર્યા હતા. જેમાં સાદી માટી અને ખનીજ ખોદકામવાળા વિસ્તારની માપણી કરાવતા કુલ 134 મેટ્રિક ટનનું ખોદકામ કરાયાનું જણાયું હતું. જેની કુલ મળી 3,84,049 ભરપાઇ કરવા માટે બાલાભાઇ નાગજીભાઇ ભરવાડને નોટિસ ફટકારવામાં આવી છે.
Related Posts
કોરોના મહામારીની અવધિ લંબાવીને ભગવાન કદાચ માનવજીવનમાં ઉત્તમ આદતો અને સદગુણોનું સામ્રાજ્ય ઉભું કરવા માગતા હોય એવું લાગે છે જે ટૂંકા ગાળામાં થઇ શકે નહિ
કોરોના મહામારીની અવધિ લંબાવીને ભગવાન કદાચ માનવજીવનમાં ઉત્તમ આદતો અને સદગુણોનું સામ્રાજ્ય ઉભું કરવા માગતા હોય એવું લાગે છે જે…
આર્મી કમાન્ડર દ્વારા વડોદરામાં એર ડિફેન્સ બ્રિગેડના હેડક્વાર્ટર તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ એન્જિનિયર્સ સ્કૂલની મુલાકાત લીધી. – સંજીવ રાજપુત.
વડોદરા: અતિ વિશિષ્ટ સેવા મેડલ, સેના મેડલ, વિશિષ્ટ સેવા મેડલ, સધર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ અને રાજપૂત રેજિમેન્ટના કર્નલ, લેફ્ટેનન્ટ…
*વેલેન્ટાઈન ડે પર બજરંગદળનો હોબાળો, પાર્કમાં બેઠેલા કપલના લગ્ન કરાવી નાખ્યા*
ઝારખંડની રાજધાની રાંચીમાં વેલેન્ટાઈન ડેના અવસરે બજરંગદળના કાર્યકર્તાઓએ પ્રેમીઓ પર તૂટી પડ્યા હતા.બજરંગ દળના કાર્યકર્તાઓએ પાર્કમાં જઈ હોબાળો કર્યો હતો.…
