નડિયાદના કાઉન્સીલર બાલા ભરવાડનું ખનીજનું વહનનું કૌભાંડ આવ્યું છે. મરીડાની હદમાંથી જેસીબીથી ખોદકામ કરી ડમ્પરમાં માટી ભરીને તેની ચોરી કરવામાં આવતી હતી. મરીડાની જમીનમાં ખોદકામ કરી તેની માટી-ખનીજનું વહન થતું હતું, ત્યારે ખાણ ખનીજ વિભાગે દરોડો પાડ્યો હતો. જેમાં સ્થળ તપાસ દરમિયાન બંન્ને વાહનનો ડ્રાયવરો મુસ્તાકખાન બસીરખાન પઠાણ રહે. હેરંજ, જિ. ખેડા તથા નિખીલ વિષ્ણુભાઇ સોઢાએ આ કામ બાલાભાઇ નાગજીભાઇ ભરવાડે કરવાનું કહ્યું હોવાનું જણાવ્યું હતું. આથી જેસીબી તથા ડમ્પર નં. જીજે 07 યુયુ 9915ને માટી ભરેલી હાલતમાં કબ્જે કર્યા હતા. જેમાં સાદી માટી અને ખનીજ ખોદકામવાળા વિસ્તારની માપણી કરાવતા કુલ 134 મેટ્રિક ટનનું ખોદકામ કરાયાનું જણાયું હતું. જેની કુલ મળી 3,84,049 ભરપાઇ કરવા માટે બાલાભાઇ નાગજીભાઇ ભરવાડને નોટિસ ફટકારવામાં આવી છે.
Related Posts
ગાંધીનગર ખાતે 10-14 માર્ચ દરમિયાન યોજાશે ડિફેન્સ એક્સ્પો 2022 સંરક્ષણ ઉદ્યોગ દુનિયાને પોતાની ક્ષમતાઓ અને ઉત્પાદનો બતાવશે
ગાંધીનગર: ગુજરાતના ગાંધીનગર ખાતે આગામી 10-14 માર્ચ 2022 દરમિયાન દ્વિવાર્ષિક સંરક્ષણ પ્રદર્શનના 12મા સંસ્કરણ Def-Expo 2022નું આયોજન કરવામાં આવશે. ભૂમિ,…
*ઘરેલું હિંસાના કેસ વધતા રાષ્ટ્રીય મહિલા આયોગે* *વોટ્સએપ નંબર જાહેરકર્યો 7217735372* – વિનોદ મેઘાણી.
રાષ્ટ્રીય મહિલા આયોગે એક વોટ્સ એપ નંબર જાહેર કર્યો છે, જેના પર લોકડાઉન દરમિયાન ઘરેલુ હિંસાની ફરિયાદ દાખલ કરાવી શકાશે.…
અમદાવાદ શહેર ના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની ટીમ દ્વારા યુધ્ધ ના ધોરણે વેજલપુર વિસ્તારમાં સવેઁ પુરો કરવામાં આવ્યો.
અમદાવાદ અમદાવાદ શહેર ના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની ટીમ દ્વારા યુધ્ધ ના ધોરણે વેજલપુર વિસ્તારમાં સવેઁ પુરો કરવામાં આવ્યો.…
