નડિયાદના કાઉન્સીલર બાલા ભરવાડનું ખનીજનું વહનનું કૌભાંડ આવ્યું છે. મરીડાની હદમાંથી જેસીબીથી ખોદકામ કરી ડમ્પરમાં માટી ભરીને તેની ચોરી કરવામાં આવતી હતી. મરીડાની જમીનમાં ખોદકામ કરી તેની માટી-ખનીજનું વહન થતું હતું, ત્યારે ખાણ ખનીજ વિભાગે દરોડો પાડ્યો હતો. જેમાં સ્થળ તપાસ દરમિયાન બંન્ને વાહનનો ડ્રાયવરો મુસ્તાકખાન બસીરખાન પઠાણ રહે. હેરંજ, જિ. ખેડા તથા નિખીલ વિષ્ણુભાઇ સોઢાએ આ કામ બાલાભાઇ નાગજીભાઇ ભરવાડે કરવાનું કહ્યું હોવાનું જણાવ્યું હતું. આથી જેસીબી તથા ડમ્પર નં. જીજે 07 યુયુ 9915ને માટી ભરેલી હાલતમાં કબ્જે કર્યા હતા. જેમાં સાદી માટી અને ખનીજ ખોદકામવાળા વિસ્તારની માપણી કરાવતા કુલ 134 મેટ્રિક ટનનું ખોદકામ કરાયાનું જણાયું હતું. જેની કુલ મળી 3,84,049 ભરપાઇ કરવા માટે બાલાભાઇ નાગજીભાઇ ભરવાડને નોટિસ ફટકારવામાં આવી છે.
Related Posts
દેડિયાપાડા તાલુકાના કલતર ગામની નદીના પુલ પર મોટરસાયકલ સ્લીપ ખાઇ જતાં ગંભીર ઈજા થતા મોત.
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ક્લતર ગામની નદીના પુલ પરથી પસાર થતી મોટરસાઇકલ સ્લીપ થઇ જતાં મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજા થતાં…
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં પ્રથમ વખત આ આધાર-મોડેલનો પ્રોપર્ટીકાર્ડની યોજના તૈયાર કરી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં પ્રથમ વખત આ આધાર-મોડેલનો પ્રોપર્ટીકાર્ડની યોજના તૈયાર કરી હતી. તે રવિવારે લોન્ચ થશે.દેશમાં જમીન સહિતની…
ગુજરાત અમદાવાદ રામોલ પોલીસ સ્ટેશનના બે મોબાઈલ સ્નેચીંગ તેમજ મણીનગર પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાઓ મળી કુલ્લે ત્રણ અનડીટેક ગુનાનો…
