*કોરોના સે ડરોના ઘરમે હી રહેના*
*દેશમાં કોરોના વાઈરસ સંક્રમિતોની સંખ્યા 512 થઇ*
ભારતમાં કોરોનાનો વ્યાપ સતત વધી રહ્યો છે. દેશમાં કોરોના વાઈરસ સંક્રમિતોની સંખ્યા 512 થઇ ગઇ છે જ્યારે કે કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 10 લોકોના મોત નિપજ્યા છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 100ને પાર થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના સત્તાવાર દર્દીઓ 101 નોંધાયા છે. બીજા નંબરે કેરળમાં કુલ 95 કેસ નોંધાયા છે. જ્યારે કે કર્ણાટકમાં 37 કેસ દાખલ થયા છે. આ તરફ મણિપુરમાં સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો છે. 23 વર્ષીય સંક્રમિત યુવતી તાજેતરમાં જ બ્રિટનથી પાછી આવી હતી. બીજી તરફ કોરોનાના સંક્રમણને ફેલાવાથી રોકવા માટે 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ સંપૂર્ણપણે લોકડાઉનની જાહેરાત કરી છે.
**********
*ગુજરાતમાં 7,000 લોકો જીવતા મોત સમાન*
રાજ્યભરમાં કુલ 609 સરકારી હોસ્પિટલમાં વેન્ટિલેટર છે. તદુપરાંત સેમી ગવર્નમેન્ટ હોસ્પિટલમાં 1 હજાર 500 જેટલી હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપલબ્ધ છે. કોરોનાને લઇ ભારત સરકારે 27 હજાર લોકોની યાદી આપી છે. જેમાં જે લોકો એરપોર્ટથી આવ્યા તેમને ટ્રેસ કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત મુંબઇ કે અન્ય શહેરમાંથી બાય રોડ આવ્યા છે તેમનું પણ સર્ચ કરવાામાં આવી રહ્યું છે. અત્યાર સુધી આવા 20 હજાર લોકો ટ્રેસ કરી દેવાયા છે. પરંતુ 7 હજાર લોકો ટ્રેસ થવાના બાકી છે. ત્યારે જે લોકો બહારથી આવ્યા છે તે સરકારનો સંપર્ક કરે અને આરોગ્ય વિભાગનો સંપર્ક કરે. જેથી કોરોના વાયરસને ફેલાતો અટકાવી શકાય. કારણ કે આ 7 હજાર લોકો જ જે બહારથી આવ્યા છે તે માહોલ બગાડી શકે છે. ત્યારે જે બહારથી આવ્યા છે તે સ્વેચ્છાયે આરોગ્ય વિભાગનો સંપર્ક કરે તેવી અપીલ છે.
*********
*આજે 4 નવા કેસ સામે આવ્યા છે જે પૈકી સુરતમાં 2 કેસ અને ગાંધીનગરમાં 2 કેસ નોંધાયા છે*
**********
*સેફટી હેલ્થ અધિકારી અને ફુડ અને ડ્રગ અધિકારી*
ફાર્માશુટિકલ, સેનીટાઈઝર, માસ્ક અને તેને રીલેટેડ તેમજ આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળના ઔદ્યોગિક એકમોએ હાલનાતબક્કે ચાલુરાખવા બાબતે ઈન્ડસ્ટ્રીઝ સેફટી હેલ્થ અધિકારી અને ફુડ અને ડ્રગ અધિકારી નં.9825801547 અને 9724218988નો સંપર્ક કરવો
*******
*હવે કારણ વગર ઘરની બહાર નીકળતાં વિચાર કરજો લોકડાઉનના કડક અમલ માટે RAFની તહેનાતી કરાશે*
********
*કોરોનાનું સૌથી મોટું સ્ક્રીનિંગ રાજસ્થાનમાં ભીલવાડા-ઝુંઝુનું સૌથી* *સંવેદનશીલ 4 દિવસમાં 11 લાખનું સ્ક્રિનિંગ 2400 શંકાસ્પદો મળ્યા*
**********
*25 માર્ચથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ રહી છે જે 2 એપ્રિલે પૂર્ણ થશે*
******
લંડનનો બિઝનેસમેન પત્નીને ખોટું બોલી ગર્લફ્રેન્ડ સાથે ઇટાલી ફરવા ગયો પરત આવતા કોરોનાના સકંજામાં ફસાયો
*******
અત્યાર સુધીમાં 192 દેશ કોરોનાની લપેટમાં 3.53 લાખથી વધુ કેસ 15,418 મોત
*********
*પરેશ ધાનાણીએ સરકાર પર કર્યા પ્રહાર*
પરેશ ધાનાણીએ સરકાર પર કર્યા પ્રહાર કહ્યું અમે ક્યાંય બહાર નીકળ્યા નથી, અમારા તમામ ધારાસભ્યો સુરક્ષીત, સરકારી માર્ગદશિકાનું પાલન કરાવીશું રાજ્યસભાની ચૂંટણી રદ્દ થતા કોંગ્રેસના ધારાસભ્યો જયપુરથી અમદાવાદ પરત ફર્યા
*******
118 લેબોરેટરીઓ નવી ઉમેરાઇ 12 હજાર રિપોર્ટ એક દિવસમાં થશે 15 હજાર કરતા વધુ કલેકશન સેન્ટર કેન્દ્રીય આરોગ્ય સચિવ લવ અગ્રવાલ
********
*મનસુખ માંડવિયાનું નિવેદન*
કોરોનાને લઇ મનસુખ માંડવિયાનું નિવેદન દર્દીઓની જરૂરિયાતને પહોંચી વળવા સરકાર કટીબદ્ધ જરૂરિયાત પ્રમાણે 2 કરોડથી વધુ ટેબલેટ ઉપલબ્ધ છે
*******
સ્ટેચ્યુ ઓફ યુનિટી 31 માર્ચ સુધી બંધ રહેશે એન્ડવાન્સ બુકીંગ કરાવનારા પ્રવાસીઓ રિફંડ અપાશે
********
એક વર્ષ માટે ટોક્યોમાં થનાર ઓલમ્પિક ટાળવાનો પ્રસ્તાવ
*******
ગુજરાતમાં જાહેરનામાના ભંગના 238 કેસ નોંધાયા 426 આરોપીઓની આ ગુનાઓ હેઠળ અટકાયત કરાઇ છે ગુજરાતના DGP શિવાનંદ ઝા
*******
રાજ્યના DGP શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું, કે લોકડાઉનમાં સારો સહકાર મળી રહ્યો છે, કોઈ સમસ્યા હોય તો 100 અને 102 પર સંપર્ક કરો
********
ચીનમાં હવે નવો વાયરસ, સૂત્રો પ્રમાણે હંતા વાયરસથી એક વ્યક્તિની મોત. કોરોના જેટલો ખતરનાક વાયરસ નથી પરંતુ ઉંદર અને ખિસકોલીના સંપર્કમાં આવવાથી ફેલાય છે આ વાયરસ
********
નાણામંત્રીની જાહેરાત બાદ શેરબજારમાં 1100 પોઈન્ટનો ઉછાળો
*******
ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ 30 જૂન સુધી લંબાવાઇ નાણામંત્રી નિર્મલા સીતારમનને કરી જાહેરાત
********
આધારકાર્ડને પાન સાથે લિંક કરવાની મર્યાદા 30 જૂન સુધી લંબાવાઇ
******
કોરોના વાયરસને લઈને નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક પેકેજની જાહેરાત કરી
*******
ગોવા મધ્યરાતથી 31 માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન થશે
*******
૧૪૪ ના જાહેરનામાના ભંગ બદલ ૧૮ કિસ્સામાં તંત્ર તરફથી પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી.૧૭૫ કીસ્સામાં વાહન ડીટેઈન કરવાની તથા જાહેરમાં થુંકનાર ૨૨૫ લોકો પાસેથી ૧૧૨૫૦૦ દંડ વસુલવામાં આવ્યો. હોમ કોરોન્ટાઈનનો ભંગ કરતા ૩ વિદેશથી આવેલાને સરકારી કોરોન્ટાઈનમાં મોકલવામાં આવ્યા
*********
*ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત 37 દર્દીઓ સાજા અને હોસ્પિટલમાંથી છૂટા થયા છે.
