કોરોના વાયરસને પગલે સમગ્ર ગુજરાતમાં ઘરબંધી જેવો માહોલ છે. વાયરસ પ્રસરે નહીં તે માટે સરકાર અનેક પ્રયાસો કરી રહી છે. તેવામાં સૌથી મોટી ગંભીર બેદરકારી અમદાવાદ એરપોર્ટ પરથી સામે આવી છે. અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવતાં પ્રવાસીઓને તપાસ વગર જ ઘરે જવા દેવાઈ છે. કેનેડાથી અમદાવાદ આવેલાં એક યુવાને એરપોર્ટ તંત્રની પોલ ખોલી હતી.ગુજરાતમાં કોરોના વાયરસનાં 14 પોઝિટિવ કેસમાંથી 13 કેસ વિદેશથી આવેલાં વ્યક્તિઓ છે. તેવામાં વિદેશથી આવેલાં લોકોની ખાસ તપાસ કરી તે લોકોને 14 દિવસ સુધી ઘરબંધી કરવાનો સરકારનો આદેશ છે. અને દેશનાં તમામ એરપોર્ટ પર પ્રવાસીઓનાં સ્કેનિંગ માટે ખાસ સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. પણ અમદાવાદ એરપોર્ટ પર બધું ચાલ્યા રાખે તેવી નીતિ જ જોવા મળી રહી છે. કેનેડાના એક યુવકે એરપોર્ટ તંત્રની આ પોલ ખોલ હતી
Related Posts
*દિલ્હી ચૂંટણી દિલ્હી દંગલમાં મુખ્ય પ્રધાન vs વડા પ્રધાન*
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાના ચૂંટણી આડે હવે Iગણતરીના દિવસો રહ્યા છે ત્યારે ખેલ હવે ખરાખરીનો જામ્યો છે. બંને બાજુ અક્ષૌહિણી…
અમદાવાદમાં કોરોનાના કેસ વધતા રેસ્ટોરન્ટ બજાર-આલ્ફા મોલ સહિત મોટા મોલ રાત્રે 10 બાદ બંધ કરવા આદેશ
અમદાવાદમાં પોઝિટિવ કેસનો આંક દરરોજ 200 નજીક પહોંચી રહ્યો છે. તેમ છતાં બજારોમાં ભીડ નજર આવી રહી છે. ત્યારે સતત…
આ અજાણી સ્ત્રી ની લાશ અમદાવાદ – વડોદરા એકસપ્રેસ હાઈ વે ઉપર બિન વારસી મળી આવેલ છે જેના વાલીવરસની કૉઈ માહિતી મળે તો વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન સંપર્ક કરવા વિ છે. mo. 9722373833
આ અજાણી સ્ત્રી ની લાશ અમદાવાદ – વડોદરા એકસપ્રેસ હાઈ વે ઉપર બિન વારસી મળી આવેલ છે જેના વાલીવરસની કૉઈ…
