કોરોના વાયરસને પગલે સમગ્ર ગુજરાતમાં ઘરબંધી જેવો માહોલ છે. વાયરસ પ્રસરે નહીં તે માટે સરકાર અનેક પ્રયાસો કરી રહી છે. તેવામાં સૌથી મોટી ગંભીર બેદરકારી અમદાવાદ એરપોર્ટ પરથી સામે આવી છે. અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવતાં પ્રવાસીઓને તપાસ વગર જ ઘરે જવા દેવાઈ છે. કેનેડાથી અમદાવાદ આવેલાં એક યુવાને એરપોર્ટ તંત્રની પોલ ખોલી હતી.ગુજરાતમાં કોરોના વાયરસનાં 14 પોઝિટિવ કેસમાંથી 13 કેસ વિદેશથી આવેલાં વ્યક્તિઓ છે. તેવામાં વિદેશથી આવેલાં લોકોની ખાસ તપાસ કરી તે લોકોને 14 દિવસ સુધી ઘરબંધી કરવાનો સરકારનો આદેશ છે. અને દેશનાં તમામ એરપોર્ટ પર પ્રવાસીઓનાં સ્કેનિંગ માટે ખાસ સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. પણ અમદાવાદ એરપોર્ટ પર બધું ચાલ્યા રાખે તેવી નીતિ જ જોવા મળી રહી છે. કેનેડાના એક યુવકે એરપોર્ટ તંત્રની આ પોલ ખોલ હતી
Related Posts
ડૉક્ટરોની ચેતવણી- ‘ભારતમાં કોરોનાની આ તો શરૂઆત છે, આકરા સમય માટે તૈયાર રહો’*
Covid-19 Crisis : દિલ્હીની મેક્સ હૉસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે સતત દર્દીઓને લાવવામાં આવી રહ્યા છે. અહીં 20 ટકા બેડ કોરોના દર્દીઓ…
*અમદાવાદમાં બપોરના સમયે બહાર નીકળતા વાહનચાલકોને હિટ વેવથી રક્ષણ આપવા માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા શનિ અને રવિવારના…
*ધ્રાંગધ્રામાં લાગેલી પ્રચંડ આગને બુઝાવવામાં વહારે આવતી ભારતીય સેના*
*ધ્રાંગધ્રામાં લાગેલી પ્રચંડ આગને બુઝાવવામાં વહારે આવતી ભારતીય સેના* અમદાવાદ, સંજીવ રાજપૂત: 22 માર્ચ 2025ના રોજ સાંજે 4:15 વાગ્યે, ધ્રાંગધ્રામાં…
