20 માર્ચ એટલે વર્લ્ડ સ્પેરો ડે. અમદાવાદના હાથીજણમાં રહેતા સ્પેરો કેર ટેકર કિન્નરીબેન ભટ્ટ, કે જેવો ચકલી સાથે અતૂટ નાતો ધરાવે છે. એક ચકલીનું અગમ્ય કારણસર મોત થવાથી તેના બચ્ચાને મોઢામાં પાણી પી અને સીધું જ મોઢામાંથી ચાંચમાં પીવડાવવામાં આવ્યું. તેમજ ભાતનો દાણો પણ પોતે ચાવી અને સિધુ બચ્ચાને ખવડાવ્યું. આ રીતે પણ જ્યાં સુધી ચકલી નું બચ્ચું ઊડતું થયું, ત્યાં સુધી તેમને પાસેથી ખસતું નહોતું. તેમના આ મકાનમાં લગભગ ૨૦ જેટલા ચકલીઓના માળા છે, અને રેગ્યુલર ચકલીના બાજરી અને ઝીણી કણકી મિક્સ કરી અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવે છે. તેમજ ચણની બાજુમાં જ પાણી ભરીને રાખવામાં આવે છે. તેમજ ચોમાસુ તેમજ ઠંડીની સિઝનમાં માળાની ઉપર રહેલા વેલાને પ્લાસ્ટિકથી ઢાંકી દેવામાં આવે છે. જેથી ઠંડી ના લાગે તેમજ ચોમાસાના પાણીથી ભીંજાઈ નહીં, તેમજ ઉનાળામાં તેમના ઘરમાં પંખો ચાલુ કરવામાં નથી આવતો. કારણકે ચકલીઓ એક દરવાજાથી બીજા દરવાજા સુધી ઊડાઊડ કરતી હોય, ત્યારે તેની સાવચેતીના ભાગરૂપે તેઓ પંખા પણ બંધ રાખી, અને દિવસ પસાર કરતા હોય છે. આમ અનેરો છે ચકલી અને કિન્નરીબેન નો પ્રેમ
Related Posts
કાપડના વેપારીઓ ની ટેક્સટાઇલ એન્ટી ફ્રોડ સેલ બનાવવાની માંગ
કાપડના વ્યવસાયિકો ના બાકી પેમેન્ટની તકરારનુ એક જ જગ્યાએ સમાધાન થાય તેવી વ્યવસ્થા કરવા રજૂઆ ત વ્યાપારી અગ્રણીઓએ ગૃહ મંત્રી…
રાજ્ય સરકારે જનતાને પીવાનું તેમજ સિંચાઇનું પાણી મળી રહે માટે નર્મદા નદીમાંથીપાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું
નર્મદા બ્રેકીંગ નર્મદા ડેમ 125.57 મીટરે થતા rbph પાવરહાઉસ બંધ કર્યું પાવર હાઉસ બંધ થતાં નર્મદા નદી સૂકી ભટ બની…
જો તમે પણ જોડાયેલા છો એ ધંધામાં ? તો સરકાર તરફથી મળશે દરરોજ 230/- રૂપિયા સહાય પેટે.
જે કોઇ ભાઇ ઉપર મુજબના કોઇપણ ધંધામા જોડાયેલ હોય તેમને પંચાયત મા જઇ ને ઉપરનુ ફોર્મ ભરવાનુ રહેશે ફોર્મ ભરનારને…
