20 માર્ચ એટલે વર્લ્ડ સ્પેરો ડે. અમદાવાદના હાથીજણમાં રહેતા સ્પેરો કેર ટેકર કિન્નરીબેન ભટ્ટ, કે જેવો ચકલી સાથે અતૂટ નાતો ધરાવે છે. એક ચકલીનું અગમ્ય કારણસર મોત થવાથી તેના બચ્ચાને મોઢામાં પાણી પી અને સીધું જ મોઢામાંથી ચાંચમાં પીવડાવવામાં આવ્યું. તેમજ ભાતનો દાણો પણ પોતે ચાવી અને સિધુ બચ્ચાને ખવડાવ્યું. આ રીતે પણ જ્યાં સુધી ચકલી નું બચ્ચું ઊડતું થયું, ત્યાં સુધી તેમને પાસેથી ખસતું નહોતું. તેમના આ મકાનમાં લગભગ ૨૦ જેટલા ચકલીઓના માળા છે, અને રેગ્યુલર ચકલીના બાજરી અને ઝીણી કણકી મિક્સ કરી અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવે છે. તેમજ ચણની બાજુમાં જ પાણી ભરીને રાખવામાં આવે છે. તેમજ ચોમાસુ તેમજ ઠંડીની સિઝનમાં માળાની ઉપર રહેલા વેલાને પ્લાસ્ટિકથી ઢાંકી દેવામાં આવે છે. જેથી ઠંડી ના લાગે તેમજ ચોમાસાના પાણીથી ભીંજાઈ નહીં, તેમજ ઉનાળામાં તેમના ઘરમાં પંખો ચાલુ કરવામાં નથી આવતો. કારણકે ચકલીઓ એક દરવાજાથી બીજા દરવાજા સુધી ઊડાઊડ કરતી હોય, ત્યારે તેની સાવચેતીના ભાગરૂપે તેઓ પંખા પણ બંધ રાખી, અને દિવસ પસાર કરતા હોય છે. આમ અનેરો છે ચકલી અને કિન્નરીબેન નો પ્રેમ
Related Posts
*📌જમ્મુ-કાશ્મીરઃ પુંછમાં સેનાની ટ્રક પર આતંકી હુમલામાં મોટો ખુલાસો* આતંકીઓએ હુમલા માટે સ્ટીકી બોમ્બનો ઉપયોગ કર્યો- IB ‘હુમલામાં 7 આતંકીઓની…
*જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૬૪ માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી*
*જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૬૪ માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી* જામનગર, સંજીવ રાજપૂત: ૮ જુલાઈ ૨૦૨૫ ના રોજ જામનગરની…
ગઇકાલે રાજસ્થાન બાદ BTPએ આજે ગુજરાત કોંગ્રેસ સાથેનો છેડો ફાડ્યો, છોટું વસાવાએ ટ્વીટ કરીને આપી જાણકારી.
ગઇકાલે રાજસ્થાન બાદ BTPએ આજે ગુજરાત કોંગ્રેસ સાથેનો છેડો ફાડ્યો, છોટું વસાવાએ ટ્વીટ કરીને આપી જાણકારી.
