20 માર્ચ એટલે વર્લ્ડ સ્પેરો ડે. અમદાવાદના હાથીજણમાં રહેતા સ્પેરો કેર ટેકર કિન્નરીબેન ભટ્ટ, કે જેવો ચકલી સાથે અતૂટ નાતો ધરાવે છે. એક ચકલીનું અગમ્ય કારણસર મોત થવાથી તેના બચ્ચાને મોઢામાં પાણી પી અને સીધું જ મોઢામાંથી ચાંચમાં પીવડાવવામાં આવ્યું. તેમજ ભાતનો દાણો પણ પોતે ચાવી અને સિધુ બચ્ચાને ખવડાવ્યું. આ રીતે પણ જ્યાં સુધી ચકલી નું બચ્ચું ઊડતું થયું, ત્યાં સુધી તેમને પાસેથી ખસતું નહોતું. તેમના આ મકાનમાં લગભગ ૨૦ જેટલા ચકલીઓના માળા છે, અને રેગ્યુલર ચકલીના બાજરી અને ઝીણી કણકી મિક્સ કરી અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવે છે. તેમજ ચણની બાજુમાં જ પાણી ભરીને રાખવામાં આવે છે. તેમજ ચોમાસુ તેમજ ઠંડીની સિઝનમાં માળાની ઉપર રહેલા વેલાને પ્લાસ્ટિકથી ઢાંકી દેવામાં આવે છે. જેથી ઠંડી ના લાગે તેમજ ચોમાસાના પાણીથી ભીંજાઈ નહીં, તેમજ ઉનાળામાં તેમના ઘરમાં પંખો ચાલુ કરવામાં નથી આવતો. કારણકે ચકલીઓ એક દરવાજાથી બીજા દરવાજા સુધી ઊડાઊડ કરતી હોય, ત્યારે તેની સાવચેતીના ભાગરૂપે તેઓ પંખા પણ બંધ રાખી, અને દિવસ પસાર કરતા હોય છે. આમ અનેરો છે ચકલી અને કિન્નરીબેન નો પ્રેમ
Related Posts
ચકચારી સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં પૂર્વ DySP તરૂણ બારોટને CBI કોર્ટની રાહત.
ચકચારી સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં પૂર્વ DySP તરૂણ બારોટને CBI કોર્ટની રાહત. પુરાવાના અભાવે CBI કોર્ટે તરૂણ બારોટ અને પોલીસકર્મી…
*જિલ્લાના મતદારો મહત્તમ મતદાન કરે તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વીડિયો ફિલ્મ તૈયાર કરી મતદાનની અપીલ કરાઈ*
*જિલ્લાના મતદારો મહત્તમ મતદાન કરે તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વીડિયો ફિલ્મ તૈયાર કરી મતદાનની અપીલ કરાઈ* જામનગર સંજીવ…
કોરોના વેક્સીન સંપૂર્ણ સુરક્ષિત હોઇ, ગંભીર રોગો ધરાવતા ૪૫ થી ૫૯ વર્ષની વયજૂથના અને ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા તમામ લોકોએ કોરોનાની વેક્સીન અચૂક લેવા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહની ùદયસ્પર્શી અપીલ
કોવિડ-૧૯ વેક્સીનની રસી લીધા બાદ પણ માસ્ક પહેરવાં, સોશીયલ ડિસ્ટન્સ જાળવવાં અને સેનીટાઇઝેશન કરવાની ખાસ કાળજી રાખવા જિલ્લા કલેક્ટરશ્રી શાહની…
