હવે રાજ્યસભાની ચૂંટણી માટેની ફોર્મ્યુલા એવી છે કે જેટલી સીટની ચૂંટણી હોય તેમાં એક ઉમેરીને તે સંખ્યાને કુલ ઉપલબ્ધ ધારાસભ્યોની સંખ્યા સાથે ભાગાકાર કરવાનો હોય છે. ભાગાકાર કર્યા બાદ જે પૂર્ણાંક આવે તેમાં એક ઉમેરતા જે સંખ્યા આવે તેટલા મતો દરેક ઉમેદવારને જીતવા માટે જોઈએ. હાલમાં રાજ્યસભાની ચાર બેઠકો ખાલી છે અને પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદ ઉપલબ્ધ ધારાસભ્યોની સંખ્યા 175 છે. જો 175ને 4 + 1 = 5 વડે ભાગીએ તો 35 થાય. આમ ભાજપને ત્રણે ઉમેદવાર જીતવા કુલ 105 મત જોઇએ. આથી ભાજપે હજુ ત્રણના રાજીનામા અપાવવા પડે અથવા બે બીટીપીના મત જોઇએ. બીજી તરફ કોંગ્રેસ પાસે 5 ધારાસભ્યોના રાજીનામા બાદ 68 મત છે. જો તેમના બન્ને ઉમેદવારને જીતવું હોય તો કુલ 70 મત જોઈએ. કોંગ્રેસને વધુમાં વધુ જિજ્ઞેશ મેવાણીનું સમર્થન મળી શકે છે. તો પણ કોંગ્રેસ માટે કટોકટીની સ્થિતિ છે.
Related Posts
આજના અંકના મુખ્ય સમાચાર* અમદાવાદ-સુરત-વડોદરામાં લોકડાઉનના ચુસ્ત અમલ માટે અર્ધ લશ્કરી દળો ઉતારાશે ?
આજના અંકના મુખ્ય સમાચાર* અમદાવાદ-સુરત-વડોદરામાં લોકડાઉનના ચુસ્ત અમલ માટે અર્ધ લશ્કરી દળો ઉતારાશે ? 30 એપ્રિલ સુધી સમગ્ર દેશમાં લોકડાઉન…
એ ટ્રમ્પ જ હતા જેમણે ભારતને વિકાસશીલ દેશોની યાદીમાં આવતા અટકાવ્યું હતું Sureshvadher
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત પહેલા શિવસેનાએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા. શિવસેનાએ પોતાના મુખપત્ર સામાનામાં જણાવ્યુ કે,…
**અમદાવાદના 615માં જન્મદિને વાજતે-ગાજતે નગરદેવી મા ભદ્રકાળીની ધામધૂમથી નગરયાત્રા નીકળી**
**અમદાવાદના 615માં જન્મદિને વાજતે-ગાજતે નગરદેવી મા ભદ્રકાળીની ધામધૂમથી નગરયાત્રા નીકળી** *અખાડા,ભજન મંડળીઓ, ઢોલના તાલ અને “જય ભદ્રકાળી”ના જયઘોષ સાથે વાતાવરણમાં…
