હવે રાજ્યસભાની ચૂંટણી માટેની ફોર્મ્યુલા એવી છે કે જેટલી સીટની ચૂંટણી હોય તેમાં એક ઉમેરીને તે સંખ્યાને કુલ ઉપલબ્ધ ધારાસભ્યોની સંખ્યા સાથે ભાગાકાર કરવાનો હોય છે. ભાગાકાર કર્યા બાદ જે પૂર્ણાંક આવે તેમાં એક ઉમેરતા જે સંખ્યા આવે તેટલા મતો દરેક ઉમેદવારને જીતવા માટે જોઈએ. હાલમાં રાજ્યસભાની ચાર બેઠકો ખાલી છે અને પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદ ઉપલબ્ધ ધારાસભ્યોની સંખ્યા 175 છે. જો 175ને 4 + 1 = 5 વડે ભાગીએ તો 35 થાય. આમ ભાજપને ત્રણે ઉમેદવાર જીતવા કુલ 105 મત જોઇએ. આથી ભાજપે હજુ ત્રણના રાજીનામા અપાવવા પડે અથવા બે બીટીપીના મત જોઇએ. બીજી તરફ કોંગ્રેસ પાસે 5 ધારાસભ્યોના રાજીનામા બાદ 68 મત છે. જો તેમના બન્ને ઉમેદવારને જીતવું હોય તો કુલ 70 મત જોઈએ. કોંગ્રેસને વધુમાં વધુ જિજ્ઞેશ મેવાણીનું સમર્થન મળી શકે છે. તો પણ કોંગ્રેસ માટે કટોકટીની સ્થિતિ છે.
Related Posts
શેરડી કાપતા નર્મદા સુગરના મજૂરોને ગરમીમાં 5000 થી વધુ ઠંડી છાસની તથા નાસ્તાનું વિતરણ કરાયું સુગર ચેરમેન ઘનશ્યામ પટેલ ટીમ…
*B-20 ઈનસેપ્શન મીટ: રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ડેલિગેટ્સે અડાલજની સુપ્રસિદ્ધ વાવની મુલાકાત લીધી* જીએનએ ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતને G-20…
મહુડાના ઝાડ પર લગતા ફળ ડોળીમાંથી મળતું આરોગ્ય વર્ધક તેલ ખાવામા આદિવાસીઓ વાપરે છે.
નર્મદા જિલ્લાના આદિવાસીઓ મહુડાના ફળ ડોળી માંથી બનતું તેલ વાપરે છે. આદિવાસીઓ માટે આશીર્વાદ રૂપમહુડાના ઝાડ પર લગતા ફળ ડોળીમાંથી…
