હવે રાજ્યસભાની ચૂંટણી માટેની ફોર્મ્યુલા એવી છે કે જેટલી સીટની ચૂંટણી હોય તેમાં એક ઉમેરીને તે સંખ્યાને કુલ ઉપલબ્ધ ધારાસભ્યોની સંખ્યા સાથે ભાગાકાર કરવાનો હોય છે. ભાગાકાર કર્યા બાદ જે પૂર્ણાંક આવે તેમાં એક ઉમેરતા જે સંખ્યા આવે તેટલા મતો દરેક ઉમેદવારને જીતવા માટે જોઈએ. હાલમાં રાજ્યસભાની ચાર બેઠકો ખાલી છે અને પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદ ઉપલબ્ધ ધારાસભ્યોની સંખ્યા 175 છે. જો 175ને 4 + 1 = 5 વડે ભાગીએ તો 35 થાય. આમ ભાજપને ત્રણે ઉમેદવાર જીતવા કુલ 105 મત જોઇએ. આથી ભાજપે હજુ ત્રણના રાજીનામા અપાવવા પડે અથવા બે બીટીપીના મત જોઇએ. બીજી તરફ કોંગ્રેસ પાસે 5 ધારાસભ્યોના રાજીનામા બાદ 68 મત છે. જો તેમના બન્ને ઉમેદવારને જીતવું હોય તો કુલ 70 મત જોઈએ. કોંગ્રેસને વધુમાં વધુ જિજ્ઞેશ મેવાણીનું સમર્થન મળી શકે છે. તો પણ કોંગ્રેસ માટે કટોકટીની સ્થિતિ છે.
Related Posts
અદ્યતન આધુનિક ટેકનોલોજીથી સજ્જ બે MH-60R મલ્ટી રોલ
હેલિકોપ્ટરનો ભારતીય નૌસેનામાં થયો સમાવેશ.
અદ્યતન આધુનિક ટેકનોલોજીથી સજ્જ બે MH-60R મલ્ટી રોલહેલિકોપ્ટરનો ભારતીય નૌસેનામાં થયો સમાવેશ. અમદાવાદ: ભારતીય નૌસેનાએ 16 જુલાઇ 2021ના રોજ સેન…
ડ્રિમ વર્લ્ડ આર્ટ ગેલેરી ખાતે નેશનલ એક્સહીબિશન “પોઍટ્રી ઓફ કલર્સ” નો પ્રારંભ
આ સમૂહ ચિત્ર પ્રદર્શન નો પ્રારંભ પ્રખ્યાત ચિત્રકાર શ્રી દિનુભાઈ પટેલ, શ્રી વિજયભાઈ શ્રીમાળી દ્વારા દિપ પ્રગટાવી કરવામાં આવ્યો, આ…
*જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું*
*જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું* જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક…
