હવે રાજ્યસભાની ચૂંટણી માટેની ફોર્મ્યુલા એવી છે કે જેટલી સીટની ચૂંટણી હોય તેમાં એક ઉમેરીને તે સંખ્યાને કુલ ઉપલબ્ધ ધારાસભ્યોની સંખ્યા સાથે ભાગાકાર કરવાનો હોય છે. ભાગાકાર કર્યા બાદ જે પૂર્ણાંક આવે તેમાં એક ઉમેરતા જે સંખ્યા આવે તેટલા મતો દરેક ઉમેદવારને જીતવા માટે જોઈએ. હાલમાં રાજ્યસભાની ચાર બેઠકો ખાલી છે અને પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદ ઉપલબ્ધ ધારાસભ્યોની સંખ્યા 175 છે. જો 175ને 4 + 1 = 5 વડે ભાગીએ તો 35 થાય. આમ ભાજપને ત્રણે ઉમેદવાર જીતવા કુલ 105 મત જોઇએ. આથી ભાજપે હજુ ત્રણના રાજીનામા અપાવવા પડે અથવા બે બીટીપીના મત જોઇએ. બીજી તરફ કોંગ્રેસ પાસે 5 ધારાસભ્યોના રાજીનામા બાદ 68 મત છે. જો તેમના બન્ને ઉમેદવારને જીતવું હોય તો કુલ 70 મત જોઈએ. કોંગ્રેસને વધુમાં વધુ જિજ્ઞેશ મેવાણીનું સમર્થન મળી શકે છે. તો પણ કોંગ્રેસ માટે કટોકટીની સ્થિતિ છે.
Related Posts
રાજકોટ મહાનગર પાલિકા બાદ વડોદરા મહાનગર પાલિકા માં પણ મુખ્ય રસ્તા ઉપર વેચાતા નોનવેજની લારી બંધ કરવા ફરમાન ફરવાવમાં આવ્યું.
રાજકોટ મહાનગર પાલિકા બાદ વડોદરા મહાનગરપાલિકા માં પણ મુખ્ય રસ્તા ઉપર વેચાતા નોનવેજની લારી બંધ કરવા ફરમાન ફરવાવમાં આવ્યું છેવડોદરા…
અરવલ્લી ભાજપમાં આંતર કલહ સામે આવ્યો જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ મનમાની કરતા હોવાનો આક્ષેપ
બ્રેકીંગ અરવલ્લી અરવલ્લી ભાજપમાં આંતર કલહ સામે આવ્યો જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ મનમાની કરતા હોવાનો આક્ષેપ ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ…
કેન્દ્રીયમંત્રી અર્જુન રામ મેઘવાલ, સંસદીય, સાંસ્કૃતિક મંત્રી /પેનલ સ્પીકર લોકસભા ડૉ. કિરીટભાઈ સોલંકી સાહેબનો 19/ 8 /2021 ના રોજનો પાટણ તરફ પ્રવાસ રૂટ કાર્યક્રમ
કેન્દ્રીયમંત્રી અર્જુન રામ મેઘવાલ, સંસદીય, સાંસ્કૃતિક મંત્રી /પેનલ સ્પીકર લોકસભા ડૉ. કિરીટભાઈ સોલંકી સાહેબનો 19/ 8 /2021 ના રોજનો પાટણ…
