પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય સંપર્ક વિહોણા થતા કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તુટે તેવો ઘાય થયો છે. વલસાડના કપરાડાના કોંગી ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી સંપર્ક વિહોણા થયા ના સમાચાર સામે આવી રહ્યા છે.જીતુભાઈ ચૌધરી રાતથી જ સંપર્ક વિહોણા થયા હોવાની વાત સામે આવી છે. વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.કોંગ્રેસ માટે રવિવારનો દિવસ રાજીનામા દિવસ બનીને રહી ગયો હતો. સવારમાં બે અને બાદમાં બપોરે પણ બે લોકોના રાજીનામાં પડતા કોંગ્રેસની ઉંઘ ઉડી ગઈ હતી. એમ કુલ ચાર રાજીનામા પડ્યા હતા. હવે પાંચમા ધારાસભ્ય તરીકે ગઢડાના પ્રવીણ મારુનું રાજીનામું પડતા કોંગ્રેસમાં મસમોટો ખાડો પડી ગયો છે. જો કે પ્રવીણ મારુએ રાજીનામું આપ્યું છે કે નહીં તેની સત્તાવાર જાહેરાત આવતીકાલે જ થશે. કારણ કે વિધાનસભાના અધ્યક્ષ દ્રારા એવી વાત વહેતી મુકવામાં આવી છે કે ધારાસભ્યો રાજીનામું આપી ચૂક્યા છે. બીજી તરફ પરેશ ધાનાણીએ પોતાની ટ્વીટ દ્રારા સબસલામતીના દાવા કર્યા છે. ત્યારે સત્યતા શું છે તેની ખબર આવતીકાલે સોમવારે થશે.
Related Posts
નવાપુરા અને નિધરાડ ગામમાં બળિયાદેવના મંદિરે પાણી ચઢાવવાનો ધાર્મિક પ્રસંગ ઉજવાયો
સાણંદ તાલુકામાં આવેલા નવાપુરા અને નિધરાડ ગામમાં લોકોને જાણે કોરોનાનો ડર ન હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. નવાપુરા અને…
અમદાવાદના શહેરના નરોડામાં આવેલી એક જવેલર્સ શોપમાં બંટી બબલી ગ્રાહક બનીને આવ્યા અને 4 જ મિનિટમાં 1.20 લાખની સોનાની ચુનીઓ લઈ રફૂચક્કર થઈ ગયા
અમદાવાદના શહેરના નરોડામાં આવેલી એક જવેલર્સ શોપમાં બંટી બબલી ગ્રાહક બનીને આવ્યા અને 4 જ મિનિટમાં 1.20 લાખની સોનાની ચુનીઓ…
*કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર કર્યા આક્ષેપ*
જૂનાગઢમાં બોગસ રિસીપ્ટ મળવા અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આક્ષેપ કર્યા. દોશીએ કહ્યું કે જે રીતે ડમી રાઇટર…
