પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય સંપર્ક વિહોણા થતા કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તુટે તેવો ઘાય થયો છે. વલસાડના કપરાડાના કોંગી ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી સંપર્ક વિહોણા થયા ના સમાચાર સામે આવી રહ્યા છે.જીતુભાઈ ચૌધરી રાતથી જ સંપર્ક વિહોણા થયા હોવાની વાત સામે આવી છે. વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.કોંગ્રેસ માટે રવિવારનો દિવસ રાજીનામા દિવસ બનીને રહી ગયો હતો. સવારમાં બે અને બાદમાં બપોરે પણ બે લોકોના રાજીનામાં પડતા કોંગ્રેસની ઉંઘ ઉડી ગઈ હતી. એમ કુલ ચાર રાજીનામા પડ્યા હતા. હવે પાંચમા ધારાસભ્ય તરીકે ગઢડાના પ્રવીણ મારુનું રાજીનામું પડતા કોંગ્રેસમાં મસમોટો ખાડો પડી ગયો છે. જો કે પ્રવીણ મારુએ રાજીનામું આપ્યું છે કે નહીં તેની સત્તાવાર જાહેરાત આવતીકાલે જ થશે. કારણ કે વિધાનસભાના અધ્યક્ષ દ્રારા એવી વાત વહેતી મુકવામાં આવી છે કે ધારાસભ્યો રાજીનામું આપી ચૂક્યા છે. બીજી તરફ પરેશ ધાનાણીએ પોતાની ટ્વીટ દ્રારા સબસલામતીના દાવા કર્યા છે. ત્યારે સત્યતા શું છે તેની ખબર આવતીકાલે સોમવારે થશે.
Related Posts
જામનગર એસપી દીપેન ભદ્રનની ટીમને મળી મોટી સફળતા. કૃખ્યાત જમીન માફિયા જયેશ પટેલ લંડનથી ઝડપાયો: સૂત્ર.. તો હત્યાના 3 શૂટરોને કોલકત્તાથી પોલીસે ઝડપી પાડ્યા.
જામનગરના માથાભારે અને માફિયા કહેવાતા જયેશ પટેલ ની લંડનથી ધરપકડ કરાઈ હોવાનું મીડિયાના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તો બીજી…
વર્ષ 2021-22ના શૈક્ષણિક કેલેન્ડરની જાહેરાત
વર્ષ 2021-22ના શૈક્ષણિક કેલેન્ડરની જાહેરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાનું કેલેન્ડર જાહેર 18થી 27 ઓક્ટોબરે ધો.9થી 12ની પ્રથમ કસોટી 27 જાન્યુઆરીથી 2…
ગુજરાત માટે આવનારા 5 દિવસ ખૂબ જ મહત્વના સાબિત થશે.
રાજ્યમાં 753 જાહેરનામા ભંગના ગુના નોંધાયા છે. કવોરન્ટીન કરેલા વ્યક્તિઓ દ્વારા કાયદાભંગના (IPC 269, 270, 271) 361 અને અન્ય 42…
