પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય સંપર્ક વિહોણા થતા કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તુટે તેવો ઘાય થયો છે. વલસાડના કપરાડાના કોંગી ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી સંપર્ક વિહોણા થયા ના સમાચાર સામે આવી રહ્યા છે.જીતુભાઈ ચૌધરી રાતથી જ સંપર્ક વિહોણા થયા હોવાની વાત સામે આવી છે. વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.કોંગ્રેસ માટે રવિવારનો દિવસ રાજીનામા દિવસ બનીને રહી ગયો હતો. સવારમાં બે અને બાદમાં બપોરે પણ બે લોકોના રાજીનામાં પડતા કોંગ્રેસની ઉંઘ ઉડી ગઈ હતી. એમ કુલ ચાર રાજીનામા પડ્યા હતા. હવે પાંચમા ધારાસભ્ય તરીકે ગઢડાના પ્રવીણ મારુનું રાજીનામું પડતા કોંગ્રેસમાં મસમોટો ખાડો પડી ગયો છે. જો કે પ્રવીણ મારુએ રાજીનામું આપ્યું છે કે નહીં તેની સત્તાવાર જાહેરાત આવતીકાલે જ થશે. કારણ કે વિધાનસભાના અધ્યક્ષ દ્રારા એવી વાત વહેતી મુકવામાં આવી છે કે ધારાસભ્યો રાજીનામું આપી ચૂક્યા છે. બીજી તરફ પરેશ ધાનાણીએ પોતાની ટ્વીટ દ્રારા સબસલામતીના દાવા કર્યા છે. ત્યારે સત્યતા શું છે તેની ખબર આવતીકાલે સોમવારે થશે.
Related Posts
શ્રી કામખ્યા માં ના શ્રીમુખ દર્શન.15 વર્ષમાં માત્ર એક વાર જોવા મળે છે.
શ્રી કામખ્યા મા ના શ્રીમુખ 15 વર્ષ માં માત્ર એક વાર જોવા મળે છે. માતાનો ચહેરો હંમેશા ફૂલોથી coveredંકાયેલો હોય…
ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત ઋત્વિજ પટેલ થયા કોરોના સંક્રમિત.
બ્રેકીંગ ન્યૂઝ…. ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત ઋત્વિજ પટેલ થયા કોરોના સંક્રમિત. સંપર્કમાં આવેલા તમામને રિપોર્ટ કરાવવા કરી અપીલ. રિવરફ્રન્ટ…
દાંડી યાત્રા ૨
(દાંડી યાત્રા ૧૨માર્ચ -૬ એપ્રિલ ૧૯૩૦) દાંડી કોઇ નકશામાં પણ ન હતું, બ્રિટિશરોને શોધવામાં પણ ભારે મુશ્કેલી પડી હતી. દાંડી…
