પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય સંપર્ક વિહોણા થતા કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તુટે તેવો ઘાય થયો છે. વલસાડના કપરાડાના કોંગી ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી સંપર્ક વિહોણા થયા ના સમાચાર સામે આવી રહ્યા છે.જીતુભાઈ ચૌધરી રાતથી જ સંપર્ક વિહોણા થયા હોવાની વાત સામે આવી છે. વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.કોંગ્રેસ માટે રવિવારનો દિવસ રાજીનામા દિવસ બનીને રહી ગયો હતો. સવારમાં બે અને બાદમાં બપોરે પણ બે લોકોના રાજીનામાં પડતા કોંગ્રેસની ઉંઘ ઉડી ગઈ હતી. એમ કુલ ચાર રાજીનામા પડ્યા હતા. હવે પાંચમા ધારાસભ્ય તરીકે ગઢડાના પ્રવીણ મારુનું રાજીનામું પડતા કોંગ્રેસમાં મસમોટો ખાડો પડી ગયો છે. જો કે પ્રવીણ મારુએ રાજીનામું આપ્યું છે કે નહીં તેની સત્તાવાર જાહેરાત આવતીકાલે જ થશે. કારણ કે વિધાનસભાના અધ્યક્ષ દ્રારા એવી વાત વહેતી મુકવામાં આવી છે કે ધારાસભ્યો રાજીનામું આપી ચૂક્યા છે. બીજી તરફ પરેશ ધાનાણીએ પોતાની ટ્વીટ દ્રારા સબસલામતીના દાવા કર્યા છે. ત્યારે સત્યતા શું છે તેની ખબર આવતીકાલે સોમવારે થશે.
Related Posts
અમદાવાદ બોપલ ખાતે રહેતા અને રાજકોટ ખાતે ફરજ બજાવતા સાતમા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી સંદીપ ક્રિશ્ચિયન વિ વિરુદ્ધ તેમના ધર્મ પત્ની પ્રગતિ સંદીપ christian વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશન શાહીબાગ ખાતે એફઆઈઆર કરવામાં આવી છે
અમદાવાદ બોપલ ખાતે રહેતા અને રાજકોટ ખાતે ફરજ બજાવતા સાતમા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી સંદીપ ક્રિશ્ચિયન વિ વિરુદ્ધ તેમના ધર્મ પત્ની…
*બોટાદમાં કથિત લઠ્ઠાકાંડ મામલે ગાંધીનગરમાં ગૃહરાજ્યમંત્રી ની આગેવાનીમાં યોજાશે ઉચ્ચસ્તરીય બેઠક* બેઠકમાં લેવાઇ શકે છે મહત્વના નિર્ણય બેઠકમાં…
હવે જો નર્મદાના આદિવાસીઓ પર કોઈ મુશ્કેલીઓ આવશે તો અમે બધા રાજીનામું ધરી દઈશુ.ઘનશ્યામ પટેલ, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ.
હવે જો નર્મદાના આદિવાસીઓ પર કોઈ મુશ્કેલીઓ આવશે તો અમે બધા રાજીનામું ધરી દઈશુ.ઘનશ્યામ પટેલ, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ. ચૂંટણી…
